SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1080
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૩૧ શ્રી અશોકભાઈએ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં ટ્રસ્ટી, મંત્રી અને પ્રમુખપદ જેવા માનવંતા હોદ્દાઓ પર રહીને તન-મન અને ધનથી સાચા દિલથી સેવા કરીને કુળદીપક તરીકે યશ કીર્તિ પ્રાપ્ત કરી છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ટ્રસ્ટ-આગમ (મુંબઈ), શ્રી લાવણ્યસૂરિ જ્ઞાનમંદિર-બોટાદ, શ્રી સીમંધરસ્વામી જિન મંદિર-ઓશિયાજીનગર-ભીલાડ, શ્રી શાંતિનાથ જૈન દેરાસરની પેઢી-બીલીમોરા જેવી ધાર્મિક સંસ્થાઓ અને બીલીમોરા વિભાગ કેળવણી મંડળ, માનવ સેવાકીય પ્રવૃત્તિઓ વિસ્તાર પામેલી છે. પૂ. આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા.ની ગુમૂર્તિની ગુરુભક્તિ ભાવનાના પ્રતીક-રૂપે પ્રતિષ્ઠા, સાકરચંદ શેઠની ટૂંકમાં (પાલીતાણા), પ્રાચીન આદીશ્વર જિનબિંબની પ્રતિષ્ઠા, અગાસી તીર્થમાં પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાનની પ્રતિષ્ઠા, અંજનશલાકા, યક્ષ-યક્ષિણીની સ્થાપના, સાધર્મિક વાત્સલ્યમાં લક્ષ્મીનો સદવ્યય. ઓશિયાજીનગરના જિન પ્રાસાદની મુખ્ય શીલા સ્થાપના કરવાનો ગૌરવવંતો લ્હાવો લેનાર. નંદિગ્રામમાં ભીડભંજન પાર્શ્વનાથ જિનાલયમાં મહાવીરસ્વામી ભગવનની પ્રતિષ્ઠા, જિનમંદિરના શિખરની મુખ્યશીલા સ્થાપક, આલીપોર તીર્થમાં આદીશ્વર પ્રભુની પ્રતિષ્ઠા જેવી ધર્મપ્રવૃતિઓ કરીને સુકૃતની કમાણી કરી છે. આ બધા જ પ્રસંગોએ જૈન સમાજના લોકોને માનસહિત ભાગ લેવા માટે પણ જરૂરી સુવિધાઓ પૂરી પાડીને સફળતાના સુકાની બન્યા છે. એમની ધર્મ પ્રવૃત્તિનાં ચાર ચાંદ લગાવે તેવી યાદગાર પ્રવૃત્તિ તે સમેતશિખરજીની યાત્રા માટેની સ્પેશ્યલ ટ્રેઈનની વ્યવસ્થા અને સંઘપતિ બનીને આવા મહાન પવિત્ર તીર્થભૂમિ અને અન્ય કલ્યાણકોવાળી ભૂમિની સ્પર્શના, યાત્રા-પૂજાદિનો અમૂલ્ય લાભ લીધો છે. શિક્ષણ અને સંસ્કારની પ્રવૃત્તિઓમાં યોગદાન, માનવસેવા ટ્રસ્ટની માનવતાની પ્રવૃત્તિઓમાં સકીય, અગાસી તીર્થમાં ઉપાશ્રયનું ઉદ્ઘાટન, કાંદીવલી (મુંબઈ) ઉપાશ્રયનો હોલ, અગાસી તીર્થમાં કાયમી અખંડ દિવાનો લાભ લેવો, બીલીમોરાના ઉપાશ્રયનો જિર્ણોદ્ધાર અને ઉદ્ઘાટન, બીલીમોરામાં માણિભદ્ર વીરના અખંડ દીપકની સ્થાપના, બિલીમોરામાં સકળ સંઘને અતિ નાની-મોટી તપસ્યા કરનાર તપસ્વીઓનું બહુમાન કરવું, રોહિડા જૈન સમાજના ફાઉન્ડેશન ટ્રસ્ટી ને તેને સમૃદ્ધ અને વિકાસમાં દાન આપનારા, ઉવસગ્ગહર તીર્થમાં ૨૮ કીલો ચાંદીની આંગીનો લાભ લેનાર, સુવર્ણાક્ષરે (સોનાની સહીથી) કલ્પસૂત્ર લખાવીને શ્રુતજ્ઞાનની અપૂર્વ ભક્તિ કરનાર, અગાસી તીર્થમાં પૂર્ણિમાની યાત્રા નિમિત્તે શત્રુંજયનો પટ અર્પણ કરનાર, કસ્તુરબા હોસ્પિટલ વલસાડ, સાધુ, સાધ્વી વૈયાવચ્ચમાં સદા તત્પર અને અન્ય સેવાકીય સંસ્થાઓમાં કોઈપણ પ્રવૃત્તિ માટે ઉદાર સખાવત કરનાર વિરલ વ્યક્તિત્ત્વ ધરાવનાર શ્રી અશોકભાઈ સૌ કોઈના લોકલાડીલા બન્યા છે. ઉપરોકત સર્વ કાર્યોમાં ઉદાર સખાવત કરીને લક્ષ્મીને બાંધી ન રાખતા છુટા હાથે દાન કરીને આ કલિકાળમાં નાનકડા ઉદ્યોગનગર બીલીમોરામાં ધર્મકાર્ય, સેવાપ્રવૃત્તિ અને દાનની સરિતા વહેવડાવીને પોતાના વ્યકિતત્વનો વિશિષ્ટ રીતે પરિચય કરાવ્યો છે. બીલીમોરા તેમ જ આજુબાજુના વિસ્તારની રોટરી કલબ, લેડીઝ કલબ, અખિલ હિન્દુ મહિલા પરિષદ, યુવક મંડળ, શાંતિજિન-શીતલ જિનમંડળ, સોમનાથ સંકુલ, ગાયત્રી મંદિર ટ્રસ્ટ જેવી સંસ્થાઓને પણ પોતાના દાન ને સેવાથી અલંકૃત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. [સંકલન : ડો. કવિન શાહ.] શ્રી અમૃતલાલ મોહનલાલ શાહ : મણુંદ તા. પાટણ, જિ. મહેસાણાના વતની, ૬૮ વર્ષીય શ્રી અમૃતલાલભાઈના પરિવારમાં બે પુત્રો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy