________________
૧૪૨ /
[ જૈન પ્રતિભાદર્શન
(૧) મણિપ્રભની પ્રતિભાપ્રભા પોતાના વિદ્યાધારી મુનિ પિતા મણિચૂડને છેક નંદીશ્વર દ્વીપ સુધી ગયેલા દેખી મણિપ્રભ વિદ્યાધરે પણ જાત્રા કરી લેવા સંકલ્પ કર્યો અને ઉડાન ભરી. પણ અધવચ્ચે માર્ગમાં જ જળહસ્તિના સપાટામાં આવેલી રૂપવંતી મદનરેખાને બચાવી લઈ તેના ઉપર પાછો મોહિત પણ થઈ ગયો. સદાચાએમી નારીએ સ્વરક્ષણ માટે યુક્તિપૂર્વક મંજૂરી આપી પણ નવો સંબંધ થાય તે પૂર્વે નંદીશ્વરની જાત્રા માટે માગણી મૂકી. મોહઘેલા મણિપ્રભુ શર્ત મંજૂર રાખી પણ નંદીશ્વર દીપે પહોંચતાં જ જ્ઞાની પિતા મુનિએ પોતાના પુત્રની કામાસક્તિ તોડવા તાત્ત્વિક બોધ આપ્યો ને પ્રવચનના ધોધનું શ્રવણ-મનન કરતાં જ મણિપ્રભ વિકારમુક્ત બની ગયો. ભર્તા બનવાનો ભંડો વિચાર પલટાવી હવે મદનરેખાને ભગિની માનવા લાગ્યો.
મદનરેખાના મનોરથ સદાચાર પ્રતાપે ફળ્યા, જેથી તેણી યુગબાહુ પતિના નિધન પછી પણ શીલવ્રતમાં પ્રગતિ પામતી પામતી પ્રવ્રજયાનો પંથ પણ પામી અને બીજી તરફ ભાનભૂલ્યો મણિપ્રભ પણ સ્થાવર-જંગમ તીર્થના સુભગ સ્થાને પશ્ચાત્તાપ પામી પરનારી સહોદરની ઉપમા પામ્યો.
(૨) ગૌરવશાળી ગુરુભ્રાતા જ્યેષ્ઠ ભાઈ મણિરથે પોતાના નાના ભાઈ યુગબાહુની પત્ની મદનરેખાનો મોહ કરી તેણીને મેળવવા સગા ભાઈની જ હત્યા કરી નાખી, પણ પોતે પોતાના જ પાપોદય પ્રતાપે તે જ રાત્રિએ સર્પદંશથી મૃત્યુ પામી ચોથી નરકે ચાલ્યો ગયો. આ તરફ પ્રિય પતિના જીવનભંગથી મનોભંગ પામેલી મદનરેખા વનમાં ચાલી ગઈ, જ્યાં સગર્ભા તેણીએ બીજો પુત્ર પ્રસવ્યો. પ્રસૂતિ પછીની અશુચિ દૂર કરવા સરોવરે ગઈ ત્યાં હાથીના ઝપાટામાં આવી ગઈ અને મણિપ્રભ વિદ્યાધરના વશમાં થઈ ગઈ. આ તરફ નવજાત શિશુને પધરથ રાજા લઈ ગયો ને નામ રાખ્યું નકિકુમાર.
આ જ મદનરેખાનો મોટો પુત્ર ચંદ્રયશા પિતા યુગબાહુની મૃત્યુવેળાએ તેમને બચાવી લેવા ઉપચાર કરવા લાગ્યો હતો. પણ નિષ્ફળ ગયો હતો. તે પછી તો કાળ વીત્યે તે રાજા બન્યો. મદનરેખા સાધ્વી સુવ્રતા બની અને નાનો પુત્ર નમિકુમાર પણ પુણ્યોદયથી રાજા બન્યો. પણ એક દિવસ નિમિરાજાના ગાંડા બનેલ પ્રધાન હસ્તિને ચંદ્રયશાએ વશ કર્યો, જેથી તે પશુ હાથી માટે સગા બે ભાઈઓ વચ્ચે યુદ્ધની નોબત વાગવા લાગી. આવા સમયે સુવ્રતા સાધ્વી રણાંગણમાં આવી બેઉને મહામોટી હિંસાથી બચાવી લેવા એકબીજાનો ભાઈ તરીકેનો પરિચય આપવા લાગી, ત્યારે નાના નમિરાજે જાણ્યા પછી પણ મોટા ભાઈ સામે માંડેલ યુદ્ધને જ મહત્ત્વ આપ્યું.
તેથી સાધ્વીજીએ અનર્થ ટાળવા સંસારી મોટા પુત્ર ચંદ્રયશાને મળી બોધ આપ્યો. પોતાની સગી માતા સાધ્વીને ઘોર સંગ્રામ વચ્ચે આવેલી દેખી ચંદ્રયશા ચકિત તો થઈ જ ગયો, પણ શત્રુપક્ષે બીજું કોઈ નહિ પણ સગા ભાઈને જાણી અસત્ય આચાર છોડવા ને લઘુભ્રાતાને મળવા સામે ચડી ચાલ્યો. આમ પ્રથમ મુલાકાત જ યુદ્ધના નિમિત્તે થઈ. એક રાજય માટે નાના ભાઈ સામે લડવાનો અસદાચાર ટાળવા અને પોતાની વરસોની ભાવના સફળ કરવા ચંદ્રયશાએ યુદ્ધ નિવારી પોતાનું રાજ્ય પણ પરાણે નમિરાજને ભળાવી સાધુમાર્ગને પ્રાથમિકતા આપી ભાગવતી દીક્ષા લઈ લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org