SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૮૫ મારથી છોકરાઓને તેના સોળ પડ્યા. ઘરે આવી તેમને મા પાસે આ અંગે રોતારોતા વાત કરી. અમને ખૂબ માર માર્યો છે, એમ કહી સોર્ટીના સોળ બતાવ્યા. માનો જીવ આથી ખૂબ ક્રોધિત થયો. મારે છોકરાઓને ભણાવવાની શી જરૂર છે, એમ માની છોકરાઓના ભણવાના બધા ચોપડા બાળી નાખ્યા. આ અંગે શેઠ અને શેઠાણી વચ્ચે બહુ બોલાચાલી થઈ. શેઠે છોકરાઓ બગડ્યા તે માટે શેઠાણીનો વાંક કાઢ્યો. શેઠાણી પણ શેઠને ઘણા કડવા શબ્દો કહેવા માંડી. જે શેઠ સહન ન કરી શક્યા અને ક્રોધમાં આવી એક પત્થર ઉપાડી શેઠાણીના માથામાં ઘા કર્યો. જે વાગવાથી શેઠાણી મરી ગઈ. એ જ શેઠાણીનો જીવ આ તમારી દીકરી ગુણમંજરી છે. ગુણમંજરી મૂંગી હતી પણ બધું સાંભળી શકતી હતી. તેને આ વાતચીત બરાબર સાંભળી. શેઠે હવે આની જીંદગી સુધારવા શું કરવું જોઈએ, તે અંગે પૂછ્યું. ગુરુજીએ રસ્તો બતાવતા કહ્યું કે, જ્ઞાનની વિરાધના કરેલ છે તે માટે જ્ઞાનની આરાધના કરવી એ પહેલું પગથિયું છે. જ્ઞાનપાંચમ (કારતક સુદ ૫)થી પંચમીનો તપ કરવો જોઈએ. જેમાં દર સુદ પાંચમે ઉપવાસ કરવો. આ તપ સાડા પાંચ વર્ષ સુધી કરવું જોઈએ. આ તપની વિધિ પણ ગુરુ મહારાજે બતાવી, જે પ્રમાણે ગુણમંજરીએ તપ કરવાનો નિશ્ચય કર્યો. ‘‘મારા જ્ઞાનાવર્ષીય કર્મ ખપાવવા હું એ તપ જરૂર કરીશ.’’ આ પશ્ચાતાપનું ફળ એને જલદી ફળ્યું અને વાચા ખૂલી ગઈ. સિંહદાસ શેઠે પણ પોતાનું ધન જ્ઞાનશાલામાં વાપરવા માંડ્યું. ગુણમંજરી ગુણવાન તથા સૌંદર્યવાન તો હતી જ. હવે તેનો રોગ અને મુંગાપણું ટળી ગયું એટલે એના વેવિશાળ માટે માંગણીઓ આવવા લાગી. પણ ગુણમંજરી હવે વૈરાગ્યવાન બનેલી હતી, જેથી પરણવાની ચોખ્ખી ના પાડી આત્માના હિત માટે સંયમ લીધો. સાધ્વી બનેલ ગુણમંજરી જ્ઞાન સહિત ક્રિયા કરવા લાગી. સારી રીતે જ્ઞાનની આરાધના કરતાં બીજાઓને આરાધના કરાવવામાં નિમિત્તરૂપ બની; આયુષ્ય પૂર્ણ થતાં કાળ કરી દેવલોકમાં ગઈ. ત્યાં આયુષ્ય પૂર્ણ થતાં મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, સંયમ લઈ, ઉગ્ર તપશ્ચર્યા કરતાં ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગઈ. નૈગમ "6 નૈગમ એક નારી ધૂતી, પણ ઘેબર ભૂખ ન ભાંગી; જમી જમાઈ પાછો વળીયો, જ્ઞાન દશા તપ જાગી.” પંડિત વીરવિજયકૃત અંતરાયકર્મ-નિવારણ પૂજામાં ઉપર પ્રમાણેની એક કડી છે. કથા નીચે પ્રમાણે છે. નૈગમ નામે એક વણિક નાના ગામમાં ગંધિયાણાની દુકાન ચલાવે. માંડમાંડ ગુજરાન ચાલે તેટલું કમાય. એક દિવસની વાત છે. ગામમાં એક ડોશી રહે. આંખે પૂરું દેખાય નહીં. કાને બરોબર સંભળાય નહીં. સાવ ગરીબ સ્થિતિ. તેને ત્યાં એની નાની બહેન બે ભાણેજોને લઈને બહારગામથી આવી. ડોશી ભાણેજો આવેલ જાણી ઘણી રાજી થઈ. તેમને જમાડવા ઘી, ગોળ વગેરે બહારથી લાવવું પડે તેમ હતું એટલે થોડા ભેગા કરેલ પૈસા એક નાની થેલીમાં નાખી નૈગમની દુકાને આવી. ઘી, ગોળ, મસાલા વગેરે જે જોઈતું હતું તે બધું લીધું. નૈગમે ડોશી બરાબર દેખતી નથી એ હિસાબે તોલમાં બધું જ ઓછું આપ્યું. હિસાબ કરતા ઘણા વધારે પૈસા ડોશી પાસેથી લઈ લીધા. ડોશી કરગરીને કહે : અલ્યાભાઈ, આટલા બધા પૈસા નો થાય. પણ નૈગમે તો તેમને ન સમજ઼ાય એવું ઉલટપુલટ સમજાવી ડોશીને વિદાય કરી. ૪. ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy