________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[ ૫૦૭
છત્ર વડે શોભિત અને તેનું વાહન હંસ હોવાનો ઉલ્લેખ છે. દિગંબર પરંપરામાં તેનાં ચાર સ્વરૂપો વર્ણવેલાં છે : ચતુર્ભુજા, પભુજા, અષ્ટભુજા અને ચતુર્વિશતિભુજા. દેવીનાં મુખ્ય આયુધ-પદ્મને કારણે તેનું નામ પદ્માવતી પડેલું જણાય છે. તે હંમેશાં સર્પ સાથે સંકળાયેલી હોવાના ઉલ્લેખો મળે છે. આ યક્ષિણી પાતાળદેશવાસી કહેવાય છે. હિંદુ-પરંપરામાં શિવની શકિતને સ્વરૂપે પદ્માવતી (અથવા પરા)નો ઉલ્લેખ છે. 'ભૈરવ પદ્માવતી કલ્પ'માં આ યક્ષિણીને ત્રણ નેત્રો હોવાનો ઉલ્લેખ છે. આ જ ગ્રંથમાં પદ્માવતીનાં છ પર્યાયનામો જણાવ્યાં છે : તોતલા, ત્વરિતા, નિત્યા, ત્રિપુરા, કામસાધિની અને ત્રિપુરભૈરવી.૨૩
પદ્માવતીની સ્વતંત્ર તથા જિન-સંયુકત પ્રતિમાઓ મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. પદ્માવતીની પ્રાચીનતમ પ્રતિમાઓ ૯મી-૧૦મી સદીની છે. ઓસિયાના મહાવીર મંદિરના મુખમંડપની ઉત્તરની છજા પર દ્વિભુજા પદ્માવતીની પ્રતિમા આવેલી છે.૪ ઝાલારપાટણ (રાજસ્થાન)ના એક મંદિરમાં સાત સર્પ-છત્ર વડે શોભિત દેવીની એક સુંદર પ્રતિમા કંડારેલી છે.૨૫ ચતુર્ભુજા પદ્માવતીની બે પ્રતિમાઓ કુંભારિયાના નેમિનાથ મંદિરમાં અને એક પ્રતિમા આબૂ-દેલવાડાના વિમલવસતિમાં જોવા મળે છે. આ ત્રણેય પ્રતિમાઓનું આલેખન શ્વેતાંબર પરંપરા પ્રમાણે થયેલું છે. વિમલવસતિની દેવકુલિકા નં.૪૯ના મંડપના વિતાન પર પોડશભુજા (સોળ હાથવાળી) પદ્માવતીની પ્રતિમા ઉત્કીર્ણ છે.૨૭ દેવીના મસ્તકે સાત સર્પ-છત્ર શોભિત છે. દેવગઢમાં મંદિર નં. ૧૨માં આવેલી પદ્માવતીની પ્રતિમા પ્રાચીન છે. ચતુર્ભુજા દેવીએ વરદમુદ્રા, સનાલ પા, લેખિનીપટ્ટ અને કળશ ધારણ કર્યા છે. ગ્યારસપુરના માલાદેવીના મંદિરમાંથી દ્વિભુજા પદ્માવતીની ચાર મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે. ખજુરાહોમાં ચતુર્ભુજા પદ્માવતીની ત્રણ મૂર્તિઓ આવેલી છે. દેવગઢમાંથી પ્રાપ્ત થતી પદ્માવતીની મૂર્તિઓમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. અહીંથી દ્વિભુજા, ચતુર્ભુજા અને દ્વાદશભુજા પદ્માવતીની અનેક મૂર્તિઓ, અનુક્રમે મંદિર નં. ૧૬, ૧ અને ૧૧માંથી મળી આવી છે. દ્વાદશભુજા પદ્માવતીની એક અન્ય પ્રતિમા શહડોલમાંથી પણ મળી છે. ૨૮ પૂર્વ ભારતમાંથી પ્રાપ્ત થતી પદ્માવતીની પ્રતિમાઓમાં નાલંદાની તેમ જ ઓરિસાની નવમુનિ અને બારભૂજી ગુફાઓમાંની પ્રતિમાઓ ઉલ્લેખનીય છે.
દક્ષિણ ભારતમાંથી પણ પદ્માવતીની મૂર્તિઓ મળી આવી છે. કર્ણાટકમાં કન્નડ શોધ સંસ્થાન સંગ્રહાલયમાં ચતુર્ભુજા પદ્માવતીની બે સ્વતંત્ર પ્રતિમાઓ સુરક્ષિત છે. આ બંને મૂર્તિના મસ્તકે સર્પ-છત્ર શોભાયમાન છે. આમાંની એક પ્રતિમામાં વાહન તરીકે હંસનું આલેખન છે. કર્ણાટકમાંથી જ મળી આવેલી પદ્માવતીની અન્ય ત્રણ પ્રતિમાઓ મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. બાદામીની ગુફા નં. પની દીવાલ પર કંડારેલ પદ્માવતીની ચતુર્ભુજા મૂર્તિમાં વાહન સંભવતઃ હંસ (અથવા કૌચ) છે.
પદ્માવતીની પાર્શ્વનાથ સાથેની સંયુકત પ્રતિમાઓ પણ પ્રાપ્ત થઈ છે. આબૂ-દેલવાડાના વિમલવસતિની દેવકુલિકા નં.૪ અને ઓસિયાન મહાવીર મંદિરના બલાણકમાં પદ્માવતીની આવી સંયુકત પ્રતિમાઓ કંડારેલી છે. બંને જગ્યાએ દેવીના મસ્તકે સર્પ-છત્ર જોવા મળે છે. લખનૌના રાજ્ય સંગ્રહાલયમાં સુરક્ષિત પાર્શ્વનાથની એક પ્રતિમાની પીઠ પર ચતુર્ભુજા પદ્માવતીનું આલેખન કંડારેલું છે. ખજુરાહોના સ્થાનિક સંગ્રહાલયમાં પદ્માવતીની બે સંયુકત પ્રતિમાઓ સુરક્ષિત છે. પદ્માવતીની ઉપર્યુકત પ્રતિમાઓનો અભ્યાસ કરતાં જણાય છે કે દેવીની સ્વતંત્ર પ્રતિમાઓ લગભગ ૯મી સદીની અને સંયુકત પ્રતિમાઓ લગભગ ૧૦મી સદીની છે.
સિદ્ધાયિકા સિદ્ધાયિની) : શ્વેતાંબર પરંપરા પ્રમાણે સિદ્ધાયિકા અને દિગંબર પરંપરા પ્રમાણે સિદ્ધાયિની ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામીની યક્ષિણી છે. શ્વેતાંબરના મત પ્રમાણે ચતુર્ભુજા સિદ્ધાયિકા પુસ્તક, અભયમુદ્રા, માતુલિંગ અને બાણ ધારણ કરે છે, જ્યારે દિગંબરના મતે દ્વિભુજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org