SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1031
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૨ ] [ જૈન પ્રતિભાદર્શન પાટણનિવાસી સંઘપતિ શેઠ નગીનદાસ કરમચંદ તરફથી કાઢવામાં આવેલ મહાન સંઘને ધ્રાંગધ્રા મુકામે તેમજ અમદાવાદનિવાસી સંઘપતિ શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી કાઢવામાં આવેલ સમૃદ્ધિશાલી વિશાળ સંઘને જૂનાગઢ મુકામે સ્વામિવચ્છલના આમંત્રણ આપી સંઘભક્તિનો પણ પુણ્યશાલી પોપટભાઈએ લાભ લીધો છે. જામનગરમાં તો નવકારશી ને સ્વામીવચ્છલના પ્રસંગો કેટલીયવાર તેઓશ્રીએ ઉદાર દિલથી ઉજવ્યાં હતા. પોતાનાં સહધર્મચારિણી શ્રીમતી ઉજમબહેનના વરસીતપના પારણા પ્રસંગે સેંકડો સાધર્મિક બન્દુઓ સાથે શ્રી સિદ્ધક્ષેત્રની છાયામાં જઈ પારણાનો પ્રસંગ ઘણી ઉદારવૃત્તિથી ઉજવ્યો અને નવકારશીનું જમણ આપી જૈનશાસનનો ડંકો વગાડ્યો. સં. ૧૯૭૬માં આ ગિરિરાજની છાયામાં મહામંગલયમ શ્રી ઉપધાનતપની આરાધના કરાવી અને તે પ્રસંગે માળારોપણ મહોત્સવાદિ શુભ કાર્યોમાં આ ભાગ્યશાળીએ હજારો રૂપીયાનો ખર્ચ કર્યો ઉપરાંત સંવત ૧૯૯૨માં પૂ. શ્રીસાગરાનન્દસૂરિજી મહારાજના શુભ હસ્તે તેઓના શિષ્યો વગેરેને અપાયેલ આચાર્યપદવીના સુપ્રસંગે પણ અષ્ટાપદ-સમવસરણાદિ પંચતીર્થની રચનાપૂર્વક અઠ્ઠાઇ મહોત્સવ, અષ્ટોત્તરી સ્નાત્ર, નવકારશી વગેરે ધર્મકાર્યમાં અઢળક દ્રવ્ય શ્રેષ્ઠિ શ્રી પોપટભાઈએ વાપરેલ. શાસનરસિક ધર્માત્માઓ ધર્મક્રિયા શાંતિપૂર્વક કરી શકે, સાધુમહારાજોના વ્યાખ્યાનાદિનો સુખપૂર્વક લાભ લઈ શકે તે નિમિત્તે જામનગરમાં જૈન લક્ષ્મીઆશ્રમની જોડે લગભગ પચાસથી સાઠ હજારના ખર્ચે દેવબાગ નામની ધાર્મિક સંસ્થા ઊભી કરનાર આ ભાગ્યશાલી શેઠ જ હતા. મહાનિર્જરાનું કારણ શ્રી વર્ધમાનતપ-આયંબિલખાતામાં રૂ. ૩OOOO જેવી ઉદાર સખાવત કરનાર અને સાધર્મિકોની ભક્તિ નિમિત્તે હજારોની રકમ અર્પણ કરવા સાથે જૈન ભોજનશાળાના મંડાણ કરનાર આ ધર્મવીર સંઘપતિનું યુગલ જ ગણી શકાય. દાન-શિયલ-તપ અને ભાવ એ ધર્મના ચાર પ્રકારમાં દાનધર્મનું આરાધન કરવામાં પોપટભાઈની જેવી તત્પરતા દેખાય તે પ્રમાણે શીલધર્મની સેવનામાં તેઓ જરા પણ ઉતરતા નહોતા. પોતાને સંતાન નહિ છતાં પિસ્તાલીસ વર્ષની પ્રૌઢ ઉમ્મરમાં, સંપત્તિનું સર્વાગ સુંદર સાધન છતાં, આજીવન સજોડે બ્રહ્મચર્યવ્રત ઉચ્ચરવું એ તેમનો મનોનિગ્રહ કેટલો મજબૂત હશે તે બતાવી આપે છે, એટલું જ નહિ પરંતુ સ્વયંગ્રહણ કરેલ સર્વશિરોમણિ બ્રહ્મચર્યવ્રતમાં માનસિક, વાચિક અને કાયિક અલના થવા ન પામે તેને માટે તેઓ સદા સાવધાન રહેતા. પોતાને અનુકૂલ સુશીલ ધર્મપત્નીનો સુયોગ થવો એ પણ તેમનો પરમ ભાગ્યોદય સૂચવે છે. દાન અને શિયલના ઉત્તમ સદ્ગુણો સાથે તપોગુણ પણ શ્રીમાન પોપટભાઈનો જાણવા યોગ્ય છે. ખાનપાનની સપૂર્ણ સામગ્રી છતાં અષ્ટમી, ચતુર્દશી, ઉજજવલ પંચમી વગરે પર્વતિથિઓના દિવસે ઉપવાસ, આયંબિલ, એકાસણું વગેરે કાંઈપણ તપસ્યા તેમને અવશ્ય હોય જ, શરીરની માંદગીમાં પણ તેઓ તપસ્યાની ભાવનાને ભૂલતા નહી. અરિહંત-સિદ્ધાદિ નવપદમય શ્રી સિદ્ધચક્રની ભગવંતની આરાધનામાં તેઓ એટલા ઉજમાળ કે એ આયંબિલની ઓળીના દિવસોમાં એક ધાન્યનાં આયંબિલની આકરી તપશ્ચર્યા અને તે પણ સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરી સર્વશિરોમણિ નવપદજી મહારાજના તેઓ આરાધક બન્યા. એ નવપદજીની ઓળી થયાં છતાં હજુ તે પ્રત્યેનો પૂર્ણ સભાવ તેવોને તેવો જ જોવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy