________________
અભિવાદન ગ્રંથ |
[ ૧૦૦૩
શ્વસુરગૃહના આંગણાં દીપાવે છે અને પિયરનો ધર્મવારસો શોભાવે છે.
ખુબોના ખજાના જેવા પરિવારે--શ્રીમતી નલિનીબહેન, હરેશ તથા પુત્રવધુ દર્શન અને પત્રો કૃણાલ તથા કરન ધર્મના અને સંસ્કારવારસાને દીપાવે છે તેની સુવાસ સૌ માણે છે.
શ્રી શાંતિભાઈ અને શ્રીમતી નલિનીબહેનની સાદાઈ વિનય-વિવેક, નમ્રતાથી પરિચયમાં આવનાર સહુ કોઈ પ્રભાવિત થાય છે.
(સંકલનકર્તા-મનુભાઈ શેઠ) ( ડો. સુરેશભાઈ ઠાકોરલાલ મહેતા) આમોદમાં નાની વયમાં જ પૂ. ગુરુદેવોના પરિચયમાં આવતા તેઓની પાસે તથા પાઠશાળામાં પણ ધાર્મિક અભ્યાસ ચાલુ રહ્યો. અતિચાર સહિત પંચ-પ્રતિક્રમણ સુધી અભ્યાસ કર્યો. ભરૂચમાં સ્થિર થયા બાદ ફરી ગુરુદેવોના પરિચયમાં આવતા ધર્મ પ્રત્યેની અભિરુચિ પુનઃ જાગૃત થઈ. ધાર્મિક ગ્રંથો, વૈરાગ્યપોષક ગ્રંથો વાંચવા પણ ખૂબ ગમતા. જ્ઞાનસાર, અધ્યાત્મસાર, શાંતસુધારસ યોગદષ્ટિ સમુચ્ચય, યોગશાસ્ત્ર, અધ્યાત્મકલ્પદ્રુમ અને એવા બીજા ઘણા ગ્રંથોના અનુવાદ વિ.નું વાંચન કર્યું. આજે પણ ધાર્મિક વાંચન ચાલુ છે. બાળપણથી પ્રભુપૂજા, સામાયિક, જાપ વિ. તથા અભક્ષ્યત્યાગ આદિ નિયમો ચાલુ છે. ગુરુભગવંતોનો સત્સંગ તથા જ્ઞાનચર્ચામાં ખૂબ જ આનંદ આવે છે. ઘણા ગુરુભગવંતોના અંગત પરિચયમાં છે અને તેમનો તેઓના પર અનહદ ઉપકાર છે. અત્યારે જે કંઈ છે તે ગુરુઓના પ્રતાપે છે.
પૂ. ગુરુદેવની પ્રેરણાથી કાવી તીર્થમાં કાર્યકર તરીકે પ્રથમ ૧૯૬૮-૬૯માં જોડાયા. ત્યાંના ધર્મશાળા વિ.ના કામથી શરૂઆત કરી. તે દરમ્યાન ઝઘડિયા તીર્થમાં ટ્રસ્ટી તરીકે જોડાયા. ત્યારબાદ કાવીમાં પણ ટ્રસ્ટી તરીકે જોડાયા. બને તીર્થોમાં હજુ પણ ટ્રસ્ટી પદે ચાલુ જ છે. તેમના વતન સમનીના દેરાસરમાં પણ ટ્રસ્ટી તરીકે છેલ્લા ૨૦ વર્ષથી સેવા બજાવે છે. કાવી
લાં ૨૦ વર્ષમાં ખૂબ વિકાસ થયો. બન્ને દેરાસરોના જીર્ણોદ્ધાર થયા. જો કે કાવી તીર્થમાં મુખ્ય ફાળો શાહ જયંતિભાઈ અમીચંદનો છે; પરતું તે સત્કાર્યમાં તેઓ પણ સહભાગી છે. સને ૧૯૭૬થી ભરૂચ તીર્થમાં જૈનધર્મ ફંડ પેઢી તથા મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર પેઢી–એ બન્ને પેઢીમાં નવું ટ્રસ્ટીમંડળ અસ્તિત્વમાં આવ્યું અને તેમાં તેઓ પોતે ટ્રસ્ટી તરીકે જોડાયા. છેલ્લાં ત્રણ વર્ષથી સેવાશ્રય હોસ્પીટલ તથા ભરૂચ પાંજરાપોળમાં ટ્રસ્ટી છે. જીવનમાં જિનભક્તિનાં કાર્યો--શાંતિસ્નાત્ર, સિદ્ધચક્રપૂજન, શિલાન્યાસ તથા પ્રભુપ્રતિષ્ઠા કરવાનો લાભ મળ્યો છે. દરેક વર્ષે પરમાત્મા મુનિસુવ્રતસ્વામી જન્મકલ્યાણક વૈશાખ વદ ૮ની નવકારશીનો લાભ પણ તેમના પરિવારને મળેલ છે.
જયારથી ભરૂચમાં ટ્રસ્ટી તરીકે જોડાયા ત્યારથી અને કદાચ તે પહેલાંથી પણ જેવો કાવી તીર્થનો ઉદ્ધાર થયો તેવો જીર્ણોદ્ધાર-તીર્થોદ્ધાર થાય તેવી ભાવના તેમના મનમાં રમ્યા કરતી હતી. સાથી ટ્રસ્ટીઓએ પણ આ વાત સહર્ષ સ્વીકારી. સં. ૨૦૪૫ મહા સુ.૧૩ના રોજ પ.પૂ. આ.દેવ નવીનસૂરીશ્વરજી મ. સા.ના વરદ હસ્તે આરસના ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા થઈ. ભરૂચ તીર્થની પ્રતિષ્ઠાનો પ્રસંગ ખૂબ જ સુંદર રીતે ધામધૂમપૂર્વક સેંકડો સાધુ-સાધ્વીજીઓ તથા હજારો ભાવિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org