SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૮૭ જિપના પ્રકારો '( વાચિક - ઉપાંશુ - માનસજપ તથા અન્ય...) * પ્રા. બિપિનચંદ્ર ર. ત્રિવેદી બાળકની ચીસે માં હાજર થાય છે; દર્દીની ચીસે નર્સ હાજર થાય છે; તેમ ભકતની ચીસે ભગવાન અવશ્ય હાજર થાય જ. જા૫ એ પરમાત્માની પરમ ચેતનાને પોતાની સન્મુખ કરાવવાની એક પ્રક્રિયા છે. “નપાત સિદ્ધિ' કહીને જપનો મહિમા વર્ણવાયો છે. જપના વિવિધ પ્રકારોની પ્રેરક માહિતી અત્રે પ્રસ્તુત છે. જપના મુખ્ય મુખ્ય પ્રકારો ઉપરાંત લેખકે અહીં શ્રી સિહતિલકસુરીશ્વરજીના મત્રાધિરાજકલ્પ'ના આધારે જપના ૧૩ પ્રકારો દર્શાવ્યા છે. આમ, આ અભ્યાસલેખ માહિતીસભર છે, તેમ તાજગીસભર પણ છે. -- સંપાદક - શ્રી યાજ્ઞવલ્કયસંહિતામાં જપનું લક્ષણ આ પ્રમાણે આપ્યું છે : 'મંત્રનો વિધિપૂર્વક અભ્યાસ કરવો તે જપ કહેવાય છે. અને શ્રી ગુરુ દ્વારા સદશાસ્ત્રોનું અધ્યયન કરીને જે અભ્ય પણ જપ કહેવાય છે.” શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે : 'યજ્ઞોમાં હું જપયજ્ઞ છું.” આમ, યજ્ઞોમાં પણ જપયજ્ઞને શ્રેષ્ઠ બતાવ્યો છે. કારણ કે, આધ્યાત્મિક ઉન્નતિને માટે જે ચિત્તશુદ્ધિ જરૂરી છે તે મુખ્યત્વે જપ દ્વારા જ મળી રહે છે. વળી, બધા ધર્મોમાં જપ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. કેમ કે 'જપયજ્ઞ કોઇ પણ પ્રકારની હિંસા વગર પૂરો થાય છે.' એમ કહીને મહાભારત'માં પણ તેની શ્રેષ્ઠતાને આદરમાન અપાયું છે. અગ્નિપુરાણ'માં જપનો અર્થ દર્શાવતાં કહ્યું છે : 'जकारो जन्मविच्छेदः पकार: पापनाशकः । तस्माजप इति प्रोक्तो जन्मपापविनाशकः ॥' 'જ'નો અર્થ જન્મનો વિચ્છેદ અને 'પ'નો અર્થ પાપનો નાશ, જે જન્મમરણ અને પાપનો નાશ કરનાર છે તેને જપ કહે છે. આ લેખનો હેતુ જપના પ્રકારો વિશે માહિતી આલેખવાનો હોય તે વિશે જ વિચારીએ. જપના પ્રકારો : પરમાર્થ-સાધન માટેના મુખ્ય ચાર વિભાગ : કર્મયોગ, ભકિતયોગ, જ્ઞાનયોગ અને રાજયોગ. જપયોગમાં આ ચારેયનો અન્તર્ભાવ થઇ જાય છે. શ્રી સિહતિલકસૂરિજીએ મંત્રાધિરાજકલ્પ'માં જપના ૧૩ પ્રકારો ગણાવ્યા છે. જેમ કે, रेचक-पूरक कुम्भा गुणत्रयं स्थिरकृतिस्मृतिहक्का । नादो ध्यानं ध्येयैकत्वं तत्त्वं च जपभेदाः ।।' (૧) રેચક જ૫ : શરીરમાં રહેલા વાયુને નસકોરાં વાટે બહાર કાઢવા જે જપ થાય છે તે. (૨) પૂરક જપ : વાયુને નસકોરાં વાટે શરીરમાં દાખલ કરવા જે જપ થાય તે. (૩) કુંભક જપ : વાયુને શરીરમાં સ્થિર કરવા જે જપ થાય તે. (૪) સાત્ત્વિક જપ : શાંતિ કર્મ માટે કરાયેલો જ૫. (૫) રાજસિક જપ : વશીકરણ વગેરે માટે કરયેલો જ૫. (૬) તામસિક જપ : ઉચ્ચાટન તથા મારણાદિક માટે કરાયેલો જ૫. (૭) સ્થિરકૃતિ જપ : ગમે તેવાં વિઘ્નો નડે કે નડવાનાં હોય, છતાં સ્થિરતાપૂર્વક જપ થાય તે. (૮) સ્મૃતિ જપ : દષ્ટિને નાકના અગ્રભાગ પર સ્થાપીને મનથી મંત્રનું રટણ કરવામાં આવે છે. (૯) હક્કા જપ : જેમાં શ્વાસ લેતી અને મૂકતી વખતે હકારનો વિલક્ષણ રીતે ઉચ્ચાર કર્યા કરવો તે. બીજા અર્થ પ્રમાણે જે મંત્રના અંત્યપદો ક્ષોભકારક હોય તેનો જપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy