________________
૨૬૦ ]
[ જૈન પ્રતિભાદર્શન
પાંચ પક્વાન, ઘણાં શાકભાજી ઇત્યાદિ સુંદર પ્રકારની રસવંતી તૈયાર થઈ. સહુની સાથે ભોજન કરતાં કરતાં રાજાએ ખૂબ રસપૂર્વક પોતાની રસોઈની પ્રશંસા કરી. બધાએ રાજાની હા માં હા ભણી, પણ વિવેકશીલ અને ગંભીર એવા મંત્રીએ થોડી વાર પછી રાજાને જણાવ્યું : પ્રભુ! આપે કહ્યું તે બરાબર છે. પુદ્ગલના આ પ્રકારના સ્વભાવમાં કાંઈ પણ નવું નથી, છતાં આ બધી વસ્તુઓ એકાંતે સારી જ છે કે એકાંતે નબળી જ છે, એમ ન જ કહી શકાય. જે વિષય આજે મનોહર દેખાય છે, તે વિષય બીજી જ ક્ષણે ખરાબ બની જાય છે. જે પુગલો એક ક્ષણે શ્રવણને ગમે તેવા મધુર હોય છે. તે બીજી ક્ષણે શ્રવણને ન ગમે તેવાં કઠોર અને કટુ બની જાય છે. અને જે પુદ્ગલો આંખને અત્યંત પ્રસન્નતા આપનારાં હોય છે કે કોઈ વાર જોવાં પણ ન ગમે તેવાં થઈ જાય છે. સુગંધી પુલો કેટલીક વાર માથું ફાટી જાય એવાં દુર્ગધયુક્ત થઈ જાય છે; અને દુર્ગધી પુદ્ગલો હોય તે બીજી ક્ષણે બેસ્વાદ અને ચાખવા ન ગમે તે વળી કોઈવાર મધુર પણ થઈ જાય છે. જે પુદ્ગલોનો સ્પર્શ કરવાનું વારંવાર આપણને મન થાય તે જ પુદ્ગલો કેટલીક વાર અડકવા પણ ન ગમે તેવાં થઈ જાય છે. જ્યારે કેટલીક વાર એથી ઊલટું પરિણામ પણ આવે છે. એટલે અમુક વસ્તુ સારી અને અમુક વસ્તુ ખરાબ છે, એવો એકાંત નિયમ નથી. કેટલીક વાર સરસ વસ્તુ સંયોગોવશાત્ બગડી પણ જાય છે, અને ખરાબ વસ્તુ સુધરી પણ જાય છે. એ તો માત્ર પુગલોનો સ્વભાવ અને સંયોગની વિચિત્રતા છે.
વિવેકશીલ સુબુદ્ધિની આ તત્ત્વભરપૂર હકીકત જિતશત્રુને ગમી નહીં, કારણ કે તેના હૈયામાં હજુ મિથ્યાત્વ ઘેરાતું હતું, છતાં વધુ ચર્ચા ન કરતાં તે ચૂપ રહ્યો.
- એક વાર જિતશત્રુ રાજા ઘોડેસ્વાર થઈને મોટા પરિવારની સાથે નગરની બહાર એક ખૂબ દુર્ગધ મારતી ખાઈ આગળથી પસાર થઈ રહ્યો હતો. તેમાં રહેલા પાણીનો રંગ ઘણો જ ખરાબ હતો અને સડેલા મડદા જેવી ગંધ તેમાંથી આવી રહી હતી. સંખ્યાબંધ કીડાઓથી એ ગંદુ પાણી ખદબદતું હતું. ત્યાં તે પાણીની અસહ્ય દુર્ગધથી રાજાને નાક દાબવું પડ્યું હતું. આ દુર્ગધથી કંટાળી જરાક આગળ જઈ તેણે કહ્યું, “કેટલું ખરાબ છે આ પાણી. સડેલા મડદા જેવી ગંધ મારે છે, તેનો સ્વાદ અને સ્પર્શ પણ કેટલાં ખરાબ હોય?” રાજાની આ વાત પણ જ્ઞાતા અને દૃષ્ટા મંત્રી સિવાય બીજા બધાએ કબૂલ કરી. માત્ર સુબુદ્ધિ મંત્રીએ કહ્યું, “સ્વામિન્! મને તો આ વાતમાં કંઈ નવાઈ લાગતી નથી. મેં પહેલાં કહ્યું હતું તે પ્રમાણે આ બધી પુદ્ગલોના સ્વભાવની વિચિત્રતા જ છે.”
રાજા જિતશત્રુને કાંઈક ખોટું લાગ્યું. તેણે સુબુદ્ધિને કહ્યું : “તારો અભિપ્રાય બરાબર નથી. મને તો તારું કથન દુરાગ્રહ ભરેલું જ લાગે છે. જે સારું છે તે સારું જ છે અને જે ખરાબ છે તે ખરાબ છે. તેનો સ્વભાવ પલટાઈ જાય એવું તે કાંઈ બનતું હશે કે?' રાજાના કથન પરથી સુબુદ્ધિને લાગ્યું કે, “વસ્તુમાત્ર પરિવર્તનશીલ છે એ વાત રાજા જાણતો નથી; માટે મારે પ્રત્યક્ષ પ્રયોગ કરી બતાવીને જૈન સિદ્ધાંતમાં કહેલું વસ્તુનું સ્વરૂપ બરાબર સમજાવવું જોઈએ.
આમ વિચાર કરી મંત્રીએ બજારમાંથી કોરા નવ ઘડાઓ મંગાવ્યા અને પોતાના માણસો દ્વારા એ જ ગંદી ખાઈનું પાણી ગાળીને એ ઘડામાં ભરી મંગાવ્યું. ત્યાર બાદ તે ઘડાઓ સાત દિવસ સુધી બરાબર બંધ કરી મૂક્યા. ત્યાર બાદ નવા ઘડાઓમાં તે પાણી ગાળીને નંખાવ્યું તથા દરેકમાં તાજી રાખ નાખી. [ સાત દિવસ બાદ ફરી નવા ઘડા મંગાવી તેણે ફરી તેમાં રાખ નાખી એ જ પાણી ગાળીને નંખાવ્યું. આમ
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org