SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી સર્વશકિતશાળી દેવી પદ્માવતી * શ્રી ભંવરલાલજી નાહટા જૈનસમાજમાં શ્રી અગરચંદજી નાહટાનું નામ મૂર્ધન્ય સ્થાને છે. એ જ પરિવારના અને એટલા જ પ્રસિદ્ધ વિદ્વદ્વર્ય શ્રી ભંવરલાલજી નાહટાએ જૈનધર્મમાં પદ્માવતીજીનું સ્થાન શું છે ? તેના પર માર્મિક પ્રકાશ રેલાવ્યો છે. ખરતરગચ્છના પ્રભાવક દાદા શ્રી જિનકુશલસૂરિજી મહારાજ તથા મહાન સાધક શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ આદિને થયેલ ભગવતી પદ્માવતીની સહાય અને સાંનિધ્યની વાત જરૂર આસ્થા અને અહોભાવનું કારણ બની રહે છે. તેમ જ પ્રખ્યાત નગપુરા (ઉવસગ્ગહર) તીર્થનો પૂર્વ ઇતિહાસ પણ નોંધપાત્ર છે. - એક માન્યતા એવી પણ છે કે ભગવાન પાર્શ્વનાથે પોતાના સેવકની પાસેથી સેવકના મુખથી નવકાર સંભળાવ્યો હતો. ભગવાન પાર્શ્વનાથથી લઈને આજ સુધીના પ્રત્યેક સમયે દેવી પદ્માવતીજી કષ્ટભંજક રહ્યાં હોવાના અનેક પ્રસંગો લેખકશ્રીએ આ લેખમાં આલેખી ભગવતી પદ્માવતીજીની કૃપા અહર્નિશ પ્રવર્તતી રહી હોવાની અદભુત ઝાંખી કરાવી છે. -- સંપાદક 'पद्यावई देवी पार्श्वयक्ष यरतक्ष, सहु संघनो संकट दूर करेवा दक्ष ।' જૈન સાહિત્યમાં ભગવાન પાર્શ્વનાથનાં અધિષ્ઠાત્રી દેવી તરીકે ઇન્દ્રાણી પદ્માવતીને ગણવામાં આવેલ છે. ભગવાન જ્યારે દીક્ષિત થઇ વિચરી રહ્યા હતા, ત્યારથી ધરણેન્દ્ર અને દેવી પદ્માવતી તેમના પરમ ઉપાસક હતા. આ ઉપરાંત, ધરણેન્દ્રના દેવી ઇન્દ્રાણી - વૈરો પણ પરમ ભકત હતાં. ગંગાના કિનારે વારાણસીની પવિત્ર ભૂમિ પર તાપસ કમઠ પંચાગ્નિતપ કરી રહ્યા હતા, ત્યારે ભગવાન પાર્શ્વનાથે, પોતાની રાજકુમાર અવસ્થામાં, એ પંચાગ્નિમાંનાં સળગતાં કાષ્ઠમાંથી જે નાગને બહાર કઢાવી, તેને અંતિમ સમયે નવકારમંત્રનું સંક્ષિપ્ત રૂ૫ - 33 મસિમાડય નમ:' સંભળાવીને સ્વર્ગના માર્ગે વળાવ્યો હતો તે જ નાગ નવા જન્મે ભગવાનનાં પુનિત દર્શન અને નવકારમંત્રના શ્રવણ થકી ધરણેન્દ્ર બન્યો હતો. જૈન સાહિત્યમાં કયાં કયાંક નાગ-નાગણીના યુગલનો ઉલ્લેખ જોવા મળે છે તે પણ ધરણેન્દ્ર-પદ્માવતીના સ્વરૂપને જ લક્ષે છે. જો કે પાર્શ્વનાથ તથા પદ્માવતીને ભગવાન પાર્શ્વનાથનાં યક્ષ-યક્ષિણી માનવામાં આવ્યાં છે, તેમ છતાં ધરણેન્દ્ર - પદ્માવતીની નિરાળી ભકિત-આરાધના તેમ જ સંઘ તથા તીર્થોનાં રક્ષણ કરનારી ચમત્કારી અનેક ઘટનાઓએ તેઓને વધુ પ્રખ્યાત બનાવ્યાં છે. જ્યારે કમઠ યોગી મૃત્યુ પામ્યા ને નવા જન્મે તે મેઘમાલી દેવ થયા ત્યારે, તેમણે અહિચ્છત્રામાં ધ્યાનમગ્ન એવા ભગવાન પાર્શ્વનાથને હેરાન-પરેશાન કરવા માટે અનેક પ્રકારનાં પરિષદો રચ્યા. ભગવાન પાર્શ્વનાથની થાનાવસ્થાને ચલિત કરવા ભીષણ વૃષ્ટિ કરી. તેને લીધે ભગવાનના નાક સુધી પાણી ચઢી આવ્યાં. તેમાં ધરણેન્દ્ર-પદ્માવતીએ પધારીને તેમની રક્ષા-સેવા કરેલી, ત્યારથી દેવી પદ્માવતી ભગવાનની પરમ ઉપાસિકા તેમ જ સદૈવ ભકતકષ્ટભંજક રહ્યાં છે. આજે પણ અહિછત્રામાં કમઠના પરિપહો પ્રસંગની જોવા મળતી દેવી પદ્માવતીજીની અનેક મૂર્તિઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy