________________
અભિવાદન ગ્રંથ ]
[ ૨૩૫
E
બોલે છે. તેમનાં દર્શનથી હર્ષ પામેલા દેવતાઓ મેઘની ગર્જના જેવા સિંહનાદો કરે છે.
ભરત મહારાજાનું આવું કથન સાંભળી, મરુદેવી અતિશય આનંદમાં આવી ગયાં અને આનંદાશ્રુ વડે તેમની દૃષ્ટિમાં પડેલાં પડળ ધોવાઈ ગયાં. ઋષભદેવનાં તીર્થંકરપણાની લક્ષ્મી પોતાનાં નેત્રો વડે જોઈ તેમાં તે તન્મય થઈ ગયાં અને તત્કાળ ક્ષપકશ્રેણીમાં ચડતાં આઠે કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી તે જ વખતે આયુષ્ય પૂર્ણ થવાથી મોક્ષે સિધાવ્યાં.
મનમેં હી વૈરાગી (ભરતેશ્વર અને બાહુબલી )
ભરત મહારાજા ઋષભદેવ ભગવાનના પુત્ર અને મહાન ચક્રવર્તી હતા. શત્રુજય કલ્પવૃત્તિ ગ્રંથના અનુસાર તેઓએ પૂર્વભવમાં શત્રુંજયનો મહિમા સાંભળી અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી શત્રુંજય ગિરિરાજ ઉપર તીર્થકરોને વંદન ન કરું ત્યાં સુધી બે ટંક ભોજન અને એક જ વિગઈ વાપરીશ--તેમ જ તેમણે આ અવસર્પિણી કાળમાં શત્રુંજય મહાતીર્થનો પ્રથમ ઉદ્ધાર કરાવ્યો હતો. અહીં તેઓ છ'રીપાલક યાત્રાસંઘ લઈને પણ આવ્યા હતા અને પછી અનિત્ય ભાવના ભાવમાં ઘાતકર્મોના ભુક્કા બોલાવી આરીસાભવનમાં જ કેવળજ્ઞાન પામ્યા અને મોક્ષે ગયા.
વીરા મારા ગજ ચકી ઊતરો, ગજ ચઢે કેવલ ન હોય રે...” ત્યારે બાહુબલી અહંકાર છોડી કેવળજ્ઞાની લઘુબંધુ મુનિવરોને વંદન કરવા પગ ઉપાડે છે તેટલામાં તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
“પૂર્વભવીય સાધુ સેવાએ, બન્યા બાહુમાં બલી, પણ અટકી ગયા ભરતને બનાવતા એનો બલી; સાધુ બની હારીનેય આપ જીતી ગયા,
ઘન્ય આપને હે ઋષભપુત્ર બાહુબલી!” શત્રુંજય ગિરિરાજ ઉપર સં. ૧૯૮૫માં ભરત મહારાજાનાં પગલાંની સ્થાપના થયેલ છે. શત્રુંજય ગિરિરાજ ઉપર અનેક પુણ્યવંતાં શ્રાવકરત્નોએ ભક્તિભાવથી મૂર્તિઓ અને મંદિરોનું જે ભવ્ય નિર્માણ કર્યું છે તે ખરેખર અદ્ભુત છે. આ બધી વિગતો હમણાં પ. પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી મહારાજશ્રીએ પ્રગટ કરેલ “સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ' પુસ્તક સૌ કોઈએ નજર કરી જવા જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org