SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ) [ ૨૬૯ તેથી બીજે દિવસે ત્યાં આવી ‘‘છઠ્ઠ તપ” હશે એમ ધારી પ્રભુ પ્રત્યે એવી અરજ કરી કે, “કૃપાવતાર! આજે મારે ઘેર પધારી મારું આંગણું પવિત્ર કરજો.” પણ ભગવંતે તો કંઈ હા કે ના--નો ઉત્તર આપ્યો નહીં. એમ દરરોજ નિમંત્રણા કરતાં ચાર માસ વહી ગયા. ચોમાસી પારણાના દિવસે તે મનમાં વિચારવા લાગ્યો કે આજે તો અવશ્ય પ્રભુને પારણું હશે જ, તેથી પ્રભુ પાસે આવી બોલ્યો કે, “દુર્વાર સંસારમય ધવંતરી દુઃખો જેમાંથી દૂર ન કરી શકાય એવા સંસારરૂપી રોગને દૂર કરવામાં સાક્ષાત્ ધવંતરી વૈદ્ય) જેવા હે પ્રભુ! કૃપામય! આ આપનાં લોચનથી મને જોઈ, આપ મારી અરજ અવશ્ય સ્વીકારશો. એમ કહી પોતાના ઘરે ગયો. વખત થતાં મધ્યાહ્ન કાળે હાથમાં મોતીનો ભરેલો થાળ લઈ પ્રભુને વધાવવા માટે ઘરના દરવાજા આગળ ઊભો રહી વિચાર કરે છે કે, “આજે જરૂર જગતબંધુ પધારશે. હું તેમને પરિવાર સહિત વંદન કરીશ. ઘરમાં બહુમાન સહિત લઈ જઈશ. ઉત્તમ પ્રકારનાં અન્નપાણી વહોરાવીશ. વહોરાવતાં શેષ વધેલું અન્ન હું મારા આત્માને ધન્ય માનતો ખાઈશ.” આવી રીતે મનોરથની ઉચ્ચ શ્રેણી પર ચડતો ગયો તેથી તેણે બારમા દેવલોકને યોગ્ય કર્મ ઉપાર્જન કર્યું. એ વખતે શ્રી મહાવીર પ્રભુ અભિનવ નામના એક શ્રેષ્ઠીને ઘેર વહોરવા જઈ ચડ્યા. તે શ્રેષ્ઠીએ નોકર પાસે ભગવાનને આહાર-પાણી વહોરાવ્યાં. આ દાનના પ્રભાવથી ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયાં (ફૂલની વૃષ્ટિ-વસ્ત્રની વૃષ્ટિ-સોનામહોરોની વૃષ્ટિ તથા દેવદુંદુભિ વાગે અને અહોદાન અહોદાન એમ દેવતા આકાશમાંથી બોલે એ પાંચ દિવ્ય કહેવાય). અહીં જીરણ શ્રેષ્ઠીએ ભાવના ભાવતાં દેવદુંદુભિ સાંભળી, તેથી તેણે વિચાર્યું કે ધિક્કાર છે મને હું અધન્ય છું, અભાગીયો છું, તેથી પ્રભુ મારે ઘેર ન પધાર્યા. આથી જીરણ શેઠનો ધ્યાન ભંગ થયો અને મનદુઃખ સાથે ભોજન કર્યું. - ત્યાર બાદ કોઈ જ્ઞાની ગુરુ તે નગરે આવ્યા. તેમને વંદન કરી રાજાએ કહ્યું કે, મારું નગર વખાવા લાયક છે કેમ કે પ્રભુ મહાવીરસ્વામીને ચોમાસી પારણું કરાવનાર મહા ભાગ્યશાળી અભિનવ શ્રેષ્ઠી અહીંયા જ રહે છે. એવા પુણ્યાત્માથી મારું નગર શોભે છે. જ્ઞાની ગુરુ બોલ્યા કે, એમ કહેવું યોગ્ય નથી. કેમ કે અભિનવ શેઠે તો દ્રવ્યભક્તિ કરી, પણ ભાવભક્તિ તો જીરણ શ્રેષ્ઠીએ કરી છે. તેથી તેણે અધિક પુણ્યવંત ગણવો જોઈએ. જીરણ શેઠે દેવદુંદુભિનો અવાજ જો થોડીક વાર સુધી સાંભળ્યો ન હોત તો એવી શ્રેણીએ પહોંચ્યો હતો કે તેને તરત જ કેવળજ્ઞાન થાત. રાજાએ આથી જીરણ શેઠની ભૂરી ભૂરી અનુમોદના કરી. જીરણ શેઠ કાળ કરી બારમા દેવલોકવાસી દેવ થયા. ત્યાંથી આવી અનુક્રમે મોક્ષસુખ પામશે. અરિહંતને સદેવ પ્રથમ નંબરે રાખનાર : અનન્ય જિનધર્મ શ્રદ્ધાવંત ( મહારાજા શ્રેણિક ) શ્રદ્ધા અવિહડ એહવી, ચોલ મજીઠનો રંગ; શ્રેણિક પદવી વીર સમી, પામશો સુખ અભંગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy