SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1064
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ / [ ૧૦૧પ વિસા ઓશવાળ : મારવાડના ઓશિયાથી અનેકવિધ મુસીબતોના માહોલ વચ્ચે સતત સંઘર્ષ કરતાં રહ્યા અને અંતે ત્યાંના કેટલાક જૈનો-જૈન પરિવારોએ ઘણાં વર્ષો પહેલાં મહાભિનિષ્ક્રમણ કર્યું. આમ ઓશિયાથી નીકળેલા સચ્ચાઈમાતાના ભક્ત જૈનો “ઓશવાળ' કહેવાયા. ગુજરાત-કચ્છ-સૌરાષ્ટ્ર તરફ અને દેશને ખૂણે ખૂણે આ ઓશવાળ જૈનો વિખેરાયા. તેમાં બે બે ભાગ થતા ગયા. વીશા ઓશવાળો, દશા ઓશવાળો બન્યા. આવું એક પારિવારિક જુથ ગોહિલવાડ તરફ આવી વસ્યું. તે પૈકી કેટલાંક કુટુમ્બો ભાવનગર, શિહોર, વલ્લભીપુર, પાલીતાણા, અમરેલી આવી વસ્યાં. અમરેલી આવેલાં પરિવારોએ અમરેલીના શ્રી જૈન સંઘના પ્રાથમિક ઘટક તરીકે તેના ઉત્કર્ષ અને પ્રતિષ્ઠા માટે સારું એવું પ્રદાન કર્યું. ઓશવાળ પરિવારના મહાનુભાવોમાં સ્વ. સુંદરજી ડાયાભાઈ વકીલ, સ્વ. વીરચંદ જીવાભાઈ શાહ, સ્વ. ગુલાબચંદ હરિચંદ, સ્વ. જગજીવન હરિચંદ, સ્વ. રતિલાલ સુંદરજી શાહ વકીલ સૌએ શ્રીસંઘના અને શ્રી સંભવનાથજી જૈન દેરાસરજીના નિભાવ અને ઉત્થાન માટે આજીવન સહયોગ આપ્યો છે. * સ્વ. સુંદરજી ડાયાભાઈ શાહ વકીલે અમરેલીના શ્રી સંભવનાથજી જૈન દેરાસરજીની સ્થાવર-જંગમ મિલ્કતમાં વૃદ્ધિ કરવા માટે ખૂબ જ સરાહનીય એવા પ્રયત્નો કરવા માટે આજીવન ભેખ લીધેલો. શ્રી સંઘની કેટલીક મિલ્કતો કોઈ પચાવી ન પડે તે માટે ગાડા રસ્તે છેક સિદ્ધપુર પાટણ ગયેલા અને તે કાર્યમાં સફળતા મેળવેલી. જૈન સમાજ અને શ્રીસંઘના ઉત્કર્ષ માટે પોતાની પૂરી વગનો ઉપયોગ કરી જીવનભર કાર્યરત રહેલા. [જીવન ઝરમર અન્યત્ર મુદ્રિત છે.] * સ્વ. વીરચંદ જીવાભાઈ શાહ એક બાહોશ અને ધર્મપ્રિય કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ હતા. વ્યવસાયે સુતરના વ્યાપારી હતા. પુંડરિક સ્વામી શ્રી શાંતિનાથજી ભગવંતના જિનાલયના નિર્માણમાં સક્રિય રીતે કામગીરી બજાવી હતી. તેઓ સારા વૈદ્યકીય શાસ્ત્રજ્ઞ હતા. તેનો લાભ સામાન્ય પ્રજાજનોને પણ ઘણો મળતો. * સ્વ. ગુલાબચંદ હરિચંદ અને સ્વ. જગજીવન હરિચંદ બન્ને સ્વ. હરિચંદ રામજીભાઈ શાહ પરિવારના સરળ સ્વભાવી અને ધર્મભાવના ધરાવતાં સદ્દગૃહસ્થો કાપડના વ્યાપારી હતા. શ્રી સંભવનાથજી જૈન દેરાસરમાં પુનઃ પ્રતિષ્ઠા સમયે વિશિષ્ટ યોગદાન આપેલ. જૈન સમાજના અગ્રણી તરીકે સૌને ઉપયોગી થવાની ભાવના સદાય રાખેલી. * સ્વ. રતિલાલ સુંદરજીભાઈ શાહ વકિલ ખરા અર્થમાં સ્વાતંત્ર્ય સેનાની હતા. પરંતુ તે માટે સરકારશ્રી તરફથી મળતાં કોઈ પણ લાભ લેવાનો ઈન્કાર કરેલો. વકીલ તરીકે પચાસેક વર્ષની કારકિર્દી દરમિયાન તેમણે દેશદાઝ દર્શાવી ઋણરાહત ધારાના કેઈસ માટે પાંચ આંકડામાં વકિલાત ફી મળતી હતી, પરંતુ તેના કોઈ કેઈસ લીધા ન હતા. અમરેલી જીલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ૧૫ વર્ષ સુધી શિક્ષકોના કામ સરળ થાય તેવું સતત આયોજન કરેલ. શિક્ષણના વિકાસ માટે અનેક યોજનાઓનો અમલ કરાવ્યો હતો. રાજકીય ક્ષેત્રે પ્રથમથી આઝાદીની|શ્રી 1 ગારીની શ્રી રતિલાલ સુંદરજી શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy