________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[ ૨૧૭
જૈનસંઘમાં (પ્રાય:) પહેલીવાર લક્ષ્મીજીની થએલી સ્થાપના અને તેના અનુકરણની ચાલેલી હારમાળા : "
આ પ્રસંગે એક વિશિષ્ટ વાતનો ઉલ્લેખ જણાવું તો અનુચિત નહીં લાગે. તે એ કે વાલકેશ્વરમાં પદ્માવતીજીની સાથે સાથે અનિવાર્ય સંયોગોના લીધે તેમની બંને બાજુએ સરસ્વતીજી અને લક્ષ્મીજીની સ્થાપના કરવામાં આવી છે. જૈનસંઘમાં જૈનમંદિરોમાં સરસ્વતીની સ્થાપના કરવાની થોડી પ્રથા તો જોવા મળે છે પરંતુ જૈનસંઘમાં ૨૫૦૦ વર્ષના ઇતિહાસમાં લક્ષ્મીજીની સ્થાપના આજ સુધી કોઈએ કરી હોય તેવું જાણ્યું નથી. અનિવાર્ય સંયોગોમાં મારા દ્વારા જૈનશાસ્ત્ર સંમત મહાલક્ષ્મીજીની સ્થાપના પહેલીજવાર થવા પામી, પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં વાલકેશ્વરમાં સ્થાપના થયા બાદ મારા દ્વારા કોઇપણ થયેલી શિલ્પ-સ્થાપના વગેરે પ્રત્યે લોકોને મન એવી જોરદાર અને ઊંડી શ્રદ્ધા કે તેનું અનુકરણ કર્યા વિના રહે નહિ, તેથી મુંબઈના બીજા મંદિરોમાં અને ગુજરાતમાં ઘણે સ્થળે આ ત્રણે મૂર્તિઓની સ્થાપના થવા પામી છે.
શાસનદેવની મારા ઉપર એટલી બધી કૃપા અને જૈનસંઘની મારા પ્રત્યે કોણ જાણે એક એવી સચોટ શ્રદ્ધા અને શુભભાવના પ્રવર્તે છે કે મારા હસ્તક જે કંઇ પાપાણશિલ્પો, ધાતુશિલ્પો કે ચિત્રો વગેરે જે કંઇ સામગ્રી તૈયાર થાય એ સંપૂર્ણ શાસ્ત્રોકત, જરૂરી અને અમલ કરવા લાયક જ હોય તેથી તેનું અનુકરણ અન્ય ફિરકાના સાધુઓએ, સંઘોએ. વ્યકિતગત રીતે અનેક વ્યકિતઓએ વિશાળ પ્રમાણમાં કર્યું. દેશમાં જે હજારો મૂર્તિઓ માતાજીની બિરાજમાન થઇ ગઇ તે બધીએ પ્રાય:) વાલકેશ્વર ટાઇપની જ બિરાજમાન થઇ. જે રૂપ માતાજીને મનગમતું હોય, તે જ જાતની મૂર્તિ બનાવરાવી હોય એટલે તે કોને ન ગમે ? આ એક અસાધારણ કહી શકાય તેવી આશ્ચર્યજનક બાબત છે.
વાચકોના પ્રશ્નો પાલીતાણા-સાહિત્યમંદિરમાં ચમત્કાર થયા પછી રૂબરૂ અને પત્રો દ્વારા ઘણા પ્રશ્નો પૂછતા રહ્યા છે, એમાં --
કેટલાકે પદ્માવતીજી માતાનો પરિચય માંગ્યો. * દેવ તો અનિમેષ નયનવાળાં હોય છે તો પછી આંખનું હલનચલન કેમ સંભવી શકે ? * માતાજીના પૂજનો ખૂબ ભણાવાય છે તો પૂજનનો વિધિ કે પ્રથા નવી છે કે જૂની ? * આજે માતાજીના હજારો ઉપાસકોમાં પદસ્થ મુનિરાજો તથા સેંકડો સાધુ-સાધ્વીજીઓ પણ છે છતાં આવો અજોડ ચમત્કાર માત્ર આપની પાસે જ માએ કેમ બતાવ્યો ? અને વરસોના ઇતિહાસમાં ન બન્યો હોય તેવો ચમત્કાર અઢી અઢી કલાક સુધી ચાલ્યો તો તેનાં કારણો જણાવી શકશો ખરા ? * કેટલાક આચાર્યો, મુનિરાજો માતાજીના પૂજન સામે વિરોધભાવ રાખે છે તો તેનું શું કારણ ?
અહીં ઉપરની બીજી-ત્રીજી બે જ બાબતનો ખુલાસો કરું કે દેવોનાં શરીર બે પ્રકારનાં હોય છે. (૧) ભવધારણીય વૈક્રિયશરીર એટલે મૂલશરીર અને (૨) વૈક્રિય. જે ભવધારણીયમાંથી બીજું બનાવે તે ઉત્તરવૈક્રિયથી ઓળખાય છે. અનિમેષનેત્રનો નિયમ ભવધારણીય શરીર માટે છે, ઉત્તરવૈક્રિય શરીર માટે નહીં, એટલે મટકાના ચમત્કારને કશો બાધ નથી. પૂજનના વિરોધની બાબતમાં કશું જ તથ્ય નથી. ઉલટું વિરોધ કરીને પોતાનું અજ્ઞાન છતું કરે છે. પદ્માવતીજીનું પૂજન સેંકડો વરસ પહેલાં ભણાવાતું હતું. અનેક કારણોવશ વચ્ચે વચ્ચે પૂજન ભણાવવાનો યોગ ન બને ત્યારે એ પ્રવૃત્તિ જોવા ન મળે, પરંતુ એના પૂજનની હસ્તલિખિત પ્રતિઓ અનેક જ્ઞાનભંડારોમાં વિદ્યમાન હોઈ પાછી એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org