________________
૪૩૦]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
મહા પ્રભાવક મંત્ર-યંત્ર-મય શ્રી પદ્માવત્યષ્ટકમ્)
* પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ
શતાવધાની તરીકે ખૂબ જ ખ્યાતિ પામેલા પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ એક અચ્છા સાધક હતા, અમારા માર્ગદર્શક હતા, નમસ્કાર મહામંત્ર અને દેવી પદ્માવતીજીના પરમ ઉપાસક હતા. ઉપાસના વિષયક ગ્રંથોમાં અને શ્રી શ્રી પદ્માવતી દેવીના સ્વરૂપ-પરિચય માટે આંગળીના વેઢે ગણાય એટલા અલ્પ જે પ્રમાણભૂત ગ્રંથો છે તેમાં પંડિતશ્રીનો એક શ્રી પદ્માવતી-પ્રસન્ન' ખ્યાતિપ્રાપ્ત ગ્રંથ
છે. અમે એ ગ્રંથનો શ્રી પદ્માવત્યષ્ટકમ્ વિભાગ અહીં પ્રસ્તુત કરતાં ગૌરવ (અનુભવીએ છીએ.
-- સંપાદક
અમે શ્રી પાર્શ્વ-પદ્માવતી ગ્રંથ (ચોથી આવૃત્તિ)ના અઢારમા પ્રકરણમાં મંત્ર-યંત્રમય મહા પ્રાભાવિક પદ્માવતી સ્તોત્ર' અર્થ સહિત આપેલું છે. તેમાં ૩૭ શ્લોકો પ્રકટ કરેલા છે; જ્યારે લઘુ વિદ્યાનુવાદમાં આ જ સ્તોત્રમાં ૪૧ શ્લોકો જણાવેલા છે, તો અન્યત્ર તેથી પણ ઓછાવત્તા શ્લોકો સાથે છપાયેલું છે. એટલે પ્રશ્ન એ થાય કે આ સ્તોત્ર મૂળ કેટલા શ્લોકપ્રમાણ હશે ? પરંતુ વિક્રમની બારમી-તેરમી સદીમાં થયેલા મંત્રતંત્રવિશારદ શ્રી પાર્શ્વચંદ્રમણિએ તેને ૮ + ૧ શ્લોકવાળું અષ્ટક માનીને તેના પર ટીકા રચેલી છે. એ લોકો આજે પ્રચલિત સ્તોત્રના ૧ થી ૮ તથા ૩૨મા શ્લોક તરીકે દષ્ટિગોચર થાય છે. વળી, આ સ્તોત્રની ફલશ્રુતિ તરીકે જે શ્લોકો પ્રચારમાં છે તેમાં આ શ્લોકોનું જ ફલ કહેલું છે. જેમ કે,
आद्यं चोपद्रवं हन्ति, द्वितीयं भूतनाशनम् । तृतीये मारी हन्ति, चतुर्थे रिपुनाशनम् ।। पञ्च पञ्चजनानाञ्च, वशीकारं भवेद् ध्रुवम् । षष्ठं चोच्चाटनं हन्ति, सप्तमे रिपुनाशनम् ।। अत्युद्वेगांश्चाष्टमे च, नवमे सर्वकार्यकृत् । इष्टा भवन्ति तेषां च, त्रिकालपठनार्थिनाम् ।।
આ સ્તોત્રના પહેલા શ્લોકથી ઉપદ્રવોનો નાશ થાય છે. બીજા શ્લોકથી ભૂત-પ્રેતની પીડા દૂર થાય છે. ત્રીજા શ્લોકથી મારી વગેરેનો નાશ થાય છે. ચોથા શ્લોકથી શત્રુઓનો નાશ થાય છે. પાંચમા શ્લોકથી રાક્ષસો વગેરેનું નિશ્ચયથી વશીકરણ થાય છે. છઠ્ઠા શ્લોકથી ઉચ્ચાટન પ્રયોગની અસર દૂર થાય છે. સાતમા શ્લોકથી રિપુસમૂહનો નાશ થાય છે. આઠમા શ્લોકથી મનનો ઉદ્વેગ, મનની વિહવળતા દૂર થાય છે. નવમાં શ્લોકથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. આ રીતે આ સ્તોત્રનો ત્રિકાલ. એટલે સવાર, બપોર અને સાંજ પાઠ કરનારાઓને ઇષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે.
અન્યત્ર અન્ય શબ્દોમાં આ ફલશ્રુતિ રજૂ થઈ છે ત્યાં પણ તેના નવ શ્લોકોનું જ ફળ બતાવવામાં આવ્યું છે. એટલે આ સ્તોત્ર મૂળ અટકરૂપ હતું અને કાળક્રમે તેમાં અન્ય શ્લોકો ઉમેરાતા ગયા એ નિશ્ચિત છે.
પ્રચાર તો એવો છે કે આ અષ્ટક પૂર્વાચાર્યરચિત છે, પણ તેનો બહુ ઊંડાણથી અભ્યાસ કરતાં એમ લાગે છે કે આ અટક જૈનાચાર્યનું નહિ, પણ શાકૃત-સંપ્રદાયના કોઈ મહાવિદ્વાનનું રચેલું છે. જો આ સ્તોત્ર જૈનાચાર્યનું રચેલું હોય તો પ્રારંભમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની વંદના હોત અને તેની સેવિકા તરીકે શ્રી પદ્માવતી દેવીનો ઉલ્લેખ હોત, પણ તેની શરૂઆત જુદી જ રીતે થઈ છે અને તેનું વર્ણન બહુધા શાફતમતાનુસારી દેવીનો જ ખ્યાલ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org