________________
૨૬ ૨
[ જૈન પ્રતિભાદર્શન
પ્રમાણે તમારો વ્યાપાર જોવામાં આવતો નથી; માટે સત્ય હોય તે કહો.” પછી શ્રીકાંતે જિનદાસ પારકું ગુહ્ય પ્રકટ કરે એમ નથી, એવી ખાતરી થવાથી પોતાના વ્યાપારની અને ચોરીની સત્ય વાત કહી. ત્યારે જિનદાસે કહ્યું, “હું તમારે ઘેર ભોજન કરીશ નહીં, કારણ મારી બુદ્ધિ પણ તમારા આહારથી તમારા જેવી થાય.” શ્રીકાંતે કહ્યું, “ચોરીના ત્યાગ વિના જે તમે કહો તે હું ધર્મ કરું.” - જિનદાસે કહ્યું કે, “ત્યારે તમે પ્રથમ અસત્ય બોલવું નહીં, તે વ્રત ગ્રહણ કરો. અસત્ય વિષે કહ્યું છે કે, ત્રાજવામાં એક તરફ અસત્યનું પાપ રાખ્યું અને બીજી તરફ બીજાં બધાં પાપો રાખ્યાં, તો પણ અસત્યનું પાપ અધિક થયું. જે કોઈ શિખાધારી, મુંડી, જટાધારી, દિગંબર કે વલ્કલધારી થઈ લાંબો વખત તપસ્યા કરે છે પણ જો મિથ્યા બોલે તો તે ચંડાળથી પણ નિંદવા યોગ્ય થાય છે. વળી અસત્ય તો અવિશ્વાસનું કારણ છે અને સત્ય વિશ્વાસનું મૂળ કારણ છે તથા સત્યનું અચિંત્ય મહાભ્ય છે. લોકમાં પણ કહેવાય છે કે, દ્રૌપદીએ સત્ય બોલવાથી આમ્રવૃક્ષને નવપલ્લવિત કર્યું હતું. તે વાર્તા નીચે પ્રમાણે :
હસ્તિનાપુરના રાજા યુધિષ્ઠિરના ઉદ્યાનમાં માઘ માસના વિષે એકદા અઠ્યાસી હજાર ઋષિઓ આવ્યા. રાજાએ તેમને ભોજનને માટે નિમંત્રણ કર્યું. ત્યારે તેઓ બોલ્યા કે “હે રાજ! જો તમે આમ્રરસથી ભોજન કરાવો તો અમે જમીશું, નહીંતર નહીં જમીએ.” એ સાંભળી રાજા યુધિષ્ઠિર ચિંતામાં પડ્યા કે, “આ આમ્રની ઋતુ નથી, તો અકાળે આમ્રફળ શી રીતે મળી શકે.” તેવામાં અકસ્માત નારદ મુનિ આવી ચડ્યા. તેણે રાજાની ચિંતા જાણીને કહ્યું કે, “જો તમારાં પટરાણી દ્રૌપદી સભામાં આવી, પાંચ સત્ય બોલે તો અકાળે પણ આમ્રવૃક્ષ ફળે.” રાજાએ એ વાત અંગીકાર કરી, દ્રૌપદીને સભામાં બોલાવ્યાં. નારદે સતીને પૂછ્યું કે, “હે સતી ! પાંચ પતિથી સંતોષ ધરાવનારાં એવાં તમે સતીપણું, સંબંધ, શુદ્ધપણું, પતિના પ્રેમ અને મનમાં સંતોષ એ પાંચ બાબત સંબંધી જે સત્ય હોય તે કહો.” દ્રૌપદી અસત્યથી ભય પામીને જે સ્ત્રીઓનું ગુહ્ય હતું તે સત્ય સત્ય રીતે કહેવા લાગ્યાં : “હે મુનિ! રૂપવાન, શુરવીર અને ગુણી એવા મારે પાંચ પતિઓ છે, તથાપિ કોઈ વાર છઠ્ઠામાં મન જાય છે. હે નારદ ! જ્યાં
ધી એકાંત, યોગ્ય અવસર અને કોઈ પ્રાર્થના કરનાર મળે નહીં ત્યાં સુધી જ સ્ત્રીઓનું સતીપણું છે. સ્વરૂપવાન પુરુષ પિતા, ભ્રાતા કે પુત્ર હોય તો પણ તેને જોઈને કાચા પાત્રમાંથી જલની જેમ સ્ત્રીઓનાં ગુપ્તાંગો ભીંજાયા કરે છે. હે નારદ ! જેમ વર્ષા ઋતુનો સમય કષ્ટદાયક છે, તથાપિ આજીવિકાનું કારણ હોવાથી સર્વને વહાલો લાગે છે તેમ ભરથાર ભરણપોષણ કરે છે તેથી સ્ત્રીને વહાલો લાગે છે, કાંઈ પ્રેમથી વહાલો લાગતો નથી. સરિતાઓથી સમુદ્ર તુપ્ત થતો નથી અને સર્વ પ્રાણીઓથી યમરાજ તૃપ્ત થતો નથી તેમ પુરુષોથી સ્ત્રી તૃપ્ત થતી નથી. હે નારદ ! સ્ત્રી અગ્નિના કુંડ સમાન છે, તેથી ઉત્તમ જનોએ સ્ત્રીઓનો સંસર્ગ છોડી દેવો.'
આ પ્રમાણે દ્રૌપદી પાંચ સત્ય બોલી, તેમાં પ્રથમ સત્યે આંબાને અંકુર થયા. બીજે સત્યે પલ્લવ થયાં, ત્રીજે સત્યે ટીસીઓ થઈ, ચોથે સત્યે મંજરી થઈ અને પાંચમાં સત્યે પાકા મધુર ફળ થઈ ગયાં. તે જોઈ સર્વ સભાસદો પ્રશંસા કરવા લાગ્યા, પછી તે આમ્રના રસ વડે યુધિષ્ઠિરે સર્વ મુનિઓને પારણું કરાવ્યું.
આ પ્રમાણે સત્ય વચનનો મહિમા લોકમાં અને શાસ્ત્રમાં વર્ણવેલો છે. એથી હે શ્રીકાંત શેઠ!! તમે પણ તે સત્ય વ્રત સ્વીકારો.” આ પ્રમાણે સાંભળી શ્રીકાંતે સત્ય વ્રત સ્વીકાર્યું. જિનદાસે કહ્યું, “શ્રેષ્ઠી જીવનની જેમ આ વ્રત યાવવિ પાળજો.' શ્રીકાંતે કહ્યું કે, ““રાજ્ય જાઓ અને આ નાશવંત પ્રાણ
ક8
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org