SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૬૩ પણ જાઓ, પણ મારી વાચા ન જાઓ. આવું નીતિનું વચન છે, તેથી મેં જે વ્રત લીધું છે તેનો હું કદી પણ ભંગ કરીશ નહીં.” હવે શ્રીકાંત શેઠે આ વ્રત ગ્રહણ કર્યું. તથાપિ તેનો ચોરીનો સ્વભાવ તો ગયો નહોતો. તેથી એક વખતે શ્રીકાંત શેઠ ચોરી કરવા ગયો. ત્યાં માર્ગે નગરચર્યા જોવા નીકળેલા શ્રેણિક રાજા અને અભયકુમાર મળ્યા. તેમણે શ્રીકાંતને પૂછ્યું કે, “તું કોણ છે?” તેણે કહ્યું “હું પોતે છું.” ફરી પૂછ્યું કે “તું કયાં જાય છે?” શ્રીકાંતે કહ્યું કે, “રાજાના ભંડારમાં ચોરી કરવાને જાઉં છું.” પુનઃ પૂછ્યું કે “તું ક્યાં વસે છે?” શ્રીકાંતે કહ્યું કે, “અમુક પાડામાં વળી પૂછ્યું કે, “તારું નામ શું?” શ્રીકાંતે કહ્યું કે, “મારું નામ શ્રીકાંત છે.” તે સાંભળીને શ્રેણિક તથા અભયકુમાર આશ્ચર્ય પામ્યા કે, “ચોર આવી રીતે સાચું કહે નહીં, માટે આ ચોર જણાતો નથી.” પછી તેઓ આગળ ચાલ્યા. પાછા વળતાં પેલો શ્રીકાંત રાજાના ભંડારમાંથી પેટી લઈને જતો હતો. તેને પાછા શ્રેણિક તથા અભયકુમાર મળ્યા. તેણે પૂછ્યું કે, “આ શું લીધું છે?” શ્રીકાંતે કહ્યું કે, “રાજાના ભંડારમાંથી આ રત્નની પેટી લઈને ઘેર જાઉં છું.” આવું તેનું વાક્ય સાંભળી તેઓ રાજમહેલમાં ગયા. પ્રાત:કાળે ભંડારીએ ભંડારમાં ચોરી થયેલી જાણી, બીજી પણ કેટલીક વસ્તુઓ આઘીપાછી કરીને પછી પોકાર કરી કોટવાલને તિરસ્કાર સાથે ભંડારમાં ચોરી થયાનું કહ્યું. તે વાતની રાજાને ખબર થઈ એટલે તેણે ભંડારીને બોલાવીને કહ્યું કે, “કોશમાંથી શું શું ગયું છે?'' ભંડારીએ કહ્યું કે, “રત્નની દશ પેટીઓ ગઈ છે.” પછી રાજાએ મંત્રી સામું જોઈ પેલા શ્રીકાંતને બોલાવ્યો અને પૂછ્યું કે, “રાત્રે તે શું ચોર્યું છે? તે પૂછતાં જ શ્રીકાંતે જાણ્યું કે રાત્રે જે બે જણ મળ્યા હતા તે જ આ છે. તેથી તેણે કહ્યું કે, “સ્વામિન્! તમે શું ભૂલી ગયા? તમારા દેખતાં જ હું મારી આજીવિકા માટે એક પેટી લઈને જતો હતો.' શ્રેણિક રાજાએ કહ્યું કે, “અરે ચોર! તું મારી પાસે પણ સાચું બોલતાં કેમ ભય પામતો નથી?' શ્રીકાંત બોલ્યો કે, “મહારાજ! પ્રાજ્ઞ પુરુષોએ પ્રમાદથી પણ અસત્ય ન બોલવું જોઈએ, કેમ કે અસત્ય બોલવાથી પ્રચંડ પવન વડે વૃક્ષની જેમ કલ્યાણ (સુકત)નો ભંગ થઈ જાય છે. વળી તમે ક્રોધ પામો તો આ લોકમાં એક ભવના સુખનો નાશ કરો, પણ જો સત્ય વ્રતનો ભંગ કરું તો અનંત ભવમાં મને દુઃખ પ્રાપ્ત થાય.” આ પ્રમાણેના તેનાં વચનો સાંભળી રાજા શ્રેણિકે તેને શિક્ષા દીધી કે, “જેવું આ બીજું સત્ય વ્રત પાળે છે, તેવી રીતે બીજાં વ્રત પણ પાળ.” શ્રીકાંતે તે સ્વીકાર્યું, એટલે રાજાએ જૂના ભંડારીને રજા આપીને તે પદવી ઉપર શ્રીકાંતને રાખ્યો. અનુક્રમે તે મહાવીર સ્વામીના શાસનનો શ્રાવક થયો. આ પ્રમાણે શ્રીકાંત ચોરે જિનદાસ શ્રાવકના વાકયથી દઢતા વડે વચનરૂપ બીજું વ્રત લીધું તેવું પાળ્યું તો તેથી આ લોકમાં જ ઈષ્ટફળ પ્રાપ્ત કર્યું. તેથી ભવ્ય પ્રાણીઓએ જરૂર સત્યવ્રત ગ્રહણ કરવું. દુઃખને ઘોળીને પી જનારા : અઠ્ઠમ તપ પ્રેમી : જિનોપાસક : ધર્મરક્ષક (શ્રી નાગકેતુ) અંત સમયની ભાવના, પૂર્વભવની થઈ સાકાર; જન્મતાંજ અટ્ટમ કર્યો, નાગકેતુ કેવલી નમું સારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy