SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૬૭ આ ચાર ઇચ્છાઓ મંત્રીની સાંભળી સામંતોએ કહ્યું કે, ચારમાંથી ત્રણ તો તમારો મોટો પુત્ર બાહડદેવ જરૂર પૂર્ણ કરશે. પણ અત્રે જંગલ જેવી જગ્યામાં ધર્મ સંભળાવવા મુનિરાજ હોય તો તપાસ કરી જલદીથી લાવવા પ્રબંધ કરીએ. થોડેક દૂરના ગામમાં એક તરગાળો હતો તે બહુરૂપીના વેશ કાઢી ધન રળતો હતો, ત્યાં સૈનિકોએ જઈ તેની પાસે જૈન મુનિમહારાજની જરૂર છે તે જણાવ્યું. તે તરગાળો બોલ્યો, મને ચોવીશ કલાકનો ટાઈમ આપો. હું જૈન મુનિ વિષે બધું જાણી, જૈન મુનિનો વેશ જરૂર બરાબર ભજવીશ.'' ગમે તેમ તે રાત્રિ અર્ધભાનમાં અતિશય પીડાથી પીડાતા મંત્રીએ પસાર કરી. સવારે તરગાળો બરાબર સાધુમહારાજનો વેશ પહેરી, ઓધો, મુહપત્તી સાથે આવી પહોંચ્યો અને ‘ધર્મલાભ’ કહેતો ઊભો રહ્યો. કંઈક ભાનમાં આવતાં મંત્રીશ્વરે બેઠા થઈ સમગ્ર પ્રાણીઓને મનથી ખમાવ્યાં. કરેલાં પાપને નિંદતા તથા પુણ્યકરણીનું અનુમોદન કરતા મુનિરાજ પાસે ધર્મ સાંભળવા લાગ્યાં. ત્રણ વાર નવકાર મંત્ર સાંભળ્યો અને પહેલી તથા બીજી ગાથા ભક્તામર સ્તોત્રની મધુર સ્વરે ગાઈ. ભક્તામરની બીજી ગાથા પૂરી થતાં ‘સ્તોગ્યે કિલાહમપિત પ્રથમં જિનેન્દ્રમ્' બોલ્યા. તે વખતે મંત્રી ગુરુને વાંદતા હોય તેમ નમ્યા અને તેમનું પ્રાણ-પંખેરું ઊડી ગયું. સમાધિમરણ થતાં ઉદયન મંત્રી સ્વર્ગે ગયા. સામંતોએ સાધુના વેશવાળા તરગાળાને સુંદર રીતે સાધુનો વેશ ભજવવા બદલ સારો એવો પુરસ્કાર ધર્યો અને હવે સાધુવેશ તરત છોડી દેવા જણાવ્યું. પણ તે તરગાળો વિચારતો હતો કે, અહા! સાધુવેશનો મહિમા કેવો છે. હું ભિક્ષુક છતાં આ સૈનિકો વગેરે જેને સન્માને છે એવા મંત્રીશ્વરે મને વંદના કરી, તેથી આ વેશ હવે ના છોડાય. તેને સદ્ગુરુ પાસે જઈને વિધિપૂર્વક દીક્ષા લઈ, ખરેખર સાધુ બની સાધુવેશ શોભાવવાની ભાવના થઈ. તેણે પુરસ્કાર ન સ્વીકારતાં કહ્યું, મંત્રીશ્વરની આંખ મીંચાઈ પણ મારી આંખ ઊઘડી ગઈ. મારે તો સાચે જ દીક્ષા લઈ ભવ તરવાની એક માત્ર ઇચ્છા છે.' એમ કહી એક આચાર્યશ્રી પાસે દીક્ષા લઈ ગિરનાર પર્વત પર જઈ બે માસનું અનસન કરી કાળ કરીને દેવલોકે ગયો. મરણ વખતે મંત્રીશ્વરે બીજી જે ત્રણ ઇચ્છા કહેલી તે બાહડમંત્રીએ પૂરી કરી. શૈલક રાજર્ષિ અને પંથક મુનિ શૈલક રાજર્ષિ પાંચસો શિષ્યોની સાથે વિચરતા હતા. જ્ઞાન, ધ્યાન સાથે તે ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા. સતત આયંબીલ તપ કરતા હોવાથી અને લૂખું-સૂકું ભોજન કરવાથી તેમના શરીરમાં ‘દાહવર'નો રોગ થયો. પરંતુ તેઓને શરીર પર મમત્વ જ ન હતું. રોગ હોવા છતાં તેઓ દવા કરાવતા ન હતા. પાંચસો શિષ્યોના પરિવાર સાથે તેઓ શેલકપુર પધાર્યા, જ્યાં રાજા મંડુક રાજ્ય કરતાં હતા. તેઓ આચાર્યનાં દર્શન કરવા આવ્યા. દર્શન-વંદન કરી તેઓએ આચાર્યદેવની કુશળતા પૂછી અને જાણી લીધું કે, ગુરુદેવ દાહવરથી પીડાય છે અને શરીર સાવ કૃશ બની ગયું છે. રાજાએ આચાર્યશ્રીને વિનંતી કરી કે, ‘હે કૃપાવંત! આપ અહીં સ્થિરતા કરો. રોગની ચિકિત્સા કરવાનો મને લાભ આપો. આપ નીરોગી હશો તો અનેક જીવોને ઉપદેશ દ્વારા ઉપકારી થશો. માટે મારી પ્રાર્થના સ્વીકારો.'' મંડુક રાજાની આગ્રહપૂર્વકની વિનંતી શૈલકાચાર્યે સ્વીકારી અને રાજાની યાનશાળામાં સ્થિરતા કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy