SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ] || જૈન પ્રતિભાદર્શન આવી રાવણ જેવા શૂરને પણ ઝપાટામાં લઈ ધારદાર નખોથી છાતીમાં. પ્રહારો કરી દીધા. રાવણે પણ તેની બેઉ પાંખો ખગ વડે કાપી નાખીને પૃથ્વી ઉપર પછાડી દઈ સ્વયં સીતા લઈ ભાગ્યો. સીતારક્ષા માટે જાનફેસાની કરનાર આ જ જટાયુને શ્રીરામે મૃત્યુવેળા નિકટ જાણી નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો અને અંતકાળની સમાધિ અપાવી. દેહ ત્યાગ થયો અને તે સાથે જ જટાયુ નવકાર પ્રભાવે પાંચમા દેવલોકનો દેવ બની ગયો. ' (૨) પુણ્યશાળી પોપટની પ્રગતિ નગર હતું કલ્યાણ કટક ને રાજા બલ્લોલ. તેના મંત્રી સત્યકીની પુત્રી વિદ્ય—ખીને એક પોપટના જીવ સાથે પ્રાણ-પ્રીતિ થઈ જવા પામેલ, જેથી નિત્ય હથેળીમાં રાખી તેને રમાડતી. નમ્રતા અને નર્મતા દેખી તે પોપટનું નામ રાખ્યું નર્માકર. એક દિવસ વિદ્યુમ્મુખી પોપટ સાથે પ્રભુ આદિનાથના જિનાલયે દર્શન કરવા ગઈ અને તેણીની પૂજાવિધિ જોઈ જાણી પોપટે પણ મનોમન સંકલ્પ કર્યો કે નિત્ય પ્રભુદર્શન કરવાં. પણ તેના મનનો વિચાર મનમાં જ રહ્યો અને અતિ ચપળ-ચંચળ ને ચબરાક હોવાથી મંત્રીપુત્રી બીજે દિવસે તેને લીધા વગર જ દહેરે ગઈ. પૂજા કરી પાછી વળીને પોપટને પિંજરમુક્ત કરી આહાર આપ્યો. પણ પોપટ તો પાંખો ફફડાવી ઊડ્યો અને જિનાલયે જઈ પ્રભુનાં દર્શન-વંદન-અર્ચન કરી પાછો આવ્યો. પ્રથમ વાર પોતાની પાસેથી ઊડી ગયેલ પોપટના વિરહમાં પાગલ બની ગયેલી મંત્રી-પુત્રી અધીરી બની ગઈ. રાગ દ્વેષમાં ફેરવાઈ ગયો. રખે પોપટને બાજબિલાડા, ગીધ કે હિંસક પ્રાણી-પક્ષીઓ મારી નાખે તેવા ભયમિશ્રિત ભાવમાં ભયંકર બની વિદ્ય—ખીએ પોતાના હાથે જ પોપટની પાંખો છેદી નાખી. લાચાર બની ગયેલ પોપટે પણ રૂસણાં લીધા અને આહારત્યાગ કરી દીધો, મોન સાથે આદેશ્વર પ્રભુનું સ્મરણ કરવા લાગ્યો. પંખીના તુચ્છાવતારમાં પણ દર્શન-પ્રતિજ્ઞાની ટેક રાખી ત્રણ દિવસ ભૂખ-તરસ સહન કરી પ્રાણનો ત્યાગ કરી નાખ્યો, પણ હૈયામાં હિતકારી પ્રભુ-ભક્તિ વસેલી હતી તેથી તરત પછીના જ ભવમાં જવાલપુરમાં શંખ નામે રાજાનો ભવ મળ્યો. આ તરફ પ્રાણ-પ્યારા પોપટના પ્રાણત્યાગ થતા પશ્ચાત્તાપ પામેલી મંત્રીપુત્રીએ પણ ભાવાવેશમાં અગ્નિસ્નાન કરી નાખ્યું ને મરણ પછી તો તેણીનો ભવ દર્શાણ રાજાની પુત્રી કલાવતી રૂપે થયો. શંખ અને કલાવતી કુદરતના ક્રમે પરિચયમાં આવ્યા ને પ્રીતિ થઈ, પતિ-પત્ની બન્યાં, ધર્મારાધના વડે પ્રગતિ સાધી ગયાં. ક્રમે મોક્ષે ગયાં છે. (૩) અધિષ્ઠાયક કલિકુંડનો જંગલમાં જન્મ પણ જંગલીપણાથી મુક્ત વિરાટકાય તે હાથી કલિકુંડ તીર્થનો અધિષ્ઠાયક દેવ બની ગયો, તે પ્રગતિકથા પણ ન્યારી છે. પૂર્વભવમાં તે હાથીનો જીવ વામનકાય હતો. ઠીંગુજી તરીકે બદનામ, આત્મહત્યાના પાપથી બચી જઈ જૈન મુનિના સંપર્કથી સાધુતા પામ્યો. ઉગ્ર તપ આદર્યો પણ અજ્ઞાન દશામાં તપનું ફળ વિશાળ કાયા માટે નિયાણું કરી નાખ્યું. જેથી વિરાટ હસ્તિનો ભવ મળ્યો, અને કાદંબરી અટવીમાં મસ્ત બની વિચરણ કરવા લાગ્યો. જોગાનુજોગ ત્રેવીસમા તીર્થંકર પ્રભુ પાર્શ્વનાથજી તે વનમાં પધાર્યા. કલિ નામના પર્વતની બાજુમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy