________________
અભિવાદન ગ્રંથ |
[ ૨૪૫
પરમોચ્ચ અરિહંત ઉપાસિકા ( રેવતી સતી )
પ્રભુભક્તિ વૈયાવચ્ચે પ્રેમથી, સતી રેવતી ગુણખાણ;
થાશો તીર્થકર ભાવિમાં, સાચા તમે સુજાણ. પ્રભુ મહાવીર ઉપર ગોશાળાએ તેજલેગ્યા મૂકી તેથી પ્રભુને અસહ્ય વેદના થતી હતી. પ્રભુની આ વેદના જોતાં શ્રી ગૌતમસ્વામી, ચંદનબાળા અને અન્ય મુનિગણો પણ ઘણા જ વ્યથિત હતા; પણ સિંહ અણગાર તો પ્રભુની વેદનાની વાત સાંભળી અત્યંત દુઃખી બન્યા પ્રભુએ સિંહ અણગારની વેદનાને જાણી તેમને પાસે બોલાવ્યા. - સિંહ અણગારે કહ્યું : “પ્રભુ, આપની વેદના હું સહી શકતો નથી. કંઈક રસ્તો બતાવો કે જેથી આપને થતી વેદના ઓછી થાય. કોઈ પણ ઔષધ કહો તે લાવી આપીએ, પણ અમારા ઉપર કૃપા કરી પ્રભુ! ઔષધનો ઉપયોગ કરો.” પ્રભુએ કરુણાને લીધે પોતાની શાંતિ માટે નહીં પણ સિંહ અણગારની મન:શાંતિ માટે કહ્યું, “આ શ્રાવસ્તી નગરીમાં રેવતી નામે સતી છે. તેણે મારા માટે નહીં પણ તેના પોતાના માટે જ ઔષધ બનાવ્યું છે તે લઈ આવો.” સિંહ અણગાર તો શોધતા પહોંચ્યા રેવતીને ઘરે. રેવતીએ સિંહ અણગારને આવકાર આપી, આવવાનું કારણ પૂછ્યું. સિંહ અણગારે કહ્યું, “તમે જે તમારા માટે ઔષધ બનાવ્યું છે, તે આપો.” રેવતીએ આશ્ચર્ય સહ કહ્યું, ‘આવી ગૂઢ વાત કોણે જાણી?” સિંહ અણગારે કહ્યું, “પ્રભુ મહાવીરે. તેમની તેજોવેશ્યાને લીધે થતી વેદના દૂર કરવાની ભક્તિનો લાભ લેવા માટે તમે બનાવેલ બીજોરાપાક વહોરાવો જેથી પ્રભુને થયેલ દાહ તથા અતિસારનો રોગ મટે.” રેવતીએ અત્યંત ભાવપૂર્વક એ પાક વહોરાવ્યો અને પોતાને ધન્ય માનવા લાગી : હું કેવી ભાગ્યશાળી! ખુદ પરમાત્માના રોગની શાંતિ માટે મારી દવા કામમાં આવી. આવી શુભ ભાવના ભાવતાં અને પ્રભુ ઉપરની ભક્તિને લીધે તેણીએ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું.
પ્રભુ મહાવીરને એ ઔષધથી આરોગ્ય પ્રાપ્ત થયું અને રેવતીના દાનને લીધે રેવતીનો જીવ આવતી ચોવીસીમાં સત્તરમા સમાધિ નામના તીર્થંકર થશે.
સુપાત્ર દાનધર્મ-પ્રેમી શ્રાવિકા
( અંબિકાદેવી ) ગિરનાર પર્વત પાસે એક નાનકડું ગામ. તેમાં એક બ્રાહ્મણ કુટુંબ વસે. દેવભટ્ટ નામના વડીલ મૃત્યુ પામ્યા હતા. તેમની વિધવા પત્ની દેવીલા પોતાના પુત્ર સોમભટ્ટ સાથે રહેતી હતી. સોમભટ્ટના વિવાહ અંબિકા નામની એક જૈન કન્યા સાથે થયા હતા. અંબિકાને જન્મથી જૈન ધર્મ મળ્યો હતો. જૈન સંસ્કાર હોવાથી દાન-ધર્મ બહુ વહાલો હતો. ઉપરાંત પરણ્યા બાદ સોમભટ્ટ સિવાય કોઈ પુરુષને રાગદૃષ્ટિથી જોયો ન હતો, એવી સત્ત્વશીલ સ્ત્રી હતી. સોમભટ્ટને શ્રાદ્ધના દિવસો ઉપર શ્રદ્ધા હતી. પોતાના પિતાના
જૈ. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org