________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૦૮૧
૨૦૪પનું ચાતુર્માસ પાલીતાણામાં હતું ત્યારે રૂપચંદજી સપરિવાર પૂજ્ય મુનિશ્રીને વંદન કરવા આવ્યા પૂજ્યશ્રીની પ્રેરણાથી પાલીતાણાથી શંખેશ્વર તીર્થનો સંઘ કાઢ્યો. આમ, લક્ષ્મીનો સવ્યય ઘણા બધા કાર્યોમાં કરતા રહ્યા. રૂપચંદજીનાં ધર્મપત્ની પણ ધર્મમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. શ્રી ડાહ્યાભાઈ ચીમનભાઈ
ઉત્તર ગુજરાતનું યક્ષરાજ માણિભદ્ર દેવનું મહત્વનું અને જાણીતું સ્થાન આગલોડના વતની પણ હાલ મુંબઈ-મલાડમાં રહે છે. ગુરુદેવ પૂ. મુનિશ્રી ભદ્રસેનવિજયજી મ. સા.ના સંપર્કમાં આવ્યા પછી ઘણી રીતે સુખી અને સંપન્ન બન્યા છે. માણિભદ્રજીની ભક્તિમાં વિશેષ આસ્થા છે. છેલ્લા પંદર વરસથી આસો સુદિ ૫ ના પૂ. મુનિશ્રીની જ્યાં સ્થિરતા હોય ત્યાં તેમની નિશ્રામાં નિયમિત રીતે હવન કરાવે છે. માણિભદ્રજીની મૂર્તિ પાલીતાણામાં પધરાવી છે. આ ઉપરાંત અનેક જગ્યાએ પધરાવવાની તેમની પ્રબળ ભાવના રહી છે. પૂ. ગુરુદેવશ્રીની પ્રેરણાથી ધાર્મિક કાર્યોમાં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં ઉદાર હાથે ધનનો પ્રવાહ વહાવ્યો છે. શ્રી પ્રવીણચંદ્ર પરમાણંદદાસ દડિયા
મૂળ વતન જુનાગઢ પણ હાલ સુદાનમાં ઘણા સમયથી રહે છે. અવાર-નવાર પાલીતાણા અને અન્ય જૈન તીર્થોની યાત્રાએ આવતા રહ્યા છે. પૂ. મુનિશ્રી ભદ્રસેનવિજયજી મ. સા.ના સંપર્કમાં આવ્યા પછી પૂજ્યશ્રીની પ્રેરણાથી ઘણા જ ધાર્મિક સત્કાર્યોમાં લક્ષ્મીનો છૂટે હાથે સદુપયોગ કર્યો છે. પાલીતાણામાં સરસ્વતી માતાની મૂર્તિ આ પરિવાર તરફથી પધરાવવામાં આવી છે. મુંબઈ--શાંતાક્રુઝમાં જૈન ઉપાશ્રયમાં સાધ્વીજી માટેનો એક રૂમ પણ આ પરિવાર તરફથી બંધાયેલ છે.
તેમનાં પત્ની વિજયાલક્ષ્મીબહેનનો પણ ધર્મકાર્યોમાં સારો એવો સહયોગ છે. જુનાગઢમાં આયંબિલશાળા પણ તેમની દેણગીનું ઉત્તમ પરિણામ છે. વિવિધ કાર્યોમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી યોગ્યતા મુજબ દાનગંગા વહેતી રાખીને સેવા-ધર્મની પગદંડી ઉપર ચાલતા રહ્યા છે.
શ્રી મનુભાઈ દલસુખભાઈ ઝવેરી
ઉત્તર ગુજરાતની ભૂમિએ જે કેટલાક શક્તિ સંપન્ન અને ધર્મ સંપન્ન શ્રેષ્ઠીઓની જે ભેટ ધરી છે તેમાં શંખલપુર તીર્થ નિવાસી મનુભાઈ ઝવેરીને પણ મુકી શકાય.
ઉત્તર ગુજરાતના ખાંભેલ ગામમાં તા. ૩-૫-૧૯૪૧ના માતુશ્રી | કાંતાબેનની કૂખે તેમનો જન્મ થયો. ધર્મસંસ્કારનો સુંદર વારસો માતા-પિતા તરફથી મળ્યો. ઉપરાંત ખંત, ચીવટ, ધગશ, નીતિમત્તા તથા પ્રમાણિકતા
જેવા સદ્ગુણોનો પણ વારસો મળ્યો તેથી સી.એ.ના ઉચ્ચ અભ્યાસની સિદ્ધિ મેળવી જીવનની યશસ્વી કારકિર્દી ઘડી શક્યા છે અને પોતાના જ્ઞાનનો સામાજિક, ધાર્મિક અને કેળવણી ક્ષેત્રે લાભ આપી રહ્યા છે.
પિતાશ્રીની છત્રછાયા નાની વયે ગુમાવી પણ માતા કાંતાબહેને ધૈર્ય, સેવા અને ધર્મસંસ્કારનું સતત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org