SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ (1:11I/ TEIL - ના * - * L આ ( ત : ET,અગણિત ગુણોના માનસરોવરમાં કલહંસ તેમ પ.પૂ. આ. ભ.શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. સા. 'પ્રેરક ગુરુદેવનું વિરલ વ્યક્તિત્વ બનાસના પાણીની આજુબાજુ ઘુમતી ઘુમરી લેતી, લીલીછમ અને ધર્મઆરાધનાના જીવંત ધબકારથી ધબકતી બનાસકાંઠાના લોવાણા ગામની ધન્યધરાએ વિ.સં. ૧૯૮૯ના આસો સુદ ૬ની સોનેરી સુપ્રભાતે પ્રતિષ્ઠા સંપન્ન રાયચંદભાઈ અને ધર્મનિષ્ઠ સુસંસ્કારી કંકુબેનની રત્નકુક્ષીએ એક પુ ક્ષણે મહાતેજસ્વી લલાટ અને ભવ્ય મુખમુદ્રા ધરાવતા પુત્રરત્નનું પુનિત અવતરણ થયું. જેથી કુટુંબ પરિવારમાં આનંદની લહેરો લહેરાવવા લાગી અને માતા-પિતાએ યથા નામ તથા ગુણ એવું લહેરચંદ નામ પાડ્યું. વિચક્ષણ, કર્તવ્યનિષ્ઠ અને મમતામયી માતાએ ધર્મકર્મના મર્મનું સમજણપૂર્વક શિક્ષણ આપી ગુણદીપકમાં અધ્યાત્મતેજનું સિંચન કર્યું. આમ માતા-પિતાએ લહેરચંદને શૈશવકાળથી જ શિષ્ટ સંસ્કારોથી સંસ્કારિત કર્યા. કિશોરવયમાં જ દેવ સંકેતથી આત્મસંશોધનના વિજ્ઞાનની ઝંખના જાગી અને એ ઉત્કટ ભાવના પ.પૂ. આ. ભ. શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.સા. અને બાંધવબેલડી પૂ. મુ. શ્રી પ્રેમવિજયજી અને પૂ. મુ. શ્રી સુબોધવિજયજી મ.ના ગુરુગમથી વિકાસ પામી અને આત્મવિકાસના અભિયાનમાં પ્રચંડ પુરુષાર્થનો યજ્ઞ માંડ્યો. વિ.સં. ૨૦૦૬ મહા સુદ-૩ના દિવસે આત્મમાંગલ્યની કેડીએ પ્રયાણ કરી પંચમપદને ગ્રહણ કરવા દ્વારા કુમાર લહેરચંદે પૂ. મુનિશ્રી લબ્ધિવિજયજી બની પૂ. મુનિશ્રી સુબોધવિજયજી મ.નાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું. અસાધારણ વિદ્ધતા અને પ્રચંડ પુરુષાર્થથી પૂ. મુનિશ્રી લબ્ધિવિજયજી મહારાજે ન્યાયવ્યાકરણ, કાવ્ય, તર્ક, સાહિત્ય, જયોતિષ વગેરેનો વિસ્તૃત અભ્યાસ કર્યો. પૂ. મુનિશ્રીની સમ્યક્ પ્રેરણાથી થયેલ જિનશાસન પ્રભાવનાના વિવિધ સત્કાર્યોને, અને અપૂર્વ યોગ્યતાને નિહાળીને જામનગરના શ્રી દેવબાગ જૈન સંઘની વિનંતીથી સંવત ૨૦૩૦ માગસર સુદ પના શુભદિવસે ગણિપદવી પ્રદાન કરાઈ. આ પદવી બાદ ગણિ લબ્ધિવિજયજીને પૂ. ગુરુદેવશ્રીની હૃદયમનની અંતરંગ ભાવનાથી પૂનામાં શ્રી આદિનાથ સોસાયટીમાં સંવત ૨૦૩૨ મહા વદ ૧૪ના રોજ પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. સાથે સાથે વિ.સં. ૨૦૩૨ ફાગણ સુદ ૨ ના દિવસે પુના મુકામે સૂરિપદ તેમજ સંઘનું સુકાન સોંપવામાં આવ્યું. પૂજ્યશ્રીએ સંયમજીવનના પાંચ-પાંચ દાયકાના સુવર્ણયુગ (ગોલ્ડન પીરીયડ)માં ! તનતોડ પુરુષાર્થથી શાસન ઉન્નતિનાં અનેક કાર્યો કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy