SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૫૫ ( સ્ત્રીને ઇચ્છતો નથી; ક્ષીરને મૂકીને ઘેસના અન્નની કોણ વાંછા કરે? જો આ ભવમાં તારા થકી પુત્રની પ્રાપ્તિ થશે તો ભલે; નહિતર પુત્ર વિના રહીશું.” સ્વામીએ આમ કહ્યું એટલે સુલસા ચિંતવવા લાગી. માણસને ધર્મ એ જ કલ્પવૃક્ષ છે, એ જ ચિંતામણિ છે અને એ જ કામધેનુ છે. માટે ધર્મ એ જ ઇચ્છિત ફળ પ્રાપ્ત કરવાનું એક માત્ર સાધન છે, એવો વિચાર કરીને સુલસા ધર્મકાર્યને વિષે વિશેષ તત્પર થઈ; જિનપૂજા કરવા લાગી અને ચતુર્વિધ આહાર સત્પાત્રને વિષે આપવા લાગી. વળી બ્રહ્મચર્ય, ભૂમિ ઉપર શયન અને આયંબિલનું તપ કરવા લાગી. એવામાં ઈદ્ર તેણીનું આવું સત્ત્વ અવધિજ્ઞાન વડે જાણીને, પોતાની સભામાં તેણીની પ્રશંસા કરી કે, “હમણાં મૃત્યુલોકને વિષે સુલસા નામની શ્રાવિકા છે તે એવી છે કે, તેણીને કોઈ ધર્મકાર્યથી ચલાવી શકે તેમ નથી.” - આ પ્રશંસા સાંભળીને હરિણેગમેષી દેવ સુલસાની પરીક્ષા કરવાને અર્થે સ્વર્ગથી બે સાધુઓનું રૂપ લઈને નાગરથિકને ઘેર આવ્યા. બે સાધુઓને આવતા જોઈને સુલસા હર્ષ પામી ઊભી થઈ અને સાધુ જાણી વંદન કર્યું, ત્યારે તેઓ બોલ્યા કે, શ્રદ્ધાળુ શ્રાવિકા! એક સાધુ માંદા થઈ ગયા છે, તેઓના શરીરે લગાડવા સહસ્રપાક નામના તેલની અમને જરૂર છે, તેની જોગવાઈ છે? તેણીએ હા કહી અને શ્રદ્ધાથી જ્યાં તેલની શીશીઓ રાખેલી હતી ત્યાં તે લેવા ગઈ. ત્યાંથી લઈને જેવી આપવા આવે છે તેવામાં દેવતાઈ માયાથી જમીન પર પડી શીશી ભાંગી ગઈ, ત્યારે સુલસા બીજી શીશી લેવા ગઈ. તે પણ આવતાં આવતાં ભાંગી ગઈ. એમ સાત શીશીઓ ભાંગી છતાં પણ તેણીનો તેવો ને તેવો જ ભાવ દેખી દેવતા પ્રગટ થયો અને અભિવંદન કરી બોલ્યો કે, “કલ્યાણી! તું ડરીશ નહીં. ઈંદ્ર મહારાજે તારા સત્ત્વની પ્રશંસા કરી, તેથી તારી પરીક્ષા કરવા હું સાધુનું રૂપ ધારણ કરી આવ્યો છું. તું ખરેખર સત્ત્વધારી છે. તારું સત્ત્વ જોઈ હું બહુ જ પ્રસન્ન થયો છું. માટે મારી પાસેથી તું કંઈ વર માંગ.' તેણીએ કહ્યું કે, “જો એમ છે તો મને પુત્ર થાય તેવું વરદાન આપો.” દેવતાએ ખુશીની સાથે તેણીને બત્રીસ ગોળીઓ આપી કહ્યું કે, આમાંથી એકેક ગોળી ખાવાથી એકેક પુત્ર થશે. એમ કહી તેલની શીશીઓ પાછી આખી કરી આપી દેવતા પોતાને સ્થાનકે ગયો. - હવે પ્રભપજામાં તત્પર એવી સલસા ભોગવિલાસ કરતાં કરતાં એકદા તુકાળ પ્રાપ્ત થયે છતે ધર્મશીલા સુલસા ધ્યાવા લાગી કે, મારે ઘણા પુત્રોને શું કરવા છે? જો એક જ પુન્યવાન અને સર્વજ્ઞની પૂજા કરનારો પુત્ર પ્રાપ્ત થાય, તો તે એકથીયે સુખ પ્રાપ્ત થશે. બત્રીશ પુત્રો થાય તેના મળ-મૂત્રાદિથી મને ધર્મકાર્યમાં બહુ વિઘ્ન નડે. માટે જો એક જ બત્રીસલક્ષણો પુત્ર થાય તો સારું. એમ વિચારી સુલસા પેલી બત્રીસે ગુટિકા એકી વખતે ખાઈ ગઈ! તેથી તેણીને બત્રીશ ગર્ભ એકસાથે પેટમાં રહ્યા, તેના ભારથી અસહ્ય વેદના થવા લાગી તેથી તેણીએ “હરિસેગમેષી” દેવના નામનો કાઉસગ્ન કર્યો, એટલે તે દેવ પાછો તેની પાસે આવ્યો. તેણે તેની વેદના હરણ કરી બંધ કરી)નાખીને કહ્યું કે, “તેં ઘણું જ અયોગ્ય કામ કરી નાખ્યું, કેમ કે તે બત્રીસ ગોળીઓ ખાધેલી હોવાથી તું બત્રીસ પુત્રો એકી વખતે જણીશ. એટલું જ નહીં, પણ તે બધાનું સરખું આયુષ્ય હશે તેથી તેઓ એકી વખતે બધા સાથે જ મરણ પામશે. ત્યારે સુલસા બોલી, “જીવ જે શુભાશુભ કર્મ બાંધે છે, તે તેને ભોગવ્યા વિના છૂટકો નથી.' હરિભેગમેષી દેવે પણ કહ્યું, બરાબર છે. ભવિતવ્યતાનું કોઈ ઉલ્લંઘન કરી શકે નહીં. સુલતાએ કહ્યું, હે હરિણેગમેલી! મારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy