SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૬૩ गायत्री श्रुतिशालिनां प्रकृतिरित्युक्तासि सांख्यागमे, माता रति ! कि प्रभसभणितै व्याप्तिं समस्तं त्वया' ।।२०।। કહેવાનું તાત્પર્ય એ છે કે જૈનોમાં પદ્માવતી, બૌદ્ધોમાં તારા અને સનાતનીઓમાં ગાયત્રીભકિત અન્તતોગત્વા એક જ ભગવતીની ઉપાસના છે, એમાં માત્ર નામભેદ જ છે. શ્રીચક્રની સમાન જ પદ્માવતી મહાયંત્રની પૂજનવિધિમાં પણ પાત્રાસાદનપૂર્વક આવરણાર્ચનની ભલામણ છે. દક્ષિણ ભારતમાં આવેલા હોબુજા નગરમાં આ પ્રકારની પૂજનવિધિ પ્રતિદિન કરવામાં આવે છે. પદ્માવતીની પૂજનવિધિ જૈનધર્મમાં સહજ સ્વીકૃત છે. જયપુરમાંથી 'પદ્માવતી ઉપાસના' નામનો એક ગ્રંથ પ્રકાશિત થયો છે, જેમાં પદ્માવતી ઉપાસના અંગેનું પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ભૈરવ પદ્માવતી કલ્પ' તથા 'પદ્માવતી પૂજાવિધિ' વગેરે પુસ્તકો આપણને ઠીક ઠીક એવું માર્ગદર્શન પૂરું પાડે છે. અષ્ટોત્તરશતનામ, સહસ્રનામ તથા કવચસ્તોત્ર પણ ભગવતી પદ્માવતી ઉપાસનાનાં જ અંગો છે. આ ઉપરાંત પદ્માવતી ઉપાસને કાજે અર્ધમાગધી, સંસ્કૃત, હિન્દી તથા અન્ય ભારતીય ભાષાઓમાં સાધકો માટે સ્તોત્ર રચવામાં આવ્યાં છે. ખરેખર તો, આ બધાંનું શાસ્ત્રીય આધારો વડે મૂલ્યાંકન કરી, સંકલન કરી, લોકકલ્યાણ માટે પ્રકાશન કરવું અતિ જરૂરી છે. આ સંજોગોમાં ભાવનગરથી અચિજ્યચિન્તામણિ ભગવતી પદ્માવતી' નામે બૃહદૂકાય ગ્રંથ પ્રકાશિત થઇ રહ્યો છે તે યશસ્વી હો એવી શુભકામના સાથે જય જિનેન્દ્ર ! CS : ભક્તિભાવનાનું અનુપમ દર્શન આ મૂર્તિમાં મસ્તક ઉપર બાજોઠ મૂકીને ભગવાનને બેસાડવામાં આવ્યા છે. ભક્તજનોને ચામરધારી ઈન્દ્રો બતાવ્યા છે. - શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ પાલીતાણા , , હા હતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy