________________
૧૫૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
લાખથીય વધુ મુકુટધારી રાજાઓના માનભંગ કરનાર બન્યા. અંતે પાછા વળતાં મનઃદુઃખના પ્રસંગે પાંડવોએ શ્રીકૃષ્ણની દેશપારની સજા ભોગવી ત્યારે પાંડવોએ મળેલ રાજસુખનો ત્યાગ કરી વૈરાગ્યવંત બની પ્રવ્રજ્યા પંથ લીધો ને આત્મકલ્યાણ સાધી લીધું. આમ ધર્મયુદ્ધના પક્ષપાતીઓ જીવનના છેવાડે પણ સંસાર અસાર જાણી કર્મયુદ્ધના લડવૈયા બની વિજેતા બન્યા છે.
૮. નવકાર ચમત્કાર
ભીલના ભવમાં ભૂલા પડેલા જૈન મુનિવરોને માર્ગદર્શન કરાવી વળત૨માં તે જ ભીલ યુગલ ધર્મનો સાર નવકાર મેળવી ગયું. પખવાડિયામાં એક વાર અખંડ જાપની પ્રતિજ્ઞા કરી, આચરી ચાલુ નવકાર જાપ વખતે જ સિંહ ત્રાટક્યો અને દંપતી મૃત્યુ પામ્યાં, પણ દેવલોકે ગયાં. પ્રથમ દેવલોકથી આવી રાજારાણી બન્યાં, પછી પૂર્વ સંસ્કારોથી હિંસાનું આચરણ કરી જો કે એકવાર છઠ્ઠી નરકે ગયા પણ પછીનો ભવ માનવગતિમાં થયો. જૈન મુનિવરોને પ્રતિલાભી પાંચમો દેવલોક મેળવ્યો તે પછીના ભવમાં ફરી શ્રેષ્ઠીપુત્ર-પુત્રવધૂ બની આરાધના કરી, પણ ભીલના ક્ષુલ્લક ભવમાં મળેલ નવકાર ફળતો જ ગયો ને ત્રેવીશમા તીર્થંકર પાર્શ્વપ્રભુનો ભેંટો કરાવ્યો. તેઓશ્રી પાસેથી વિગ્રહ, વિનાશ, વિરહ, વેદનાનું કારણ જાણી હિંસા ત્યાગી અને આગળ પ્રગતિ સાધતાં આઠમા દેવલોક પછી ચક્રવર્તીનો ભવ લઈ બેઉ આત્માની મુક્તિ પણ પ્રભુશ્રીના શ્રીમુખે સાંભળી સૌએ નવકાર ચમત્કાર વિશે શ્રદ્ધા વધારી.
૯. અલિપ્તાત્મા
જેનું અપર પણ મૂળ નામ લેપ શ્રેષ્ઠી હતું, તે ગાઢ મિથ્યાત્વમાં રાચતો હતો. પણ પુણ્યોદય થતાં જ જૈન મિત્ર જિનદત્તની પ્રેરણાથી સાક્ષાત વિચરતા પ્રભુ વીરના સંપર્કમાં આવ્યો. પ્રભુ વીરને સત્ય ધર્મ વિષયક પ્રશ્નો કર્યા જેના જવાબમાં પરધર્મસહિષ્ણુતાનો પરિચય કરાવી પરમાત્માએ શુભ માર્ગ અને શુદ્ધ માર્ગ વિષે ભેદરેખાઓ સમજાવી. પુણ્ય-પાપની ચતુર્થંગીઓ પ્રકાશિત કરી. આધિભૌતિક-દૈવિક ને આધ્યાત્મિક વિશ્લેષણો કરી આપ્યાં. આમ લેપ શ્રેષ્ઠીની જિજ્ઞાસાઓ તોષી-સંતોષી અંતે તેનામાં પણ વિરાગનો ચિરાગ પ્રગટાવી દેવામાં પ્રભુ સફળ રહ્યા ને લેપ શ્રેષ્ઠીએ સર્વવિરતિ માર્ગને પસંદ કર્યો. પૂર્વગુરુ શિવભૂતિની ભક્તિની વિભક્તિ કરી, સુંદર ધર્મારાધનાના બળે કેવળજ્ઞાન મેળવી સિદ્ધપદની પણ સિદ્ધિ કરી લીધી.
૧૦. વ્રતની સાર્થકતા
યમ-નિયમના બે પાટા ઉપર જેની જીવનગાડી દોડે છે તે જીવમાં સંયમ ગુણ શનૈઃ શનૈઃ પણ પ્રગટી જ જાય છે. જૈનમાર્ગી વ્રત-પચ્ચખ્ખાણ અને ગુરુમુખે ઉચ્ચરેલ પ્રતિજ્ઞાઓનો પ્રગટ પ્રભાવ જ એવો હોય છે કે તે બાધાઓને નિર્બાધા સાથે પાલન કરી કષ્ટો વચ્ચે પણ અડગ રહેનાર જબ્બર ઇનામ મેળવી જાય છે. શ્રીપતિ શ્રેષ્ઠીનો પુત્ર કમળ નામથી હતો પણ પથ્થર જેવો કઠોર પણ. મશ્કરા સ્વભાવમાં શુક્લ ને કૃષ્ણપક્ષ છોડી જૂઠું ન બોલવું, આખું નાળિયેર મોઢામાં નહિ મેલવું, છાણ ન ખાવું—આવી પ્રતિજ્ઞાઓ માંગનારો અંતે સીમલા કુંભારની ટાલ જોયા વગર ન ખાવાની પ્રતિજ્ઞા લઈ બેઠો, જેને અખંડ પાળી તો ધનનો લાભ થયો, પછી ગંભીરતા આવી, ધર્મનો સાર સમજાયો. યુવાનીમાં જ બાવ્રતધારી બની ગૃહસ્થાવસ્થાની દેશવિરતિ થકી જ દેવલોક મેળવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org