SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] પરમાત્મા-ભક્ત પ્રતિભાદર્શન દરેક ધર્મમાં ધર્મના પ્રણેતા પ્રતિ ભક્તિ કરનાર ભક્તવર્ગ હોય છે, જે કે પોતાના ઇષ્ટદેવની આરાધના કરવા વિવિધ અનુષ્ઠાનોનું આયોજન કરે છે. આર્ય કે અનાર્ય સૌ ધર્મમાં જો કે ભક્તિ એ આવશ્યક તત્ત્વ ગણાય છે, છતાંય મુખ્ય ભેદ પડે છે, ભક્તિયોગ્ય પાત્રનું. જૈન ધર્મના પ્રણેતા જિનેશ્વરો, જેઓ રાગ-દ્વેષ રહિત વીતરાગી-વીતદ્વેષી હોવાથી વિચાર-વાણી-વર્તનમાં સદાય એક્યતા ધરાવનાર મહાપુંગવ પુરુષો ગણાય છે. ઉપરાંત અહિંસા, સત્ય વગેરે ‘સુ’ તત્ત્વોના પ્રખર હિમાયતી હોવાથી સંસારના તથા સ્વયંના સ્વરૂપને પણ યથાસ્થિત દર્શાવી, દુઃખમય સંસાર, સંસાર–ભ્રમણ અને ભ્રમણ મુક્તિના ઉપાયો વગેરે સચોટ દર્શાવતા હોય છે. આત્માથી મહાત્મા ને પરમાત્મા સુધીની સફર સર કરનારના પગલે તેઓ પણ જનમાંથી જૈન અને ફ્રમે જિન બની જગત ઉપર નિઃસ્વાર્થ ઉપકાર કરી જાય છે. માટે જ કરુણાપૂત તેમના ઉપકારના પ્રત્યુપકાર કે ઋણ ફેડવા સામાન્ય જન જિનની ભક્તિ કરતાં કરતાં સ્વયં તેમના જેવા બનવા મહેચ્છા રાખે છે, તે યોગ્ય પણ છે. પ્રભુભક્તિની વિવિધ રીતિ-નીતિમાં પ્રીતિ દાખવી વિધ-વિધ ભક્તોએ ભક્તિને મુક્તિની દૂતી માની છે. વીતરાગી પરમાત્માના ઉપાસકોના ધર્મપુરુષાર્થ તથા પુણ્યોદય-પરાક્રમોચી ઇતિહાસનાં પાને પાનાં ભર્યાં છે. તો ચાલો કંઈક જાણીએ માણીએ પ્રભુભક્તિના પ્રકારો-પુરુષો તથા પુણ્ય પ્રસંગોને... (૧) પ્રતિમા-પૂજાની પ્રતિજ્ઞાથી પ્રગટેલી પ્રતિભા આ જ ભરતક્ષેત્રની ગત ચોવીશીના નવમા તીર્થપતિ દામોદર પ્રભુ પાસે પોતાનો મોક્ષ પ્રભુ પાર્થના શાસનમાં થનાર જાણી અષાઢી શ્રાવકે તો ભાવિના ઉપકારી પાર્શ્વનાથની પ્રતિમા વાલુકામાં રચી નાખી ભાવથી ભજી. દેવતાઈ પ્રતાપથી તે વજ્રમય બની અને શ્રાવક તો પૂજાયેલો બની આયુષ્ય સમાપ્તિએ પરલોકવાસી બન્યો; પણ પ્રતિમા દેવોથી અધિષ્ઠિત થઈને અંતે ત્રણેય લોકમાં અસંખ્ય વરસો પૂજાણી અને આજે ય ચમત્કારી શંખેશ્વર પાર્શ્વનાથ તરીકે બિરાજે છે. ભક્ત અષાઢી તે જ પાર્શ્વ પ્રભુના વારે ભક્તિપ્રભાવે મુક્તિ પામી ગયો. એવી જ રીતે રાવણના કાર્યથી માલી-સુમાલી બહારગામ ગયા ત્યારે ભૂલથી પ્રતિમા ઘરે રહી જતાં વાલુકામય મૂર્તિ બનાવી, પૂજી, પછી સરોવરમાં વિસર્જિત કરી તો દિવ્યાનુભાવથી વજ્રમય બની. તે સરોવરના જળથી શ્રીપાળ રાજાનો કોઢ ગયો અને તપાસ કરાતાં તે પ્રગટ થઈ. અંતરિક્ષ પાર્શ્વનાથની પ્રતિમા એ જ પ્રતિમા છે, જે આજેય હાજરાહજૂર છે. કુલપાકજી તીર્થના આદિનાથજીના પ્રતિમા ભરત ચક્રવર્તીએ પોતાની વીંટીના પાચીરત્નથી ચડતા Jain Education International | ૧૩૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy