________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[ ૩૨૧
વખતે વીરવિજયજી મહારાજ સાથે જે યાત્રિકો રહ્યા હતા તે બધાને પદ્માવતીદેવીની સહાયથી સહીસલામત અમદાવાદ પાછા લાવવામાં આવ્યા હતા. યાત્રામાં મહારાજ સાહેબ વખતોવખત તંબુઓની આસપાસ પદ્માવતીદેવીના જાપથી મંત્રેલું પાણી છંટાવતા હતા.
શ્રી વીરવિજયજી જ્યારે જ્યારે અમદાવાદ પધારતા ત્યારે કાળુપુરમાં આવેલ ભઠ્ઠીની બારીવાળા ઉપાશ્રયમાં સ્થિરતા કરતા. ત્યાં અજિતનાથ ભગવાનના મંદિરવાળા ઉપાશ્રયના આગલા ભાગમાં પદ્માવતીદેવીની મૂર્તિ છે. શ્રી વીરવિજયજી મહારાજે ત્યાં રહી પદ્માવતીદેવીની સાધના કરી હોવાનું મનાય છે. રકત પદ્માવતીદેવીની સાધના પણ શ્રી વીરવિજયજી મહારાજે કરી હોય તેમ લાગે છે; કારણ, રાતા રંગવાળી પદ્માવતીદેવીની ભવ્ય અને તેજસ્વી મૂર્તિ આજે પણ અમદાવાદ નજીક નરોડાના પાર્શ્વનાથ મંદિરમાં જોવામાં આવે છે.
આ રીતે ભગવાન પાર્શ્વનાથ અને તેમનાં અધિષ્ઠાયક દેવ-દેવીઓની ભકિત અને શકિત વિશે કંઈ કેટલુંય જાણવા મળે છે.
લક્ષ્મીદેવી - શેરીસા જિનાલય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org