________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
શ્રી પદ્માવતીજીની આરાધનામાં આશાતનાઓથી બચવા શું કરવું ?
* જસુભાઈ જે. શાહ
સાધક માટે ત્રણ સ્થિતિ અનિવાર્ય છે ઃ અશુભથી નિવૃત્તિ, શુભમાં પ્રવૃત્તિ અને આત્મતત્ત્વમાં જાગૃતિ. આ ત્રણેમાં જો પ્રગતિ થાય તો સાક્ષાત્કાર થાય. અહીં અશુભમાંથી નિવૃત્તિની પ્રાથમિક વાતો જણાવાઈ છે. વ્યર્થનું વિસ્મરણ થાય તો યથાર્થનું દર્શન થાય. આરાધના હમેશાં નિશ્ચિત વિધિક્રમો સાથે જ થાય. આરાધનામાં હેય અને ઉપાદેય પર ધ્યાન દેવું પડે છે. હેય ત્યજવાની બાબતો અને ઉપાદેય સ્વીકારવાની બાબતો. શ્રી જસુભાઈ શાહે ત્યજવા યોગ્ય આશાતનાઓ વિશે માહિતી આપી છે તે અત્યંત ઉપયોગી બની રહેશે.
=
=
સંપાદક
પરમ કૃપાળુ દેવાધિદેવ, ત્રણ લોકના નાથ તીર્થંકર પરમાત્મા પાર્શ્વનાથ ભગવાનનાં ચરણોની સેવિકા, ભવનપતિના ઇન્દ્ર નાગરાજ ધરણેન્દ્રની પ્રિયતમા, જેમનું નામસ્મરણ સુખકારી છે, જેમને કરેલું વંદન વિવિધ કષ્ટોને કાપે છે તથા જેમની કરેલી આરાધના, પૂજન-અર્ચન પ્રભુતાના શિખરે પહોંચાડે છે, તેવી મહાદેવી શ્રી પદ્માવતીની આરાધનાથી અનેક પ્રકારના ભૌતિક અને આધ્યાત્મિક લાભો થાય છે. પણ મહાદેવી ભગવતી પદ્માવતીની આરાધનામાં આશાતનાઓથી બચવા શું કરવું ?
[૪૬૩
માતાજીની આરાધના ગમે તેટલી સુંદર કે ભવ્ય કરી હોય, પણ તેમાં જો આશાતના થઈ જાય તો તે નિષ્ફળ જાય છે, એટલું જ નહિ; કોઈ વખત મુશ્કેલી પણ સર્જે છે. માટે ! પદ્માવતીની આરાધના શરૂ કરતાં પહેલાં આરાધના કેવી રીતે કરવી તે જાણી લેવું અત્યંત જરૂરી છે.
શ્રી પદ્માવતીજીની આરાધનામાં એવી તાકાત છે, અરે ! એના નામ માત્રમાં એવી વિરાટ શકિત છે કે આ વિરાટ વિશ્વમાં એવો કોઈ પદાર્થ નથી, કે જે મા ભગવતીની આરાધનાના પ્રભાવે પ્રાપ્ત કરી ન શકાય. પણ આ માટે આરાધના શુદ્ધ થવી જોઈએ.
શ્રી પદ્માવતીજીની આરાધના કરતાં પહેલાં આશાતનાઓ ન થાય તે માટે નીચેની બાબતોનું જ્ઞાન અવશ્ય મેળવી લેવું જોઈએ :
શ્રી પદ્માવતીજીનું સ્વરૂપ શું છે ? તેની સ્થાપના કેવી રીતે કરવી જોઈએ ? તેમના પૂજન-અર્ચન માટે કઈ કઈ સામગ્રીઓ જોઈએ ? અને તે સામગ્રી શુદ્ધ છે કે કેમ ? તે સામગ્રીનો ઉપયોગ કયારે અને કેવી રીતે કરવો ? આરાધના માટે યોગ્ય સમય પસંદ કર્યો છે કે કેમ ? ઉપરાંત મંત્ર-જાપ માટે મંત્રનું વાસ્તવિક સ્વરૂપ શું છે ? તેમાં શકિત કઈ રીતે ઉત્પન્ન થાય છે મંત્ર કઈ વિધિએ અને કેવી રીતે કરવો જોઈએ ? મંત્ર સિદ્ધ થવાના લક્ષણો શું છે ? આ બધી વાતોનું જ્ઞાન ચોકસાઈપૂર્વક મેળવીને જો આરાધના કરવામાં આવે તો આરાધનામાં થતી આશાતનાઓ નિવારી
શકાય.
માનવ સુખ ઇચ્છે છે; પણ સુખના સાધનો મેળવી આપનાર સાધના પ્રત્યે જોઈએ તેટલી જાગૃતિ રાખતો નથી, એટલે એ સાધના ફળીભૂત થતી નથી. આરાધનામાં જો વિધિ-વિધાનનું પાલન ન થાય તો અનુષ્ઠાન પૂર્ણ થતું નથી અને સાધક ઇષ્ટ સિદ્ધિને પ્રાપ્ત કરી શકતો નથી. મા ભગવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org