________________
૯૭૬ ]
[ જૈન પ્રતિભાદર્શન
બન્ને સંસ્થામાં પ્રમુખ તથા ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે.
વઢવાણ સ્થિત વિકાસ વિદ્યાલય તથા સુરેન્દ્રનગર સ્થિત અનાથ આશ્રમ આદિ સંસ્થાઓ સાથે તન-મન-ધનથી સંલગ્ન રહ્યા. આજથી ૩ વર્ષ પહેલાં સુરેન્દ્રનગરમાં શ્રી મનસુખભાઈ દોશી લોકવિદ્યાલયની સ્થાપના કરી. વંડામાં શ્રી ઘનશ્યામભાઈ તથા શ્રી રતુભાઈ અદાણીની પ્રેરણાથી પોતાનાં માતુશ્રીની યાદમાં પ્રાથમિક શાળા બંધાવી. આજે તેમાં આઠસો બાળકો અભ્યાસ કરે છે. વંડામાં હાઈસ્કુલ શરૂ કરવાની પ્રેરણા સદ્ગત શેઠશ્રી લલ્લુભાઈએ આપી શ્રી જાદવજીભાઈએ સાવરકુંડલામાં બે હરિજન છાત્રાવાસો, બંગલાવાડી, બે આશ્રમશાળા વગેરેના નિર્માણમાં નોંધપાત્ર ફાળો આપ્યો. - હવે જીવન સંધ્યા વખતે, આજથી પાંચ વર્ષ પહેલાં વિચાર આવ્યો કે મુંબઈમાં ૧૯૪૮થી જયાં રહેતા હતા તે મરીનડ્રાઈવ પરની ખૂબ મોકાની આખી જગા સમાજની જ છે, તે જગાની આવેલી રકમમાંથી પણ સમાજલક્ષી કામો શરૂ કરવા અને નિવૃત્તિ થઈ વંડા, કુંડલા કે વડોદરામાં સ્થિર થઈ મુંબઈ છોડી દેવું. આ બધા કામોની સફળતામાં તેમની માતાનો પ્રેમ અને તેમનાં પત્ની કે જેમણે ગમે તેવા સંજોગોમાં પણ હસ્તે મોઢે ત્યાગ, સ્વાર્પણ સાથે માત્ર સાથ-સહકાર જ નહિ પણ પ્રેમ-મમતાભરી હૂંફ આપી તે છે. તેમણે ગરીબી જોઈ છે. આજે પણ તેની સંવેદના રાત્રિ-દિવસ થયા જ કરે છે. વડોદરામાં નાનાં-મોટાં સમાજસેવાનાં કાર્યો હાથ ધર્યા છે. સાવરકુંડલા અને વઢવાણમાં પણ યત્કિંચિત યોગદાન આપે છે.
તેઓએ સ્વામીશ્રી સચ્ચિદાનંદના ત્રણ દળદાર પુસ્તકોનો સંપુટ એવા ૫OO સંપુટોનું સસ્તા ભાવે તેઓશ્રીના વિચાર-પ્રચારાર્થે વિતરણ કર્યું છે. વણછરા પાદરા તાલુકાનું એક પછાત ગામ છે, ત્યાં સિવણકામ, બચત યોજના આદિ કામો કરે છે. તે ઉપરાંત પોતાનાં માતુશ્રી ઉજમબેન સોમચંદના નામે ટ્રસ્ટ કરીને આરોગ્યવર્ધક દેશી વનસ્પતિઓના ઉકાળા બનાવીને સમાજમાં તેનું વિસ્તૃત વિતરણ કરે છે. આમ સમાજના વિવિધ કામો સાથે તેમનો જીવંત સંપર્ક તેમની ૮૩ વર્ષની ઉંમરે પણ કાયમ રાખ્યો છે.
સ્વ. શ્રી પરમાનંદભાઈ કાપડિયાની સ્મૃતિમાં સફાઈ પુરસ્કારની વાતને તેમણે પોતાની કરીને તેટલી જ રકમ ઉમેરીને આ પ્રવૃત્તિને ખૂબ પ્રોત્સાહન આપેલું છે. (સંકલન : સુર્યકાન્ત પરીખ)
( શ્રી ધીરજલાલભાઈ ટી. કાપડિયા
શ્રી ધીરજલાલભાઈ આંધ્રની ભૂમિ ઉપર ગુજરાતી વ્યાપારી તરીકે | સારી નામના પ્રાપ્ત કરી ચૂકયા છે. તેઓના પિતાશ્રી ટોકરશીભાઈ લાલજીભાઈ કાપડિયા કચ્છી કર્મવીર તરીકે પ્રગતિ અને પ્રતિષ્ઠાનો પંથ
અજવાળે છે. શ્રી ટોકરશીભાઈ પોતાના દાની વ્યક્તિત્વ, ગ્રામ્યજીવન | ઉદ્ધારની સત્ત્વશીલ વૃત્તિ, હસમુખા સ્વભાવ, પરોપકારી સેવાવૃત્તિ,
ખાનદાની ગૃહસ્થી અને અનોખા શિક્ષણપ્રેમ માટે જાણીતા છે. આવા
નિષ્ઠાવાન પ્રતાપી પિતાના પુત્ર હોવું એ ગૌરવની વાત છે. સુપુત્ર શ્રી શ્રી ધીરજલાલ ટી. કાપડિયા
| ધીરજલાલભાઈ યોગ્ય દોરવણી અને અનુભવ-અભ્યાસને ધ્યાનમાં લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org