SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] સમન્વિત ધર્મચેતનાના ઉદાત્ત માતા પદ્માવતી * ડૉ. હરગોવિંદ ચં. નાયક તીર્થંકર સર્વજ્ઞ છે... વીતરાગ છે... વીદ્વેષ છે.... વીતમોહ છે... વીતલોભ છે. જુએ ખરા, પણ કોઈ પ્રતિભાવ કે પ્રક્રિયા આપે નહિ. જ્ઞાતા-દ્રષ્ટાભાવનું સાક્ષાત્ સ્વરૂપ છે. સપ્તભંગી તરંગિણી અને સ્યાદ્વાદમંજરી જેવા અનેક ગ્રંથોમાં તત્ત્વના સમન્વયને અનુલક્ષીને અનેક વિચારણા કરવામાં આવી છે. અત્રે શ્રી નાયકે ધર્મતત્ત્વમાં ઔદાર્ય અને ઉદાત્ત ભાવનાથી પ્રગટ થતા અવિરોધ અને સમન્વયનું સુપેરે વર્ણન કરીને સમન્વિત ધર્મચેતનામાં શ્રી શ્રી પદ્માવતીજી શી રીતે વંદનીય બની રહ્યાં છે તે સુંદર રીતે સ-૨સ સમજાવ્યું છે. સંપાદક મહાભારતમાં ધર્મચર્ચામાં ધર્મનું એક તત્ત્વ 'અવિરોધ' અવિરોધી તુ સદ્ધર્મે - આપ્યું છે. મારી દૃષ્ટિએ સાચા ધર્મનું આ પાયાનું તત્ત્વ છે. અહીં 'સાચો ધર્મ' નિરુપાયે લખવું પડે છે. આમ તો 'ધર્મ' માત્ર 'સાચો' જ હોય અને તેમાં 'અવિરોધ'નું મૂળભૂત પાયાનું તત્ત્વ હોય. પરંતુ ધર્મ અંગેની ગલત ધારણાથી કે એકાંગી ભાવનાથી ઘણા કહેવાતા ધર્મો અન્ય ધર્મોનો જ નહીં, અન્યના અસ્તિત્વનો પણ વિરોધ કરતા હોય છે. આમ, જે 'ધર્મવિચાર', ધર્મના પાયારૂપ તત્ત્વ 'અવિરોધ' ની વિરુદ્ધનું કાર્ય કરતો હોય તેને ધર્મ કઈ રીતે કહી શકાય ? અને મારા મતે તો વિશ્વમાં જે કંઈ દષ્ટ - અદષ્ટ, ગત, પ્રવૃત્ત કે અનાગત છે તે સર્વનો 'સ્વ' અને 'પ૨' સાથેનો પારસ્પરિક અવિરોધ, એટલે કે વ્યકિતનો પોતાના 'સ્વ'થી માંડીને વિશ્વની તમામ જડચેતન સૃષ્ટિ સાથેનો અવિરોધ હોવો જોઈએ. પ્રત્યેક માણસને પોતાની માન્યતાને શ્રેષ્ઠ કહેવાનો, માનવાનો પૂરો અધિકાર છે, પરંતુ તેને અન્યની માન્યતાને ઉતારી પાડવાનો કે નિકૃષ્ટ કહેવાનો કોઈ અધિકાર નથી. 'ધર્મ' એ એવી ધારણા છે કે જે સર્વનો સ્વીકાર કરે છે; કોઈને ઉતારી પાડતી નથી કે નિકૃષ્ટ કહેતી નથી. 'ધર્મ'ની આ ભાવના એટલે 'અવિરોધ'. અવિરોધ એ નિષેધાત્મક ભાવ છે, જેનો વિધાયક ભાવ છે 'સમન્વય.' સાચો ધર્મ સમન્વયલક્ષી હોય છે. Jain Education International - -- [ ૩૦૩ - ધર્મ અને તેનાં વિધિવિધાનોની મુલવણી હંમેશાં આ જ દૃષ્ટિએ થવી જોઈએ, કરવી જોઈએ. કોઈ પણ ધર્મનાં મૂર્તિવિધાન કે પ્રાર્થનાસ્થાન ધર્મની આ જ ભાવનાનાં પ્રતીક છે. મૂર્તિવિધાન માત્ર પૂજાપાઠના જડ કર્મકાંડનું સાધન નથી, પણ સર્વગ્રાહી ઉદાત્ત ભાવનાનું પોષક પ્રતીક છે. એ જ રીતે, ધર્મસ્થાનો મંદિર, મસ્જિદ, દેરાસર, સ્થાનક-ઉપાશ્રય, ગુરુદ્વારા, અગિયારી, દેવળ વગેરે - આ જ ભાવનાનાં પ્રતીક છે. આ સ્થાનો માણસમાં 'અવિરોધી' કે 'સમન્વયકારી' ધર્મચેતનાનો ભાવ પેદા કરનારાં, માણસને મુઠ્ઠીભર ઊંચાઈએ લઈ જનારાં હોવાં જોઈએ. પણ, અન્ય કોઈની ય સામે વિરોધ, ધૃણા કે તિરસ્કારભાવ પેદા કરવાનાં પ્રશ્રયસ્થાનો બનતાં હોય તો તે સાચાં ધર્મસ્થાનો નથી, એ માત્ર સામ્પ્રદાયિક સ્વાર્થસાધનના અખાડા છે. જૈનશાસનના શારદાસ્વરૂપા 'પદ્માવતી માતા' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy