________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૦૧૧
ભૂલકાઓને અભ્યાસ ધાર્મિક અભ્યાસ બાલિકોઓને કરાવી જિનશાસન ચરણે સમર્પિત કરેલ છે!
મુખ્ય, સાગર સમુદાયના પૂ. કંચનસાગર મ.સા.ના સદુપદેશથી સંઘ-સમાજના કાર્યમાં આ શ્રાવિકારત્નનું શીલ. સદાચાર, સંસ્કાર અને શ્રાવકના કર્તવ્ય-માર્ગોનું સારીના ગુણો વડે જીવન શોભી રહ્યુ છે. શ્રાવિકા-નામ અનસુયાબેન
જેઠાલાલ હીરાચંદ વસાના સહધર્માચારિણી, શ્રાવિકાના ગુણોમાં રંગે-૨ગમાં પરમાત્મભક્તિ પૂજન સ્તવન, કીર્તનમાં ઓળઘોળ થઈ જાય શરીર સૌષ્ઠવ, સૂઝ-બૂઝ-સમજાવટ એવી છે કે ધાર્મિક પ્રસંગોમાંગાવાનું-બોલવાનું એવું મધુર છે કે પૂજા ભાવનામાં માણસોને ભક્તિમાં તરબોળ કરી દે છે.
જેતપુર સંઘ-સંઘમાં ૧૧૦ ઉપરાંત દેરાસરવાસીના ઘર છે સંઘમાં કોઈને કોઈપણ પ્રકારની ગૂંચ પડી
હોય તે કાઢે, ભારત ભરના તીર્થોની સ્પર્શના, ઉપધાનતપ, વર્ધમાનતપ નવપદતપ-બીના નાના, મોટા તપ-જપમાં આગળ છે પતિ-જેઠાલાલભાઈ પણ સજોડે હોય છે!
જેતપુર પોરવાડ-કુટુમ્બના કોકીલાબેન
ગળથુંથીના માતાના પિતાના સંસ્કાર ગુજરાતી હિંદી-સંસ્કૃત શિક્ષણમાં સારા નંબરે ઉતીર્ણ થયા. સંસ્કૃતમાં-પ્રાકૃતની પરીક્ષામાં આચાર્યની પદવી મળેલી છે સાધ્વીજીવન સ્વીકારવાની મહેચ્છા કિંતુ શારીરિક સ્થિતિ અસ્વસ્થતાના કારણે જીવનભર અવિવિહિતા રહ્યા છે. તપ-જપ, તથા છ વિગયપણ ત્યાગ જેતપુર શ્વેતાંબર તપગરછ સંઘ-શ્રી સાંકળીબાઈ જૈન પાઠશાળામાં ધાર્મિક અભ્યાસાર્થે વીસ વરસ સુધી વેતન-પગાર લીધા વિના સેવા આપી બાળક-બાલિકાઓને સારા તૈયાર કર્યા છે સૂઝ, બૂઝથી સંઘનીશાસનની સેવા કરી રહ્યા છે. શ્રાવિકારત્ન છે.
ઉપધાનતપ વર્ષીતપ, વર્ધમાનતપ-અનેક તપશ્ચર્યા-અનેક તીર્થોની સ્પર્શના કરેલ છે શાસન માટે કરી છુટવા ભાવના રાખે છે!
ધ્રાંગધ્રા-(ઝાલાવાડ)
વખારીઆ કુટુંબ અમુલખભાઈના પુત્રો બા મોટાનું નામ છગનલાલ ધ્રાંગધ્રાં ઢેબરીઆ ગરછ સંઘના ટ્રસ્ટી-૪૦ વરસથી સંઘની સેવા નિષ્ઠાપુર્વક કરી રહ્યા છે દેરાસર, ઉપાશ્રય, જ્ઞાનશ્રીજી જ્ઞાનભંડાર, પાઠશાળા વગેરે સંસ્થા તન-મન-ધન દ્વારા સંભાળે છે સાધુ-સાધ્વીજીની મૂક ભાવે સેવા કરે, સંભાળ રાખે છે. શ્રાવક રત્ન છે. જીવનમાં સાદાઈ, સત્યતા-શ્રદ્ધા વગેરે અદ્ભૂત ગુણો છે! ઝાલાવાડમાં છગનભાઈનું નામ સહુકોઈ જાણે !
જુનાગઢ
સૌરાષ્ટ્રના-ગરવા ગિરનારની ગોદમાં જુનાગઢ શહેરમાં સંઘવી કુટુમ્બ-શ્રાવિકાનું નામ રસીલાબેનએક પુત્ર અને પાંચ પુત્રીઓ છે. દાંપત્યજીવનમાં સંસ્કાર, સાદાઈથી દેવ-ગુરૂની અવિરત ભક્તિ કરી રહ્યા છે અનેક રોગો છતાં જીવદયા, સુપાત્રદાન અનુકમ્પા દાન-પોતાની સમ્યક્ લક્ષ્મીદ્વારા શાસનના કાર્યો શીર દર્દ, દર્દના દુઃખો ગણકાર્યા વિના અનેક પૂ. આચાર્ય ભગવંતા-પદસ્થ મુનિઓ, સાધ્વીજી મ.સાધર્મિક અને સંઘ યાત્રિકો રસીલાબેનની ભક્ત્વાર્થે અનુમોદના કરે છે ધર્માશિષ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org