________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[ ૫૦૧
પછીથી જ્યારે પાર્શ્વનાથ કાયોત્સર્ગની ક્રિયામાં અડગ ઊભા હતા ત્યારે તેમની સાધનામાં વિઘ્નો ઊભાં કરવા મઘમાલી (સામ્બરદેવનો પૂર્વભવ)એ ઉપસર્ગો કર્યા. તે વખતે પાતાળલોકમાં ધરણેન્દ્રનું આસન ડોલવા લાગ્યું. ધરણેન્દ્ર પોતાની પત્ની પદ્માવતી સાથે તેમના પરોપકારી પાર્શ્વનાથને રક્ષણે આવ્યા. ધરણેન્દ્રએ સાધનાના સ્થળે પહોંચીને અદ્વૈતના મસ્તક પર ફણાઓનું છત્ર કર્યું અને પદ્માવતીએ તેમના રક્ષણ માટે શ્વેત છત્ર ધર્યું. તે પછીથી તેઓ તેમનાં કાયમી સેવક બની રહ્યાં. જે સ્થળે આ બનાવ બન્યો હતો તે સ્થળ અહિચ્છત્રના નામે પ્રચલિત છે. (હાલ આ સ્થળ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં છે.) આ પ્રસંગની કથા બાદામી, ઈલોરા, ખંડિગિર વગેરેનાં ગુફામંદિ૨ોમાં કોતરવામાં આવી છે. સામાન્ય રીતે ભગવાન પાર્શ્વનાથને તેમના મસ્તક પર સર્પની ફણાઓ સાથે અને પદ્માવતી દેવીને તેમની શાસનદેવી તરીકે તેમની નીચે દર્શાવવામાં આવે છે. આ પ્રકારની પ્રતિમાથી તેમના અગાઉના સંબંધોનો ખ્યાલ આવે છે.
જૈન શિલ્પકળામાં પદ્માવતી દેવીનું સ્વરૂપ ઃ
જૈનધર્મમાં દિગંબર અને શ્વેતાંબર એમ બંને સંપ્રદાયો તેમનાં મંદિરોમાં પદ્માવતીનો સમાવેશ કરે છે; પરંતુ દેવીનાં ચિહ્ન અને ગુણ બંનેમાં ભિન્નતા જોવા મળે છે. શ્વેતાંબરમાં પદ્માવતીને કૂકડા અને સાપ પર સવાર થયેલાં અને ચાર હાથોમાં કમળ, પાશ, બીજારું અને અંકુશ ધારણ કરેલાં દર્શાવવામાં આવ્યાં છે. જ્યારે દિગંબરમાં પદ્માવતીને હાથની સંખ્યાની વિવિધતારૂપ ચાર પ્રકારે દર્શાવવામાં આવ્યાં છે. કેટલીક રચનાઓમાં તેમને સાપ અને કૂકડાના વાહન સાથે દર્શાવવામાં આવ્યાં છે, જ્યારે કેટલીક કૃતિઓમાં તેમને કમળ વાહન આપવામાં આવ્યું છે. જ્યાં તેમને ચાર હાથવાળાં દર્શાવવામાં આવે છે ત્યાં ચિહ્નો અને ગુણોની દૃષ્ટિએ અંકુશ, માળા અને બે કમળ ધારણ કરેલાં વર્ણવવામાં આવ્યાં છે અને છ હાથવાળાં દર્શાવવામાં આવે છે ત્યાં પાશ, તલવાર, ભાલો, અર્ધચંદ્ર, લાકડી અને દંડ ધારણ કરેલાં હોય છે. આઠ હાથવાળાં પદ્માવતીના હાથમાં પાશ અને બીજાં ઉપર્યુકત ચિહ્નો જોવા મળે છે.
--
સવાર તથા ચાર
દેવતા મૂર્તિ-પ્રકરણ'ની છેલ્લી આવૃત્તિમાં દેવીનાં સ્વરૂપને કૂકડા પર હાથવાળાં – કમળ, પાશ, લાકડી અને બીજોરું ધારણ કરેલાં વર્ણવ્યાં છે. આ રચનામાં તેના મુખ્ય ચિહ્ન સર્પ વિશે મૌન સેવાયું જણાય છે. પરંતુ બીજી રચનામાં કૂકડા અને સાપ--એમ બંનેનો તેના વાહન તરીકે સ્વીકાર કરવામાં આવેલો છે. શિલ્પકળા દ્વારા દેવીના પરિચયને લાગેવળગે છે તેમાં એમ જણાય છે કે, તેમની પ્રાચીન મૂર્તિ પ્રતિહાર સમય દરમિયાન (ઈ.સ.ની ૯મી સદી)ની મળી આવી છે; અને તે મથુરાના મ્યુઝિયમમાં જાળવવામાં આવી છે. અહીં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાન પાર્શ્વનાથ પ્રણાલિકાગત સિંહાસનથી ટેકવાયેલા સર્પના ગૂંચળા પર બિરાજમાન છે. સાત સર્પણા દ્વારા મસ્તક પર છત્ર રચાયું છે. તેમની સેવામાં યક્ષ ધરણેન્દ્ર અને યક્ષિણી પદ્માવતી દેવી જણાય છે. તે બંને એક એક ફેણ પાર્શ્વનાથના મસ્તક પર ધરી રહેલ છે. આ જ રીતે, ખંડિગિર ગુફા નં. ૭ અને ૮માં આવાં બીજાં બે શિલ્પ જોવા મળે છે. 'નવમુનિ' નામે જાણીતી ગુફા નં.૭માં ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથને સાપના વાહન સાથે અને પદ્માવતીને તેની શાસનદેવી તરીકે થોડાં નીચે દર્શાવવામાં આવ્યાં છે. દેવલ મિત્રાએ ઉલ્લેખ કર્યો છે કે, મૂળભૂત રીતે આ રહેણાંકની ગુફાઓ હતી, પરંતુ પછીથી મધ્યયુગમાં પવિત્ર સ્થળ તરીકે રૂપાંતિરત કરવામાં આવી અને તેને શાસનદેવીઓનું વિશ્રામસ્થાન ગણવામાં આવ્યું. સામવંશી રાજા ઉદ્યોતકેસરી (ઈ.સ.ની ૧૧મી સદી)ના શાસનકાળ દરમિયાન લખાયેલો એક શિલાલેખ નં. ૭ની ગુફામાં જોડવામાં આવ્યો છે. આ ગુફામાં પાર્શ્વનાથ બે પાંખડીવાળા કમળ પર બેઠેલા અને મસ્તક પર સાત ફણાના છત્રવાળા ચીતરવામાં આવ્યા છે. તેમના કમળના આસનની બંને બાજુએ ત્રણ ફણાવાળા સર્પ વિશિષ્ટ પ્રતીક તરીકે જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org