________________
૨૪૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
શ્રાવક જિનદાસે કહ્યું કે, જિંદગીનો એક મનોરથ છે કે ચોરાશી હજાર સાધુ મારા ઘરે પારણું કરે. ત્યારે વિમળ કેવળીએ કહ્યું, ‘એ વાત બનવી સંભવિત લાગતી નથી. કારણ, એટલા તપસ્વી સાધુઓ ચાંથી આવે? તેમને સુજતો આહાર ચારે વોહરાવાય? પણ એટલું જ ફળ મળે એવો એક રસ્તો છે ખરો--જો તમો કચ્છ દેશમાં જઈ ત્યાં વિજય શેઠ ને વિજયા શેઠાણી વસે છે તેઓ ભાવિમાં દીક્ષા ગ્રહણ કરવાનાં છે; તેમને ભોજન કરાવો તો ચોરાસી હજાર સાધુને પારણું કરાવ્યાનું ફળ તમને મળી શકે.' એથી જિનદાસે કેવળીને પૂછ્યું : ‘અહો! એવા તે તેમનામાં કયા ગુણ છે?' કેવળીએ કહ્યું, અનંત ગુણોથી ભરેલાં તેઓ છે. એકબીજાએ શુક્લ પક્ષ અને અંધારા પક્ષમાં ચોથું વ્રત પાળવાનો નિયમ લીધેલો હોવાથી શુદ્ધ રીતે તેઓ શિયળવ્રતનું પાલન કરે છે. કેવળીના મુખે આ વાત સાંભળી જિનદાસ શ્રાવકે કચ્છ દેશમાં આવી, આ શ્રાવક-શ્રાવિકાને શોધી, તેમને વંદન કરી, કેવળીમુખે સાંભળેલી વાત જાહેર કરી અને માતાપિતાએ આ વ્રતની વાત જાણી એટલે વિજય શેઠે અને વિજયા શેઠાણીએ દીક્ષા લીધી. અને અષ્ટ કુર્મ ખપાવી કેવળજ્ઞાન પામ્યાં.
મન વચ કાયા અખંડિત નિર્મળ શીલ પાળી સો જાણી; વિમલ કેવળી કરી પ્રસંશા એ દોનું ઉત્તમ પ્રાણી.
શ્રી શત્રુંજયતીર્થ નલિનીગુલ્મ દેવવિમાનના આકારે શ્રી સિદ્ધાચલ ગિરિરાજ ઉપર વિજયશેઠ અને બનેલી શેઠ મોતીશાની ટૂંકનું મનોહર ચિત્ર
વિજયા શેઠાણીની ઉભી મૂર્તિઓ.
પ. પૂ. આ.શ્રી ગુણરત્નસૂરિજી મ.સા. લિખિત ‘“સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ’’માંથી સાભાર]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org