________________
૩૫૦ ]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
વિવિધ સ્વરૂપો વચ્ચે દેવી એક જઃ જૈનધર્મમાં નિરૂપિત પદ્માવતી દેવી અન્ય ધર્મોમાં એક જ આંતર સ્વરૂપે, છતાં વિવિધ નામોથી નિષ્પન્ન થતાં જોવા મળે છે. પછી તે હિંદુઓનો શૈવ સંપ્રદાય હોય કે વૈદિક સંપ્રદાય હોય અથવા બૌદ્ધધર્મનો સંપ્રદાય હોય. ખરેખર તો તેને સંપ્રદાયો તરીકે ઓળખવા જતાં ઘણી બૌદ્ધિક ચર્ચાઓ ઊભી થવાની પૂરી શકયતાઓ રહેલી છે. શ્રી એચ.એમ. જાની અને શ્રી એસ. એમ. નવાબના 'પદ્માવતી ઉપાસના' નામના ગ્રંથમાં આ અંગે ઘણો પ્રકાશ પાડવામાં આવ્યો છે. જૈનધર્મનાં આ જ પદ્માવતી દેવી શૈવ સંપ્રદાયમાં 'ગૌરી' તરીકે સ્થાન પામ્યાં છે, તો વૈદિક ઉલ્લેખોમાં તેમને ગાયત્રી' અને 'સાવિત્રી' તરીકે નવાજવામાં આવ્યાં છે. બૌદ્ધધર્મીઓ તેમની 'તારા'ના નામાભિકરણ હેઠળ પૂજા-ઉપાસના કરતા આવ્યા છે, તો કૌલિક સંપ્રદાયમાં વ’ તરીકે તેમની ગણતરી થાય છે. સાંખ્યમતમાં માનનારા તેમને કદાચ પ્રકૃતિ' તરીકે પણ ઓળખાવે.
માહ્ય સ્વરૂપે ભિન્નતા અને આંતરસ્વરૂપે એકતા દેખાય છે; અને એ જ દૈવી તત્ત્વની ઝાંખી છે. નરસિંહ મહેતાએ ગાયું છે તેમ "ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.”
આમ છતાં, એક બાબત ચોક્કસ છે કે દરેક ધર્મમાં દેવીનું સ્થાન અને આસન હમેશાં મૂઠી ઊંચેરું જ રહ્યું છે. તેમને હમેશાં સર્વોચ્ચ આસને જ વિરાજમાન કરવામાં આવ્યાં છે. પછી તે પાવાગઢના સર્વોચ્ચ શિખર પર મહાકાળીના સ્વરૂપે હોય, કે આબુ-અંબાજી યા આરાસુરવાળી મા અંબિકા હોય, કે પછી ચોટીલામાં સર્વોચ્ચાસને બિરાજમાન ચામુંડા માતાના સ્વરૂપે હોય. ધર્મોનું સંકલન કયાંક કયાંક આશ્ચર્યજનક તબક્કે થતું જોવા મળે છે.
મહુડીના ઘંટાકર્ણ'ની મૂર્તિ અને તેમની કથા-પરંપરાના વિવિધ અંશોથી વાકેફ થતાં આવી પ્રતીતિ મળી રહે છે. 'શિવ' સિવાય કંઈ નહિ સાંભળવા માટે હાથીની માફક બંને કાન હલાવ્યા કરવા, અને બંને કાનમાં ધારણ કરેલી ઘંટિકાઓ વાગતી જ રહે તો પૂર્વાશ્રમના ક્ષત્રિય રાજાની સ્મૃતિ રૂપે ધનુષ્યબાણ પર અનુરાગ વર્તાતો રહે. હિંદુઓનાં અગ્નિપુરાણ અને હરિવંશપુરાણમાં તો શિવના ગણ તરીકે તેમનો પરિચય પ્રગટ થાય છે. અગ્નિપુરાણમાં તો શિવમંદિરની બહાર ક્ષેત્રપાલ” સ્વરૂપે દર્શાવાયા છે. જ્યારે બૌદ્ધધર્મમાં પણ ઘંટાકર્ણનું અસ્તિત્વ છે જ, પરંતુ બે હાથમાં બે ઘંટિકાઓ પકડેલા સ્વરૂપમાં. આવું કંઇક પદ્માવતીદેવી અંગે જોવા મળે છે. કમળ જેવાં પુષ્પો અને વાઘ જેવાં પ્રાણીઓ પર હિંદુ દેવીઓ આસનસ્થ છે, તેમ પદ્માવતી દેવી પણ પદ્મ પર બિરાજમાન થયેલ છે. તેથી સ્વાભાવિક રીતે જ કમળમુદ્રા સવિશેષ મહત્ત્વની બની રહે છે. તેમની ઊભેલી મૂર્તિઓ પણ જોવા મળે છે. મુંબઇમાં વાલકેશ્વરમાં અને પ્રભાસ-પાટણમાં તપાગચ્છીય જૈન ઉપાશ્રયમાં અને ઉત્તર ગુજરાતમાં પાટણમાં તથા રાજકોટમાં પ્રહૂલાદ પ્લોટમાં આવેલા મહાવીર જિનપ્રાસાદમાં પદ્માવતીની મૂર્તિઓ સ્થાપિત થયેલી છે. ત્યાં પૂજ્ય પંન્યાસ શ્રી ધર્મધ્વજવિજયજી મહારાજ સાથેની રૂબરૂ મુલાકાતમાં આ જાણકારી મળતાં પ્રત્યક્ષ જોવાનો લાભ મળ્યો. આ દેરાસરમાં ઉપરના ભાગે મલ્લિનાથ ભગવાન વિરાજે છે. નીચે એક બાજુ પદ્માવતી દેવીની મૂર્તિ છે. બીજી બાજુએ માણિભદ્રદેવની મૂર્તિ સ્થાપેલી છે. દિગંબર મંદિરની રૂબરૂ મુલાકાતે જતાં જાણવા મળ્યું કે ત્યાં પદ્માવતીની મૂર્તિ નથી. હરિવંશપુરાણમાં ઘંટાકર્ણ અને માણિભદ્રનો બે ભાઇઓ તરીકેનો ઉલ્લેખ છે. મંત્રતંત્ર-વિધિવિધાનો જોડાયેલાં જ રહે છે. હિંદુ તંત્રશાસ્ત્ર શારદાતિલક'માં હિંદુઓની મહાલક્ષ્મી જેવી જ, સર્વ કામના પૂર્ણ કરનારી દેવી તરીકે પદ્માવતીદેવીના યંત્રની બે ચિત્રાકૃતિઓ જોવા મળે છે. ચિત્રકાર શ્રી જયંતભાઇ ઝવેરીએ તેનું સરસ ચિત્ર શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ'માં આપ્યું છે.
પદ્માવતી દેવીના પૌરાણિક ઉલ્લેખો : ખંભાતના બંદર પર પોતાનો અડીંગો જમાવી દેનાર લાટનો રાજા શંખ વસ્તુપાલથી પરાજિત થયો એ ઘટનાને નિરૂપિત કરનાર શંખ-પરાભવ'ની હસ્તપ્રત આગમપ્રભાકર પૂજ્ય મુનિપ્રવર શ્રી પુણ્યવિજયજી મહારાજે અમદાવાદના દેવશાના પાડામાં આવેલા હસ્તપ્રત-ભંડારમાંથી શોધી કાઢી હતી, તેમ દ્વિજ શ્રી પાર્શ્વદેવ ગણિજી રચિત “શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org