________________
૨૦૮ ]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
અનુક્રમે શંખ, ચક્ર, ખડ્ઝ, અર્ધચંદ્ર, પા, નીલપા, ધનુષ, કુંત (ભાલો), પાશ, કુશ (દર્ભ), ઘંટા, બાણ, દંડ, ઢાલ, ત્રિશૂળ, કુઠાર, વજ, માળા, બિજોરુ (ફળ), ગદા, પત્ર, પલ્લવ વગેરે મૂકવામાં આવેલાં છે.
પદ્માવતીની મૂર્તિઓ ઉત્તર ભારત, બિહાર, પ.બંગાળ, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાંથી પ્રાપ્ત થાય છે. આ મંર્તિઓ રેતી, પત્થર, આરસ, ધાતુ અને કાષ્ઠમાંથી કંડારેલી જોવા મળે છે. નાલંદામાંથી પ્રાપ્ત થયેલી પદ્માવતીની મૂર્તિનું ચિત્ર અહીં આગળના ભાગે આપેલા ચિત્રોમાં પ્રગટ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાષ્ટ્રીય સંગ્રહાલય-દિલ્લીમાં મૂકવામાં આવેલી તીર્થંકર પાશ્ર્વનાથની ધાતુ પ્રતિમામાં પણ પદ્માવતીનું સુંદર આલેખન થયેલું જોવા મળે છે. પદ્માવતીની મૂર્તિઓ ભારતના સંગ્રહાલયો ઉપરાંત પરદેશના સંગ્રહાલયોમાં- ખાસ કરીને લંડનના બ્રિટિશ સંગ્રહાલય અને વિકટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં, ફ્રાન્સના-પેરિસના મ્યુઝિગમે સંગ્રહાલયમાં અને બલિનના મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવી છે.
ઉપરની વિગતો પરથી કહી શકાય કે શકિત-ઉપાસનાએ જૈનધર્મ, સાહિત્ય અને કલાને સમૃદ્ધ કરવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે.
પાદટીપ :- (૧) Shah, U.P. : Studies in Jain Art, P. 40-41. (૨ ધવ-આનંદશંકર બા. : ધર્મવર્ણન, પૃ.૧૨૧- ૧૨૨. (૩) Smith Vincent : The Jaina Stupa and other antiquities of Mathura, P. 56-57. () Rupam, January, 1924 P. 1-2.
હા
..
શ્રી પદ્માવતીજી જાખોરા - જિ. ગાંધીનગર તસ્વીરકાર ડૉ. એચ. આર. ગૌદાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org