SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1039
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯૦ ] || જૈન પ્રતિભાદર્શન બનાવેલ છે. બેચરાજીના દેરાસરનું દ્વારોદ્ઘાટન તેમના હસ્તક થયેલ. કડીમાં કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત તેમના હસ્તક થયેલ, જ્યાં અત્યારે ૧૬૦ બાળાઓ ધોરણ પાંચથી કોલેજ સુધીનો અભ્યાસ કરે છે. પાલીતાણામાં આગમમંદિરમાં શ્રી શાન્તિનાથ ભગવાનની પ્રતિમા ભરાવેલ છે. કચ્છ ભદ્રેશ્વરની કુટુંબ યાત્રા તથા ભોયણી તીર્થમાં મહોત્સવ કરાવેલ છે. કુટુંબમાં ધર્મના સંસ્કારો હોવાથી તેમનાં ધર્મપત્ની શ્રીમતી ચંદ્રિકાબેને પણ અઠ્ઠાઈતપ, ક્ષીરસમુદ્ર તપ, શત્રુંજય તપ, ત્રણે ઉપધાન તપ, વરસીતપ અને સિદ્ધક્ષેત્રમાં ચાતુર્માસની આરાધના કરેલ છે. સૌજન્ય અને શીલતાના ગુણો જીવનમાં પચાવી જાણ્યા છે. શ્રી અને સરસ્વતીનો સમન્વય જેમનામાં જોવા મળે છે. પરમદયાળુ પરમાત્મા તેમને દીર્ધાયુષ બક્ષે અને તેઓ સેવા આપતા રહે, તેવી અભ્યર્થના. ( અનેક એવોર્ડ પ્રાપ્ત કરનાર સ્વ. શ્રી માણેકલાલ સવાણી ) તા. ૨૨-૬-૧૯૨૮માં મુંબઈમાં જન્મ, વતન ધાનેરા (જીલ્લો બનાસકાંઠા). અનિવાર્ય સંજોગોને કારણે ભણતર અધુરુ છોડી ટ્રાન્સપોર્ટના ધંધામાં પિતાજી શ્રી વાડીલાલભાઈ સાથે “વાડીલાલ નભુભાઈ એન્ડ કું.'માં જોડાયા. ટ્રાન્સપોર્ટના ધંધામાં ઝંપલાવ્યું ત્યાર પછી તેમણે કયારેય પાછળ ફરીને જોયા વગર અદમ્ય ઉત્સાહ અને દીર્ઘદૃષ્ટિ વાપરી સખત પરિશ્રમથી દેશના વિવિધ પ્રદેશોમાં અલગ અલગ માલની હેરફેર કરવા લાગ્યા અને પોતાની જાતને આંતરરાજય રોડ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં મજબૂત રીતે સ્થાપિત કરી. સને ૧૯૫૩માં “વાડીલાલ નથભાઈ એન્ડ કું.”નું નામ બદલીને ““સવાણી ટ્રાન્સપોર્ટ કું.' કર્યું. ધંધાના વિસ્તરણને કારણે સને ૧૯૫૯માં કંપની પ્રા.લી. કંપની તરીકે સ્થાપિત થઈ. સને ૧૯૮૮માં કંપની સવાણી ટ્રાન્સપોર્ટ લીમીટેડ” બની, અને તેઓ તેના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર બન્યા. - ધંધાની સિદ્ધિરૂપે ૧OO બ્રાંચો અને રૂ. ૧ કરોડના ટર્નઓવર સાથે કંપનીની રજત જયંતીની ઉજવણી કરી. પછીના ૧૦ વર્ષમાં જ ખંત અને ઉત્સાહથી કંપનીને દોરવણી આપીને ૨૦૦થી વધારે બ્રાંચો અને રૂ. ૩.૫૦ કરોડના ટર્નઓવર સાથે ઝડપથી વિસ્તરણ કર્યું. ત્યારબાદ કંપનીએ રૂ.૩૫ કરોડના ટર્નઓવર સાથે સુવર્ણ જયંતીની ઉજવણી કરી. ધંધાનું વિસ્તરણ બહુ જ ઝડપથી કરવાની સાથે આજે 800થી વધારે બ્રાંચો દેશભરમાં પ્રસરેલી છે. પોતાના ધંધાની સાથે સાથે તેમણે ધંધાના બીજા માર્ગો જેવાકે પેટ્રોલ પમ્પ, એકસપોર્ટ, નાણાકીય ધિરાણ, ગોદામો, બાંધકામ અને જાહેરાતના ધંધાના કામમાં પણ વિસ્તરણ કર્યું. એમની દોરવણીથી સવાણી ગ્રુપ''નો મજબુત પાયો નંખાયો. ગ્રુપનું ટર્નઓવર રૂ.૫૦ કરોડથી વધારે છે. અને તેના નેજા હેઠળ નીચેનાં ઔદ્યોગિક સાહસો પ્રગતિ કરી રહ્યાં છે. (૧) સવાણી ફાઈનાન્સીયલ લીમીટેડ (૨) સવાણી હોલ્ડીંગસ પ્રા.લી. (૩) સવાણી ઇમ્પક્ષ પ્રા.લી. (૪) સવાણી કેરીંગ પ્રા. લી. (૫) સવાણી એન્ટરપ્રાઇઝ (૬) અમૃત ટ્રાન્સપોર્ટ કંપની (૭) સ્વદેશી વેરહાઉસીંગ કોર્પોરેશન (૮) સવાણી સર્વિસ સ્ટેશન (૯) સવાણી બ્રધર્સ (૧૦) સવાણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy