________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[૪૫૫
સાધકની સિદ્ધિનાં ત્રણ લક્ષણો વિશેષપણે ધ્યાનમાં રાખવાં : ૧. દાતા, ૨. ભોફતા અને ૩. અયાચકવૃત્તિ. એટલે સાધક ઉદારવૃત્તિથી દાન આપે, પોતે સારામાં સારી વસ્તુ માતાને અર્પણ કરી ઉપયોગમાં લે અને કોઈની પાસે યાચના ન કરે. કોઈ ઉપસર્ગોથી ભય પામે નહિ. બીજા દેવોને પણ માતાના સ્વરૂપમાં જ જુએ. સદા - સર્વોપર તોડમિન પરામ્બાનિદેવરૂપ તામ્ - આ લોકમાં સર્વોપરિ એકરૂપા માતાને જ હું જોઉ છું, એમ ચિંતવે તથા પોતાની બધી ક્રિયાઓ માતાને અર્પણ કરે.
વર્ષાવિધિ માતા ન મવતિ-ના આધારે સર્વત્ર શાંતિ જ મળે છે. છતાંય આટલું જરૂર ધ્યાનમાં રાખવું જોઈએ કે જેમ બંદૂકમાં દારૂ અને ગોળી મૂકયા પછી તેને છોડતી વખતે તે છેક પાછળ પણ પ્રત્યાઘાત કરે છે, તેમ સાધનામાં આગળ વધતાંની સાથે ઘણાં વિઘ્નો પણ આવે છે. આ વિષે અહીં એક પ્રત્યક્ષ ઉદાહરણ આપું તો અનુચિત નહિ ગણાય.
કેટલાંક વર્ષો પહેલાં હું શતાવધાની પં.શ્રી ધીરજલાલ ટોકરશી શાહની સાથે મુંબઈમાં જૈન સાહિત્ય વિકાસ મંડળ - સંસ્થામાં કામ કરતો હતો. તે વખતે શાભાઈ માતા પદ્માવતીની ઉપાસના કરતા હતા. તેમનો મારા પ્રત્યે વધુ અનુરાગ હોવાને લીધે પોતાની ઉપાસના અંગે થતા અનુભવો મને ઘણીવાર કહેતા હતા. એક દિવસ એમના ઘરમાંથી અમુક દ્રવ્યનું અપહરણ થયું, કે જે અસહ્ય હતું. તો પણ તેમણે શાંતિથી ઉપાસના ચાલુ રાખી. ત્યાર પછી કેટલાક દિવસો વીત્યા અને એમના ચિરંજીવીની તબિયત બગડી. અને સ્થિતિ ત્યાં સુધી પહોંચી કે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, અને ત્યાં જ રહેવું પડે એવી સ્થિતિ સર્જાઈ. કેટલાય દિવસ સુધી તેમનાથી બોલી શકાયું નહિ. તો પણ આ બાજુ તેમની સાધના એકસરખી ચાલતી હતી. કલ્પના કરો કે, સાધનાના નિયમોમાં સંકળાયેલો માનવી, જેને એકમાત્ર પુત્ર હોય અને તેની આવી સ્થિતિ હોય, તે વખતે શી રીતે ધૈર્ય રાખી શકે ? પણ અમે આશ્ચર્યપૂર્વક જોયું કે તેમણે જરાય વિચલિત થયા વગર અનન્ય નિષ્ઠા અને શ્રદ્ધાથી માતાનું જ શરણ લીધું, એટલે તેઓ પરીક્ષામાં પસાર થયા, અને તેમના ચિરંજીવીને નવું જીવન પ્રાપ્ત થયું. તે પછી તો તેમની સાધના ખૂબ જ આગળ વધી. ઘણા માણસોને તેમણે અમુક સંકટોમાંથી છોડાવ્યા છે, તેમાંનો એક હું પણ છું. કહેવાનું તાત્પર્ય એ છે કે સાધકે ધીર, વીર અને ગંભીર થવું જોઈએ.
પદ્માવતી-ઉપાસના : શ્રી મલ્લિપેણસૂરિવિરચિત 'પદ્માવતીકલ્પ'માં મંત્રોપાસનાનાં ૨૩ લક્ષણો વર્ણવ્યાં છે. અને અનુષ્ઠાન કરવા પહેલાં મંત્રી એ પકર્મ-દીપન, પલ્લવ, સંપુટ, રોધ, ગ્રંથન અને વિદર્ભનું જ્ઞાન કરી મંત્રમૈતન્ય કરવું જોઈએ. મહાત્મા તુલસીદાસના કથન પ્રમાણે - મંત્ર પરમ તપુ નામુ બસ, વિધિ રિ દુર સુર સર્વ | મહામત્ત ગ{Is é બસ ૧૨ અંશ ઉર્વ || અર્થાત જેમ મહામત્ત ગજરાજને નાનકડો અંકુશ વશમાં કરે છે, તેમ મંત્ર પણ સર્વ દેવોને વશમાં કરે છે. મંત્રમાં શકિત આવી જાય, પછી ગુરુપદિષ્ટ માર્ગથી ઉપાસનામાં પ્રવૃત્તિ થાય. પોતાના ઇષ્ટદેવની પીઠોની યાત્રા કરે અને ગુરુ વડે પ્રાપ્ત સુત્રરૂપ ઉપાસનાપથને પ્રશસ્ત કરવા માટે વિવિધ સાધકોની સોબત કરે, તેમ જ પ્રકટ પૂજાપ્રક્રિયાઓને જોઈ ગુર્વાજ્ઞા અનુસાર આગળ વધે. ગુરુ અને શાસ્ત્ર બંનેના આદેશોની કોઈ પણ રીતે અવહેલના ન થાય તે માટે સાવધાન રહે.
સાધકની સિદ્ધિનાં ત્રણ લક્ષણો વિશેષપણે ધ્યાનમાં રાખવાં : ૧. દાતા, ૨. ભોક્તા અને ૩. અયાચકવૃત્તિ. એટલે સાધક ઉદારવૃત્તિથી દાન આપે. પોતે સારામાં સારી વસ્તુ માતાને અર્પણ કરી ઉપયોગમાં લે અને કોઈની પાસે યાચના ન કરે. કોઈ ઉપસર્ગોથી ભય પામે નહિ. બીજા દેવોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org