SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1077
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨૮ ] L[ જૈન પ્રતિભાદર્શન [સંયમ - સુવાસ અને સાધના વર્તમાનકાલીન ગુણવૈભવી શ્રાવકરત્નો રાજમહેલ જેવી રીતે બહારથી ભવ્ય દેખાતો હોય તેવી જ રીતે અંદરથી પણ ભવ્ય, મનોહર, વિશાળ અને મજબૂત હોવો જોઈએ તો જ એ ખરી રીતે પ્રશંસનીય બને છે, એવી જ રીતે જૈન શાસનરૂપી રાજમહેલ પણ બહારથી તો ભવ્ય છે જ. જોતાંવેંત જ સૌ કોઈને આકર્ષે છે. તથા અંદરની તેની ભવ્યતા, મનોહરતા અને વિશાળતા તથા મજબૂતાઈ એ બધું આ શાસનના સત્ત્વ-નિષ્ઠા-ન્યાય પરાયણતાપાપભીરુતા-દયા-દાન-પરોપકાર-ભકિત-કાર્યકુશળતા સહિષ્ણુતા-અનુકંપાસાહિત્ય સેવા વગેરે ગુણોથી સંપન એવા અનેક શ્રાવકોના ગુણી જીવનથી શાસનરૂપી રાજમહેલ અંદરથી પણ મનભાવન બનીને દીપી રહ્યો છે. આપણને તેમ જ જૈનેતરોને પણ હેરત પમાડે છે. ધન્ય એ શાસન, ધન્ય એ શાસનના અનુયાયીઓ!! હૈયાના ભાવપૂર્વકની ગુણોની અનુમોદના, એ જૈન શાસનની એક આગવી વિશેષતા છે. જે વ્યક્તિમાં જે જે ગુણો હોય, એમાં પણ જે વિશિષ્ટ પ્રકારના ગુણો હોય તેની ભાવભરી અનુમોદના કરવાથી આપણો આત્મા પણ પુણ્યાનુબંધી પુણ્યકર્મ બાંધે છે. ખુશામત એ અલગ વસ્તુ છે, અને અનુમોદના એ એમાંથી તદ્દન જુદી વસ્તુ છે. ખુશામતમાં કેવળ સ્વાર્થની ભાવન હોય છે, અનુમોદનામાં આત્મિક કલ્યાણની ભાવના હોય છે, એટલે આ અનુમોદના એ હરગીજ ખુશામત તો નથી જ. | દયા-દાન-કરુણા-તપ-ત્યાગ-તીતીલા પૈર્ય, પ્રામાણિકતા, શૂરવીરતા, સર્વસ્વના ભોગે પણ સ્વકર્તવ્યનું પાલન, સ્ત્રીઓના શીલની રક્ષા માટે જાતની કુરબાની, પ્રજાના હિતને માટે રાજાના અન્યાયનો વટભેર સામનો કરવો, રાજાઓની પણ સાન ઠેકાણે લાવવી વગેરે ગુણોવાળા પરાક્રમી એવા અનેક ભવ્ય આત્માઓ જૈન શાસનના વિશાળ બગીચામાં સુગંધી પુષ્પો સમાન પેદા થયા છે. આવા અનેક ભાગ્યશાળી મહાનુભાવોના જીવનચરિત્રોની ભાવસભર અનુમોદના કરીને આપણે પણ એમના ગુણોરૂપી પુષ્પોની મહેંકતી સુગંધનો અનુભવ કરીએ અને ભવસાગર તરીયે. ---સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy