SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1000
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] / ૫૧ મૂળવિધિથી (પ્રથમ અક્રમ પછીથી બધા આયંબિલ) કર્યું. પ્રભાવનામાં મળેલા ઢગલાબંધ વાસણો એ પોતાના ઘેર ન લઈ ગયો પણ શહેરના આયંબિલખાતામાં દાનરૂપે આપી દીધા. ધન્ય દાનરૂચિ! સદાચાર–ન્યાયપ્રિય એ યુવાને પછીથી ચારિત્ર લીધું અને હાલ સુંદર રીતે એનું પાલન કરે છે. ( દઢ ધર્મરાગ ) નાસિકના બોરા વકીલ, દઢ ધર્મપ્રેમી. સદ્દગુરુઓ પાસેથી એમને રાત્રિભોજનના પાપની ભયંકરતા જાણવા મળેલી...પોતાની પુત્રી સુનંદાના લગ્નની કંકોત્રીને એણે જાણે ધર્મપ્રસંગની કંકોત્રીમાં ફેરવી નાખેલી. પાંચ પાનાની સુંદર એ કંકોત્રીમાં એમણે પોતે સજોડે બ્રહ્મચર્યવ્રત સ્વીકારશે, જિનેન્દ્ર ભક્તિ સ્વરૂપ પંચાહ્નિકા મહોત્સવ, કાંતિભાઈ વકીલ, ૩ૐકારમલજી નેમિચંદજી આદિ દીક્ષાર્થીનું પોતાના આંગણે સન્માન વગેરે લખાણથી ભરી દીધી; માત્ર છેલ્લે પાને લગ્નની વિગત ટૂંકમાં જણાવી દીધી. - નાસિકમાં ૨૦૩૩ની સાલમાં ઉજવેલા આ પ્રસંગમાં એમણે લગ્નવિધિના મંડપને જાણે ધર્મ મહોત્સવના મંડપમાં ફેરવી નાખેલો. પોતે ચતુર્મુખ ભગવાન સમક્ષ સજોડે વિધિપૂર્વક સંપૂર્ણ ચોથું વ્રત ઉચ્ચર્યું. પોતાને ત્યાંના ભોજન સમારંભમાં મોટા મેજિસ્ટ્રેટ-જો-વકીલોને આમંત્રણ છતાં કોઈને રાત્રિભોજન નહિ કરાવેલું. બોરા વકીલે પોતાને ત્યાં ગૃહમંદિર બનાવ્યું અને ત્યાં ખૂબ ભાવપૂર્વક પૂજાદર્શન આદિ પણ કરતાં. ( નવકાર મહામંત્ર આરાધક ) એમનું નામ પ્રાણલાલ લવજીભાઈ શાહ (અજારિયા), ઉંમર વર્ષ-૬૨, ધ્રાંગધ્રા. સદ્ગુરુની પ્રેરણા-ઉપદેશ પામી એમણે નવકારમંત્ર અધિકાધિક ગણવાનું શરૂ કર્યું. ઇતર સવિશેષ કામ ન હોય તો એ દિવસમાં લગભગ ૧૩ કલાક નવકાર મહામંત્રનો જાપ કરે છે. અત્યાર સુધીમાં સાડાદસ કરોડ નવકાર મંત્ર ગણ્યા છે. નિત્ય જિનપૂજા, અવસરે આયંબિલ તપ, ચોમાસામાં દેવસી પ્રતિક્રમણ આદિ. એમની સાધનામાં એ મસ્તીથી જીવન વ્યતિત કરે છે. ( મુક્તિ સુખરાગ ) એમનું નામ ડાહ્યાભાઈ પ્રભુભાઈ સથવારા (દલવાડી-જૈનેતર), ઉંમર વર્ષ ૮૦ ધ્રાંગધ્રા. જન્મ જૈન નહિ છતાં તેઓ ૧૫ વર્ષથી નવકારમંત્ર પામ્યા છે, અને ગણે છે. સામાયિક કરે છે. અત્યાર સુધીમાં ચૌદ લાખ નવકારમંત્ર ગણાય છે. ભદ્રેશ્વર, શંખેશ્વર આદિ અનેક તીર્થોની અનેકવાર યાત્રા કરી છે. નવકારમંત્ર પામ્યા પછી એમને એક મહાન ધર્માચાર્ય મળ્યા તો સુબુધ એ કહે : “મારે સંસારના સુખ સગવડ નથી માગવા.” “મારા આત્માને આપ સુધારો-તારો-સંસારના જન્મ મરણથી ઉગારો.'' * નડિયાદના સુશ્રાવક મનુભાઈ સુતરિયાના દાદા દર પૂનમે નડિયાદથી માતરની યાત્રા કરવા જાય. એ વખતે મહિનામાં આ એક જ વાર પોતાના ગાડા માટે બળદોની સેવા લે, બાકીના દિવસોમાં બળદોને ફક્ત ખવરાવવાનું જ કરે, બીજું કોઈ કામ ન કરાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy