________________
અને પરિષહોને પણ યાદ કરવા જ જોઈએ. વર્તમાનમાં લબ્ધિસૂરિ સમુદાયના પ્રભાવક આ. શ્રી રાજ્યશસૂરિજી મ.નું ૨૦૪૪ નું મદ્રાસનું ચાતુર્માસ તપધર્મના મહિમાને ગજવનારૂ હતું. ૨૩૭ માસખમણની આરાધના એક વિશ્વ રેકર્ડરૂપ હતી. સુપ્ત ૩૦૦ માસક્ષમણ તપ અને તપસ્વીઓનું સમયે સમયે બહુમાન થવુ જ જોઈએ તપના પ્રભાવે દેવો પણ તપસ્વીને નમે છે.
કલાકો સુધી અવિરતપણે પદ્માસનમાં બેસીને નવકાર મંત્રની વિશિષ્ટ સાધના કરનારા અને નાની ઉંમરથી નવપદની ઓળી કરનારાઓની અનુમોદના કરવી જ જોઈએ.
રોજ રોજ ત્રિકાળ લોગસ્સના કાઉસગ્ગ કરનારા, અનેક વખત સિદ્ધાચલજીની નવાણુ યાત્રા કરનારા પુણ્યવંતોનું અભિવાદન કરવું જ જોઈએ. આ ગ્રંથના આવા તપપ્રભાવી પરિચયોની જાણકારી પછી આપણો શ્રદ્ધા દીપક વધુ
પ્રકાશમાન બનશે.
(f)
બહુમુખી રત્નપ્રતિભાઓ
પ્રતિભા શબ્દ ઘણો જ ઉંચો અને વજનદાર છે. પ્રતિભા શબ્દ ઉંડી વિચારણા અને ઘેરૂ રહસ્ય માંગી લ્યે છે. વ્યક્તિત્વ તો સૌમાં સારા નરસા મિશ્ર હોય જ. પણ નવા નવા આયોજનો અને ઉન્મેષો પ્રગટાવવાની પ્રજ્ઞા અને ચેતના એજ આ પ્રતિભા. સંવરભાવમાં આત્માની એક અનોખી મસ્તી માણતા ભાવિક જીવો એજ આ પ્રતિભા.
માનવીનું વ્યક્તિત્વ અને તેની પ્રખર પ્રતિભા ભલે કોઈને પ્રભાવિત કરી જતી હોય પણ કોઈના હૃદય સુધી ન પહોંચી શકતી હોય તો એ પ્રતિભાનું કોઈ મૂલ્ય નથી રહેતુ. શ્રદ્ધા, ભક્તિ, પ્રીતિ, સમર્પણ જેવા વિશિષ્ટ ગુણોનું જેનામાં દર્શન થતુ હોય તેજ પ્રતિભાનું આપણે અવલોકન કરવાનું છે.
R
શ્રી ચતુર્વિધ સંઘ : પ્રતિભાનો કીર્તિકળશ
શ્રી ચતુર્વિધ સંઘના ચારેય અંગોએ આજ સુધીમાં આ માંગલિક ધર્મની દિવ્ય જ્યોતને ઝળહળતી રાખી વિશ્વપ્રાંગણમાં પ્રસરાવી છે. તીર્થંકરોએ સંસારના કર્દમલિપ્ત વાસનાબદ્ધ જીવોને જ્ઞાન દર્શન ચારિત્ર્યની સમારાધનાનો રૂડો માર્ગ દર્શાવી આપ્યો અને મહાવીર પ્રભુએ યુગ પ્રમાણે અલ્પ પરિવર્તન લાવી શ્રી ચતુર્વિધ સંઘની પરંપરા પ્રારંભિક કરી આપણને કૃતકૃત્ય બનાવ્યા છે.
પ્રભુએ સ્થાપિત કરેલા આ સંઘમાં શિરમુકુટ સમા ઈન્દ્રભૂતિ ગૌતમ જેવા અગીયાર ગણધરો અને હજારો બ્રાહ્મણો નિર્મળ ચારિત્ર્યદર્શનના આરાધક બની જૈન શાસનના સુચારૂ સ્થંભો રહ્યાં. મેઘકુમાર, નંદિષણ, અભયકુમાર, પ્રસન્નચંદ્ર જેવા હજારો ક્ષત્રિયકુમારો મુનિધર્મમાં મહાલતા અણમોલ રત્નો બન્યા. દોઢલાખથી વધારે સમકિતધારી શ્રાવકો હતા.
માત્ર સાધુ સાધ્વીઓના કલ્યાણને માટેજ અપૂર્વ તપ અને સાધના કરીને કેવળજ્ઞાન ન્હોતુ મેળવ્યું. ભગવાનના ધ્યાનમાં સંસારના પૈકીલ, દુર્ગંધ મારતા વિષયોના ખાબોચીયામાં અટવાતા ગૃહસ્થ સ્ત્રી પુરુષોના પરમ કલ્યાણની પણ એક ઉચ્ચતમ વિચારધારા મનમાં રમતી હતી. અને આ ભાવનાના સંદર્ભેજ ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘ નીમી તેના બંધારણો, આચારાંગાદિ આગમો વડે સ્થિર કર્યા આ ચતુર્વિધ સંઘમાં ટોચ ઉપર ભલે પંચ પરમેષ્ઠિઓ બિરાજતા રહ્યાં પણ લાખો કરોડો શ્રાવક શ્રાવિકાઓ તેના ભૂગર્ભમાં છે. અને તેની આ યશગાથા થીજ જૈનશાસનનો ઈતિહાસ
ગૌરવવંતો રહ્યો છે.
વિનયશીલ પ્રભાવક પ્રતિભાઓના જીવનમંથન દ્વારા સદ્દગુણો રૂપી જે કાંઈ નવનીત આપણને સાંપડ્યુ છે તેને સ્મરણમાં લઈ સાધુ ભગવંતો પણ ભરહેસરની સજઝાય દ્વારા પ્રશંસા કરતા રહ્યાં છે જે આપણને ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા જગાવી જાય છે. જૈન સંઘ જેમ સાધુ સાધ્વીઓથી ઉજળો છે તેમ શ્રાવક શ્રાવિકાઓથી પણ ઓજસ્વી રહ્યો છે. આ વાત હ૨ગીઝ ભૂલવા જેવી નથી.
BH
ધર્મોત્થાનમાં શાશ્વત ફાળો
જૈન શાસનમાં એવા અસંખ્ય શાસનહિત ચિંતકો અને દીપશિખામણિઓ આજ સુધીમાં થયા છે જેને આજના મૂલ્યવિહીન બનતા જતા સંસ્કારોના દુષ્કાળમાં પણ અર્થપૂર્ણ એવી રીતે આગળ ધરવા આ ગ્રંથમાં આયોજન થયુ છે. જેથી એમાં આત્મશ્લાધાનો લગીરે આડંબર ન લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org