________________
४४
શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
વિવિધ લેખોમાં જે રજૂઆત થઈ છે તેમાં સમસ્ત પૂર્વકાલીન તથા અર્વાચીન વામ્યમાંથી શક્ય તે આધારનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે. તે તે ક્ષેત્રના તજજ્ઞોને આમંત્રીને આ ગ્રંથમાં તેમણે પ્રસ્તુત કરેલી સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે ફાળવેલા અમૂલ્ય સમય બદલ તે સૌના અમે આભારી છીએ. જે જે શાસ્ત્રગ્રંથો, મહાપુરુષો તથા અન્ય સ્ત્રોતોનો આ ગ્રંથના વિવિધ વિભાગોમાં ઉપયોગ કરવામાં આવ્યો છે તે સૌના અમે ઋણી છીએ અને તે સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. અપાયેલા વિવિધ સંદર્ભો વિશેષ વાચન માટે અતિ ઉપયોગી નીવડશે તેવી શ્રધ્ધા છે.
મિચ્છામી દુક્કડમ અને આભારદર્શન
આ ગ્રંથમાં જુદા જુદા લેખો અને લખાણોમાં જરા વિશાળ સંદર્ભમાં શક્તિનો પરિચય કરાવવામાં આવ્યો છે. સૌએ પોતપોતાના અભ્યાસ અને અનુભવ દ્વારા લખ્યું છે. તેમાં જાણે-અજાણે પણ જૈન ધર્મ કે જૈન પરંપરા કે જિનાજ્ઞાવિરુદ્ધ કોઈ ઉલ્લેખ થઈ ગયો હોય કે ભગવતીશ્રી પદ્માવતીજી માટે પણ ક્યાંય કોઈ પણ જાતનો જરા સરખો પણ અનાદર કે અવિવેક થઈ ગયો હોય તો, કે બીજી કોઈ ક્ષતિઓ બદલ અમે અંતકરણપૂર્વક ક્ષમા માગીએ છીએ,
દરેક લખાણ અને લેખોની વિગતો વિવેકપૂર્વક વાંચવા વાચકોને અમારી ખાસ વિનંતી છે. કોઈ અક્ષમ્ય ભૂલ જણાય તો જરૂર અમારું ધ્યાન દોરશો. અવકાશે આ ગ્રંથની બીજી આવૃત્તિ કે બીજા ભાગમાં એવી બાબતોનો યોગ્ય રીતે પરામર્શ થશે.
આ ગ્રંથ યોજનામાં સિકન્દ્રાબાદ જૈન સંઘના અગ્રણી શ્રી રાજેન્દ્રભાઈ દલાલ તથા નાગપુર જૈન સંઘના અગ્રણીઓ શ્રી અમરચંદભાઈ મહેતા, મુકેશભાઈ સાવડિયા તથા ભરૂચ અને અમદાવાદ સોલા જૈન સંઘના અગ્રણીઓએ ખૂબ જ પ્રોત્સાહક બળ આપ્યું છે.
આ ગ્રંથમાં મારા સ્નેહમિત્ર શ્રી વિનોદરાય ગુલાબચંદ શેઠ અને શ્રી બળવંતભાઈ શાહ તથા સાધના પ્રેસના સંચાલકો શ્રી ભરતભાઈ તથા બીપીનભાઈ ખૂબ ઉપયોગી બન્યા છે. મુદ્રકોએ આપેલા સહયોગ બદલ એ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. છેક શરૂથી શિવમ કોર્પોરેશનવાળા શ્રી પ્રહલાદભાઈ, પ્રિન્ટ વીઝન-અમદાવાદવાળા શ્રીયગ્નેશભાઈ પંડ્યા અને નવીનભાઈ શાહ-કિતાબઘરપ્રિન્ટરી-રાજકોટવાળાનું યોગદાન ઘણું મોટું છે. માર્ગદર્શન અને યોગ્ય દિશાસૂચન આપવા બદલ પૂ. શ્રમણ ભગવંતોના અને સૌજન્ય દ્વારા સહયોગ આપનારા શ્રેષ્ઠીવર્યોના અમે અત્યંત ઋણી છીએ. અંતમાં પાકાંતિ જેવું સુખદ વરદાન આપનારી હે પદ્મિની ભગવાન પાર્શ્વનાથની ભવોભવ ભક્તિ કરવા તેમનું શરણ અપાવજે અને આ ગ્રંથરત્ન સૌ કોઈને ઉપયોગી અને પ્રેરણાદાઈ બની રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ છે
સેવક - નંદલાલ દેવલુકનાં વંદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org