________________
૨૦૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
શરીરની ચાકરી કરીને અનન્ય બળ ઉપાર્જન કર્યું. પણ આ પૂર્વે પાળેલ સાધુપણું અને મોક્ષમાર્ગની વિશુદ્ધ આરાધનાનું બળ તેમને બાહુબલીના ભાવમાં પણ ચારિત્રના પરિણામને દેનારાં થયાં. એક વખત પણ વિશુદ્ધ ભાવથી કરાયેલી સંયમની સ્પર્શના બાહુબલીને યુદ્ધભૂમિમાં વૈરાગ્યદાતા બનાવી ગઈ. નહીં તો ક્યાં ચક્રવર્તીનું બળ? કયાં ચક્રવર્તીનું સૈન્ય? કેટલા દેવતા અને સુભટોની સહાય? છતાં બાર-બાર વર્ષ પર્યન્ત યુદ્ધમાં જીતી ન શકયા? અરે! ખુદ ચક્રવર્તી પણ જે સામાન્ય મનુષ્યને હરાવી ન શકયા એટલે જેમનું બાહુબળ હતું—પણ ના! આ બાહુબળની પ્રાપ્તિ આરાધક એવા વૈયાવચ્ચ ભાવની હતી. સુવિશુદ્ધ સંયમ આરાધનાની ઝળહળતી જ્યોતના પ્રકાશમાં આ એક પ્રાગૈતિહાસિક પ્રતિભાનું તેજ દેદીપ્યમાન બન્યું હતું. માટે જ તે મોક્ષમાર્ગનો પુરુષાર્થી યુદ્ધભૂમિમાં યોદ્ધો મટીને સંત બની ગયો. ક્રોધાગ્નિને ક્ષમાના વારિથી શીતળ બનાવી દીધો. પરિગ્રહના પાપને ઠેલીને એક જ સ્થાને કાયોત્સર્ગસ્થિત કરી દીધા. બધાં પાછળ બસ એક જ ચિતનીય તત્ત્વ--“કારણ કે તે સાધુ હતા.”
( સુંદરી ) આપણી એક અભિનવ ચિંતનયાત્રા ચાલી રહી છે, તેમાં મહાસત્ત્વશાળી નરરત્નો જ નહીં, મહાસતીરૂપ આર્યા કે નારીરત્નોની ઝાંખી પણ કરી લઈએ. ‘‘કારણ કે તે સાધુ હતા' માઈલસ્ટોનનું ત્રીજું પાત્ર છે “સુંદરી.”
ચક્રવર્તી જેવો રાજવી જેની સાથે પરણવાના કોડ માંડીને બેઠો છે, છતાં જેને આવા સ્વરૂપવાન રાજવીનો મોહ નથી, તેના છ ખંડના રાજયની જેને સ્પૃહા નથી, ૯૬ કરોડ પાયદળની જેને તમા નથી. આ સર્વે ઋદ્ધિ-સિદ્ધિ જેને હીણ સમાન ભાસે છે, એવી આ સુંદરીના અભુત પાત્રમાં ઝળકતો વૈરાગ્ય જોઈને થાય કે આ નારીરત્નમાં આવો ઉચ્ચતમ ભાવ આવ્યો ક્યાંથી?
અરે! ચારિત્રપ્રાપ્તિ માટેનો તેણીનો પુરુષાર્થ તો જુઓ!
સુંદરીના રૂપમાં દીવાનો બનેલ ચક્રવર્તી ૬૪000 કન્યાને પામ્યા પછી પણ સુંદરી સાથે વિવાહના ભાવોને મનોભવનમાં ધારણ કરીને બેઠો છે ત્યારે આ તરફ સુંદરી આયંબિલનો તપ આદરીને બેઠી છે. તે આયંબિલ તપ પણ એક દિવસ એક અઠવાડિયું-એક માસ કે એક વર્ષ નહીં, પૂરાં સાઈઠ હજાર વર્ષ સુધી. સાઈઠ-સાઈઠ હજાર વર્ષના તપ પણ શેના માટે? મારા રૂપ અને યૌવનનો મોહ ચક્રવર્તીને છે માટે ચારિત્ર લેવા રજા નથી આપતો ને? તો ખત્મ કરી દો આ રૂપ-ચૌવનને. ચારિત્રના માર્ગે વિઘ્નરૂપ બનતું શરીર ન જોઈએ. ન જોઈએ આ રૂપ, જે મને સંયમ અંગીકાર કરવામાં બાધારૂપ બની જાય છે.
કયાંથી આવ્યાં આ પરિણામ કે જે સ્ત્રીને રાજસુખ-વૈભવ-લક્ષ્મી-ભોગ-વિલાસ-રિદ્ધિ અને ખુદ પોતાના શરીરની સ્પૃહાનો પણ ત્યાગ કરાવી દે? બસ એક જ કારણ---“કારણ કે તે સાધુ હતા.'
પૂર્વે પાંચમા ભવમાં ગુણાકર નામે શ્રેષ્ઠીપુત્ર છે. તે ભવમાં ઉગ્ર તપસ્વી એવા ગુણાકર મુનિની નિર્મળ વૈયાવચ્ચ કરીને પ્રવ્રયા અંગીકાર કરેલી. સુંદર ચારિત્રપાલન કરીને અમ્રુત દેવલોકે ગયા. ત્યાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org