SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ ] [ જેને પ્રતિભાદર્શન જીવ છે. એટલે મૂળ હાથી ઉપર ચડી ગર્જના કરતાં કહ્યું : હે મૈરિક! જરા તો સમજ. સમજણ વગરનાં આટલાં તપ-અનુષ્ઠાન નિષ્ફળ ગયાં. હવે અહીં તારું શું ચાલે એમ છે?' છેવટે ઇન્દ્રના પ્રતાપને ન સહી શકતો તેનાં વચન સાંભળી નમ્ર બન્યો અને તેમના કહ્યા પ્રમાણે વર્તવા લાગ્યો. ઇન્દ્ર બનેલા કાર્તિક શેઠનો જીવ એક અવતાર કરી મોક્ષે જશે. આ કથામાં કાર્તિક શેઠ રાજ આજ્ઞાથી પોતાના લીધેલ વ્રતને તથા સમ્યક્ત્વને બાધા પહોંચતી હોવા છતાં રાજ આજ્ઞાએ અનિચ્છાએ વર્યા. આ અંગે જાણવું જરૂરી છે કે જિનેશ્વર દેવોએ સમ્યક્ત્વના વિષયમાં અપવાદ માર્ગે છ આગાર બતાવ્યા છે. ૧. રાજાની આજ્ઞાએ. ૨. માતા-પિતાની આજ્ઞાએ. ૩. આજીવિકાના કારણે કોઈપણ સમૂહ કે પંચના આગ્રહથી. ૪. કોઈ દેવતાના દબાણથી. પ. કોઈ બળવાનના બળ-જોરથી. ૬. ગુરુની આજ્ઞાથી. એમ આ છ પ્રકારે આવતી અલનાની છૂટ રાખવામાં આવે છે. અર્થાત સમ્યક્ત્વની સ્વીકૃતિ વખતે આ છ આગારો મોકળા રખાય છે. આ આગારના હિસાબે અહીં કોઈ નિયમનો ભંગ થયો ગણાય નહીં. ( ગુણમંજરી ) પદ્મપુર નામના નગરમાં સિંહદાસ નામના એક શ્રેષ્ઠી રહેતા હતા. તેમને કપુરતિલકા નામની સ્ત્રી અને ગુણમંજરી નામે એકની એક પુત્રી હતી. શેઠ પાસે કરોડોની સંપત્તિ હતી. તેઓ જૈન ધર્મના દઢ અનુરાગી હતા. ગુણમંજરી વિનયવંતી અને રૂપવંતી હતી, પણ કર્મોદયે તે મૂંગી અને રોગી હતી. શેઠે ઘણા ઉપચારો કર્યા પણ મુંગાપણું ઓછું ન થયું. તે ધાર્મિક જ્ઞાન પણ ન પામી, કારણે તેનો ઘણો વખત ઉપચારો કરવામાં જ વ્યતીત થતો હતો. એકદા એ નગરમાં વિજયસેનસૂરિ નામના મહાજ્ઞાની આચાર્યશ્રી પધાર્યા. તેમના વ્યાખ્યાન સાંભળવા નગરજનો ઉમટી પડ્યા. સિંહદાસ પણ પરિવાર સાથે વ્યાખ્યાન સાંભળવા ગયા. આચાર્યશ્રીએ જ્ઞાન અંગે ઠીકઠીક સમજાવ્યું. પૂર્વભવના પુણ્ય હોય તો માનવીને રૂપ, ગુણ, સંપત્તિ, નિરોગી શરીર તથા ધર્મ કરવા અંગે સાનુકુળ સંયોગો મળે છે. શુભકર્મના ઉદયથી જીવ મોક્ષમાર્ગ તરફ આગેકૂચ કરે છે ને અશુભ કર્મના ઉદયથી જીવ દુ:ખ ભોગવતો દુર્ગતિમાં પડી ભવસાગરના ચક્કરમાં ડૂબી જાય છે. માટે જીવે કર્મબંધન કરતાં ખૂબ જાગ્રત રહેવું જોઈએ. વ્યાખ્યાન પૂરું થતાં સિંહદાસ શેઠે જ્ઞાની ગુરુને પૂછ્યું કે મારી આ દીકરી ગુણમંજરી કયાં કર્મોના ઉદયથી આવી મૂંગી અને રોગીષ્ટ છે? આચાર્ય મહારાજ અવધિજ્ઞાની હતા એટલે શેઠની વાત સાંભળી, ગુણમંજરીના પૂર્વભવ અંગે વિગતે કહ્યું કે, આ તમારી પુત્રી ગતભવમાં કરેલા અશુભ કર્મોનો વિપાક ભોગવી રહી છે. તેનો જીવ ખેટકપુર નામના નગરમાં જિનદાસ નામે એક શ્રીમંત શ્રેષ્ઠીની પત્ની હતી. સુંદરી એનું નામ હતું. સંસારસુખ ભોગવતાં તેને પાંચ પુત્રો અને ચાર પુત્રીઓ થઈ. તેઓ ખૂબ ધનવાન હોવાથી છોકરાઓને બહુ મોઢે ચડાવ્યાં હતાં. તેઓને ભણવા મૂક્યાં, પણ ધ્યાનથી ભણતાં ન હતાં અને નિશાળમાં પણ ઘણાં તોફાન-મસ્તી કરતાં હતાં. શિક્ષકો તેમને ઘણું સમજાવતાં પણ પત્થર ઉપર પાણીની જેમ તેમના ઉપર કોઈ અસર થતી નહીં. એક દિવસ તે બધા છોકરાઓને સોટીથી માર્યા. આ સોટી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy