SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1138
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૧૦૮૯ શોભાવ્યું અને અમેરિકા-આફ્રિકામાં વધુ ચૂપો સ્થાપવામાં પ્રયત્નશીલ છે. શિકાગો અને લોસ એન્જલિસના ગ્રૂપોના ઉદ્ઘાટન વખતે સૌ સભ્યોને તેમની રાહબરી હેઠળ અમેરિકાની યાત્રા કરાવી અને ‘સંઘવી” અટક સાર્થક કરી. ગચ્છ-સંપ્રદાય કે અન્ય ભેદભાવો ભૂલીને સૌ જૈનો એક પ્રેમમય વાતાવરણમાં હળેમળે અને ઉત્કર્ષ સાધે એ જોવા તેમણે સમય, શક્તિ અને સંપત્તિનો ભોગ આપ્યો. તેમની અધ્યક્ષતાના દેદીપ્યમાન સમયમાં ભારતભરમાં સત્તર ગૃપોની સ્થાપના થઈ. સંઘવી સાહેબ, બહુધા સફારી સૂટમાં નજરે પડે છે જેમાં વધુ ખિસ્સાં હોય છે; અને એ ખિસાઓમાં સામાજિક સંસ્થાઓ કે વ્યક્તિઓને આર્થિક સહયોગ આપવાની ઉદાર તત્પરતા હોય છે. પણ માત્ર દાન આપી અટકી જવું કે એનાથી કોઈને પંગુ બનાવી દેવામાં તેઓ માનતા નથી. સહયોગ આપી અન્યને સ્વાવલંબી બનાવવો, માનવનું ગૌરવ જળવાય એ રીતે વર્તવાની ખાનદાનીભરી રીતભાત તેમના દરેક કાર્યમાં જોવા મળે છે. ૧૯૫૨માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેક્િટસ શરૂ કરી અને ટૂંક સમયમાં જ પ્રેક્ટીસ જમાવી પણ એ ટેબલ-ખુરશી અને ઓફિસની દુનિયા માંહ્યલાને નાની પડવા લાગી. ઔદ્યોગિક ક્ષેત્રમાં જંપલાવ્યું; જ્યાં “માંહી પડ્યા તે મહાસુખ માણે” જેવું નથી હોતું. છતાં પળેપળની અપ્રમાદ કર્તવ્યનિષ્ઠાથી તેમના જેવા કર્મવીર એક સફળ ઉદ્યોગપતિ તરીકે બહાર આવ્યા. હજી ચેતનાના ઘોડા ઘટમાં થનગને છે. તેઓ સ્વપ્નો સેવે છે અને એને સાચાં પણ પાડે છે. - તેમની સૌજન્યશીલ વ્યવહારિકતા સ્પષ્ટ છતાં ડંખરહિત વિચારધારા અને કાર્યને સર્વાગ સુંદર રીતે પાર પાડવાની અનોખી આત્મસૂઝ અને સામેની વ્યક્તિના વિચારો સમજવાની નમ્રતાને કારણે તેઓ પુરોગામીઓના પ્રીતિપાત્ર, સહગામીઓના વિશ્વાસપાત્ર અને અનુગામીઓના શ્રદ્ધાપાત્ર બન્યા છે. તેઓ જિંદગીમાં વરસો નથી ઉમેરતા પણ વરસોમાં જિંદગી ઉમેરે છે. તેઓ ઘણી વાર સેમ્યુઅલ જોન્સનનું વાક્ય ટાંકે છે : “એવા દરેક દિવસને હું વેડફાયેલો ગણું છું કે જ્યારે મેં એકાદ પણ નવો પરિચય ન બાંધ્યો હોય.” અને જેની સામે માનવમાત્રના કલ્યાણનું ધ્યેય હોય, સમાજ ઉત્કર્ષ માટે તાલાવેલી હોય, તે એક પણ દિવસ ક્યાંથી વેડફે? તેમના મિત્ર બનવું એ પણ એક લ્હાવો છે. અને એમ કહેનારાઓની સંખ્યા નાની સૂની નથી : “સંઘવીના સંગમાં સૌ રાજી રાજી.' શેઠ શ્રી રતિલાલ મણિલાલ નાણાવટી ગરવી ગુજરાતની પુણ્યભૂમિમાં અનેક નરરત્નોએ જન્મ લઈ જીવન ધન્ય બનાવ્યું છે. તેમાંના એક શ્રી રતિલાલ મણિલાલ નાણાવટીએ | અમદાવાદના એક સુશિક્ષિત અને સંસ્કારી કુટુંબમાં જન્મ લઈ તેનો સુંદર | વારસો જાળવી રાખ્યો છે. | શ્રી રતિભાઈના પિતામહ ડૉ. બાલાભાઈ નાણાવટી લાંબી સર્વિસની આખરે વડોદરા રાજ્યના ચીફ મેડીકલ ઓફિસર નિમાયા હતા અને છેલ્લે છેલ્લે એમણે વડોદરા નરેશ સ્વ. શ્રી સયાજીરાવ ગાયકવાડના અંગત ફિઝિશિયન તરીકે સેવા બજાવી હતી. શ્રીમંત સરકારે તેમને “રાજય રત્ન'નો સુવર્ણચંદ્રક એનાયત કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy