SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ] [ જૈન પ્રતિભાદર્શન સતી સીતા જેવી માનતો રાજા તે રાત્રે માઠા વિચાર કરી ચેલણા માટે વિચારવા લાગ્યો કે “મારી આ પ્રિયતમા પરપુરુષમાં મન પરોવી બેઠી છે માટે જ તેના હૈયામાં રહેલું ભૂલમાં ઊંઘમાં જ હોઠે ચડી આવ્યું છે. સ્ત્રી એટલે માયાની મૂર્તિ, નરી નાગણ અને પાપરાશિનો જાણે જવલંત પૂંજ, આવી નારીને તોષી-સંતોષી એક સ્તંભવાળો અનોખો મહેલ, અનોખી સગવડ વગેરે આપી હું સ્વયં મૂર્ખ બન્યો છું. ધિક્કાર છે આવી કુલટાઓને!” વિશ્વાસભંગ પામેલો શ્રેણિક ક્રોધાવેશમાં ચલણા પ્રતિ અનર્થ જ કરી બેસત; પણ ધૈર્ય ધારી બીજા દિવસ સુધી વાટ જોતો રહ્યો અને સ્વયંની શંકાનાં સમાધાન મેળવવા પરમ ગુરુ પ્રભુ વીરને જ પ્રશ્ન કરી બેઠો. પરમાત્માએ સુખદ સમાધાન આપ્યું, “હે શ્રેણિક! મહારાણી ચેલ્લણા મહાસતી છે. નિષ્કલંક તેનું જીવન છે. રાત્રિની ઘટનામાં બોલાયેલા શબ્દો તે તો ગઈ કાલે અત્રે આવતી વખતે ત્યાગી-વૈરાગી જિનકલ્પી સાધુની ઘોર સાધના દેખી જાગેલ બહુમાનના કારણે બોલાયેલ શબ્દો હતા, ન કે રાગદશાના. તારી ધર્માત્મા રાણી જાગતાં પણ ધર્મનો આદર કરે છે અને સ્વપ્નમાં પણ ધર્મને યાદ કરે છે. માટે હે રાજન! ચલ્લણાના સતીત્વમાં કરેલી શંકા છે તો કોરી કલ્પનાના કોતરકામ જેવી જાણવી. તે તો ચરમભવી આત્મા છે.” આટલો ખુલાસો જ પર્યાપ્ત હતો. શ્રદ્ધાવાન શ્રેણિકને પોતાના પાપવિચારનો ઘોર પશ્ચાત્તાપ થયો અને એટલું જ નહિ પણ ચેલ્લણા પ્રતિનો પ્રેમ પ્રશસ્ત બની પારાવાર બની ગયો; કારણ કે તે સ્વયં પણ સદાચારનો ચુસ્ત હિમાયતી હતો. (૬) પરોપકારની પરાકાષ્ઠા સદાચાર-શીલની રક્ષા માટે રાજા દધિવાહનની રાણી ધારિણીએ પ્રાણ ત્યજી દીધા પણ રાજકુળની ખાનદાનીને ખેદાનમેદાન થવા ન દીધી. તેવા કપરા સમયે સાવ એકલી અટુલી પડેલી રાજપુત્રી વસુમતીએ પણ સહન કરવામાં કશુંય બાકી ન રાખ્યું. શતાનિકના સુભટને ખ્યાલ તો આવી જ ગયો હતો કે ચંપાપુરીને જીતવી સહેલી હતી, પણ ત્યાંના રહેવાસીઓનાં મન જીતવા મુશ્કેલ હતાં. પોતાના પાપવિચારના નિમિત્તે મૃત્યુ પામેલી રાણીની પુત્રીની રક્ષા કરવા ઘેર લાવ્યો તો સુભટની પત્ની જ નાખુશ થઈ, તેથી ગમે તેમ વસુમતીને વળાવી દેવા સૈનિક ચાર રસ્તે લઈ આવ્યો અને એક સન્નારી સમી રાજકન્યાને વેચવા મૂકી. ખરીદવા વેશ્યાઓ વચ્ચે હોડ ચાલી ત્યારે વસુમતીએ સ્પષ્ટ કહી દીધું કે ભલે તેને કોઈ પણ ખરીદે; પણ કોઈ સંજોગોમાં પણ વેશ્યાવાડે તો નહિ જ જાય. ઝપાઝપીમાં વસુમતીના શીલ પ્રતાપે વૃદ્ધ વેશ્યાનું નાક ભાંગી ગયું અને બીજી વેશ્યાઓ ગભરાઈને નાસી ગઈ. ત્યારે રક્ષા કરેલ ધર્મ જ રક્ષણ કરવા આવ્યો હોય તેમ સદાચારી શ્રેષ્ઠિ ધનાવહે જ નિઃસ્વાર્થભાવે કુળવાન કન્યાને મોં-માગ્યું મૂલ્ય ચૂકવી સંકટમુક્ત કરી. ઘરમાં લાવી પોતાની પુત્રીની જેમ સાચવી. સુકુમાર અને સુલક્ષણા ચંદના ચંદન જેવા શીતળ સ્વભાવવાળી હતી. છતાંય મૂળા શેઠાણીએ પોતાના પતિનો તેણી ઉપરનો નિર્દોષ સ્નેહ ન ખમી શકતાં માયા કરી કેદી બનાવી. અઠ્ઠમતપની પૂર્ણાહુતિ પછી જ્યારે ધનાવહને તેની માહિતી મળી ત્યારે ચંદનાની દુર્દશા દેખી આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. બેડીઓ તોડાવવા સ્વયં લુહારને બોલાવવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy