________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૨૭
અને માના ગૌરવને વધારવા તેને બગીચામાં બેસાડી નગપ્રવેશ કરી યુક્તિથી શ્રેણિકનું મન જીતી, | પોતાનો પરિચય આપ્યા વગર લઈ આવ્યો ને રાજા પિતાના રાણીમાતા સાથે સુભગ મેળાપને 'નમિત્ત બન્યો. કિશોર બની યુવાન બન્યો, બુદ્ધિબળે ઘણાં પરાક્રમોથી લોકોને હંફાવ્યા-હરાવ્યા અને છેલ્લે યુક્તિથી પિતાને પણ છેતરી મુક્તિનો મંગળ માર્ગ પકડી લીધો, પણ ક્યારેય પોતાની બુદ્ધિનું બળ માતાના મનને મોળું પાડવા ન વાપર્યું.
૪. ભદ્રામાતાનો શાલિભદ્ર પુત્ર ગોભદ્ર શેઠનો સ્વર્ગવાસ થયો ને ઘરની જવાબદારી શેઠાણી ભદ્રાના માથે આવી પડી. તેણે પોતાના પનોતા પુત્ર શાલિભદ્રને ઘરની ચિંતાથી એટલો બધો તો પર રાખ્યો કે પુત્ર શાલિભદ્રને મળવા સામે પગલે રાજા શ્રેણિક આવ્યા તો તેને પણ વખારમાં નાખવાની હાસ્યાસ્પદ વાત કરી. જો કે તે પછી તો વૈરાગ્યવંત બની દીક્ષા લીધી ને શરીર સુકુમાર છતાંય કઠોર સાધના સાથે આગમાભ્યાસ કરી બહુશ્રુત થયા. ચારિત્રમાં પ્રગતિ પામી જ્યારે જીવનની અંતિમ સાધના સાધવા નિર્ણય કર્યો, ત્યારે તેમના જીવનનું છેલ્લું પારણું ઉત્તરપારણું પણ કુદરતી તેમના પૂર્વભવની માતા ધન્ય ગામની વિધવા ડોશીએ દહીં વહોરાવી કરાવ્યું. પ્રભુવીરે શાલિભદ્રજીને પૂર્વના સંગમના ભવની સત્ય કહાણી જણાવી, તેથી પોતાની જ માતાના હાથે વહોરાવાયેલ દહીંને વાપર્યા પછી વૈભારગિરિ પહાડે જઈ અનશન લીધું. માતા ભદ્રા તેમને મળવા અને મનાવવા આવી, પણ સંસારની માયાથી પર તેઓ અંતે ધ્યાન અખંડ રાખી સર્વાર્થસિદ્ધ વિમાને ઉત્પન્ન થયા. પુત્રમોહમાં માતા ભદ્રાએ પણ દીક્ષા લીધી અને ચારિત્ર પામી સ્વર્ગે સંચરી.
પ. પુત્રપ્રાપ્તિ માટે આયંબિલનો તપ ઋષભદત્ત શેઠ ને ધારિણી શેઠાણી સુધર્માસ્વામીને વાંદવા વૈભારગિરિએ ગયાં, અને ધારિણીએ પુત્રપ્રાપ્તિ માટે ઉપાય પૂછયો. સાવદ્ય પ્રશ્ન હતો છતાય ગણધરજીએ મહાપુણ્યનો લાભ જ્ઞાનથી પેખી એકસો આઠ આયંબિલના તપનો ઉપાય કહ્યો. તે તપના પ્રભાવે વિદ્યુનાલી દેવ અવીને ગર્ભમાં આવ્યો, જન્મ પછી નામ પડ્યું જંબૂકુમાર. માતાનો તેના ઉપર અનહદ પ્રેમ, છતાંય સંસારની અસારતા જાણી આજીવન ચતુર્થ વ્રત લીધું. છતાંય પિતા કરતાંય માતાનો અતિ આગ્રહ હોવાથી ફક્ત એક દિવસ માટે ઠાઠથી આઠ કન્યાઓ પરણ્યા, અને બીજે જ દિવસે સવારે તો પ૨૭ની સંખ્યામાં દીક્ષાઓ થઈ ગઈ, જેમાં જંબૂકુમારથી જ પ્રતિબોધ પામેલાં માતા-પિતા, સાસુ-સસરા, સ્ત્રીઓ અને ચોરો હતાં. જંબુસ્વામીએ સ્વકલ્યાણ તો સાધ્યું જ, પણ ઉપકારી માતા-પિતાને પણ પ્રભુનો પંથ પમાડ્યો.
૬. બત્રીસ પુત્રોને સાથે જન્મ દેતી માતા સુલતા પુત્રપ્રાપ્તિની વાંછામાં હરિણગમેષ દેવ પાસે બત્રીસ ગોળીઓ સાથે બત્રીસ પુત્રોની પ્રાપ્તિનો ઉપાય મેળવી નાગ રથિકની ધર્મપત્ની મહાશ્રાવિકા સુલસાએ બત્રીસ પુત્રોને બદલે એક જ પણ બત્રીસલક્ષણો પુત્ર પ્રાપ્ત કરવા એકસાથે બધીય ગોળીઓ ખાઈ લીધી. પણ ભવિતવ્યતાને કારણે એકસાથે બત્રીસ પુત્રોએ જન્મ લીધો. નાગે તેમને ભણાવ્યા, પરણાવ્યા ને બધાય પુત્રો શ્રેણિકરાજાના અંગરક્ષક તરીકે ગોઠવાણા. ચેલ્લણાના હરણ વખતે શ્રેણિકને બચાવવા જતાં વૈરિસિંહ નામના સુભટના હાથે એક પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org