________________
અભિવાદન ગ્રંથ 7
L[ ૯૮૧
નિયમોથી વંચિત ન રહેતાં આપબળથી કરેલી લાખોની કમાણીમાં માતાપિતાએ અર્પણ કરેલા અને સદ્ગુરૂવરોના સંસર્ગથી પુષ્ટ થયેલા ધર્મવારસાને શ્રીમાન પોપટભાઈએ બરાબર સાચવી રાખ્યો. મોક્ષમાર્ગસમારાધક સુવિહિત સાધુ-મુનિવરોના સંસર્ગમાં આવતા જતાં, જૈન સમાજમાં જેઓનું દાર્શનિક વિજ્ઞાન અજોડ ગણાય છે, આગમના જેઓ અખંડ અભ્યાસી છે, જેની તલસ્પર્શિની તેમજ તત્ત્વનો નિષ્કર્ષ પ્રદર્શિત કરનારી મનમોહક વ્યાખ્યાનપદ્ધતિએ જૈન-જૈનેતર વિદ્વાનોને મુગ્ધ કર્યા છે, શાસન અને તીર્થોના સંરક્ષણાર્થે આજસુધીમાં જેઓએ પ્રાણાંત કસ્ટો પણ સહન કર્યા છે તે પરમતારક આગમોદ્ધારક પૂ. શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજનું શિષ્યાદિ પરિવાર સહિત સં. ૧૯૭૪માં મુંબઈમાં થયેલ ચાતુર્માસ દરમ્યાન શ્રીમાન પોપટભાઈએ સદ્દગુરૂવર્યના વિશેષ સમાગમમાં આવ્યા. વારંવાર થતા ધર્મશ્રવણથી શ્રદ્ધા-જ્ઞાનપૂર્વક વિરતિમાં પણ આગળ વધ્યા.
સંપૂર્ણ શ્રીમંતાઈ છતાં સાદાઇ, પ્રભુના શાસન ઉપર રોમરોમ રાગ, જ્ઞાનાભ્યાસમાં આગળ વધવાની ઉત્કંઠા અને યથાશક્તિ વિરતિનું આરાધન, તેમજ લક્ષ્મી ઉપરથી મૂર્છા ઓછી કરવા સાથે યોગ્ય ક્ષેત્રોમાં ખુલ્લો મૂકેલો દાનપ્રવાહ એ ચતુરંગી યોગ ભાગ્યે જ કોઈ પુણ્યશાલી વ્યક્તિમાં દષ્ટિગોચર થાય છે. સંઘપતિશ્રી પોપટભાઈ આ ચતુરંગી યોગનું સ્થાન હતું તેમ તેમના પરિચયમાં આવનારને આજે પણ અવશ્ય જણાય છે. - પાલીતાણા, રતલામ, જામનગરાદિ સ્થલોએ પૂ. શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી આદિની અધ્યક્ષતામાં હજારોના સવ્યયે કરાવેલા મહામંગલકારી શ્રી ઉપધાનતપની આરાધના તેઓને સમ્યગ્ગદર્શનાદિ રત્નત્રયીની સેવનામાં કેટલો અવિહડ રાગ છે તે બતાવી આપે છે. એ જ રીતે જામનગરમાં શ્રી વર્ધમાનતપ આયંબિલખાતુ-દેવબાગ-લક્ષ્મી આશ્રમ--જૈનાનંદ પુસ્તકાલય-જૈન વિધાર્થી ભુવન વગેરે ધાર્મિક સંસ્થાઓરૂપી કીર્તિસ્થંભો આજે પણ એ દાનવીરના યશોગાન ગાઈ કૃતજ્ઞતા પ્રદર્શિત કરે છે. - ઈ. સ. ૧૯૧૮માં આખાય હિંદમાં વિસ્તાર પામેલા ઈન્ફલુએન્ઝાના ઝેરી તાવે જામનગરમાં જ્યારે વિરાટ સ્વરૂપ લીધું તે અવસરે સ્થાનિક જૈન કોમની રાહત માટે દેશી વૈદ્યો તથા ડોક્ટરો મારફત દવા વગરેનું સાધન વિશાળ ખર્ચે પૂરું પાડનાર અને સ્વયંસેવકો દ્વારા દર્દીઓની સારવારશુશ્રુષા કરી અંતરના આશીર્વાદ મેળવનાર જો કોઈ હોય તો તે આ પુણ્યશાળી વ્યક્તિ જ હતી. તેમની સેવાથી સંતુષ્ટ થયેલા શ્રી જૈનસંઘે તેમને એ અવસરે હજારો માનવોની વિશાળ સંખ્યા વચ્ચે અભિનંદન પત્ર અર્પણ કરી. “સેવા ઘર્ષ પરમહિનો યોનિનામગામઃ' એ મહર્ષિની સૂક્તિનો અમલ કરનારની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી હતી. આ સિવાય ક્ષયની ભયંકર બીમારીથી પીડાતા દર્દીઓને રાહત મળે તે માટે જામનગર તથા પાલીતાણામાં તૈયાર થતાં સાર્વજનિક સેનીટોરીયમમાં રૂ. પOOOO તેમજ રૂ. ૨૫OOOની ગંજાવર રકમ અર્પણ કરી જૈન સમાજને શોભાવનાર પણ આ નરવીર હતા.
શાસનસમ્રાટશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી શ્રી કદંબગિરિ તીર્થમાં ગિરિરાજ ઉપર તથા નીચેના જિનમંદિરોમાં સ્વતંત્ર દેવકુલિકાઓ તૈયાર કરાવી તેમાં અનંત ઉપકારી શ્રી જિનેશ્વર મહારાજના બિંબોની અંજનશલાકા-પ્રતિષ્ઠાઓ શેઠ પોપટભાઈએ કરાવી છે. તે ઉપરાંત રૂ. ૨૩000ના
ખર્ચે આ તીર્થમાં જ વિશાલ ઉપાશ્રય બંધાવી શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીને તેઓએ અર્પણ કરેલ તું છે. સેલાણા (માળવા)માં ઉપાશ્રયની જરૂર જણાતાં તેનો અર્ધ ખરચ આપનાર પણ તેઓ જ હતા.
૧૧૬ ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org