________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[ ૧૬૭
કોઈ પણ દેવ-દેવીઓનાં યંત્રો તે તે દેવ-દેવીઓનાં સ્વરૂપો છે. યંત્રમાં પિંડ અને બ્રહ્માંડને સમાયેલા છે. યંત્રના કેન્દ્રમાં મુખ્ય દેવ-દેવી હોય છે. તેની આસપાસના ત્રિકોણોમાં તેને સહાયક દેવ-દેવીઓ હોય છે. યંત્રનું પૂજન આવરણ દેવતાઓ અને મુખ્ય દેવતાનું ક્રમશઃ થાય છે. પાત્રાસાદન વગેરે દ્વારા બહિર્યાગ પૂજન થાય છે. અંતર્યાગ ભાવાત્મક હોય છે. યંત્ર માત્ર ભૌમિતિક આકૃતિઓ નથી, એટલું સમજી લેવું જોઈએ. બધા યંત્રોમાં શ્રીયંત્રને યંત્રરાજ કહેવાય છે. તેને શ્રીચક્ર અથવા ચક્રરાજ કહેવાય છે. તેની અધિષ્ઠાત્રી શ્રી લલિતાબા છે. શ્રી લલિતા એ જ શ્રી શ્રી પદ્માવતી છે. પણ આગમભેદે બન્ને દેવીઓનાં નામ જુદાં છે. તેથી શ્રી શ્રી પદ્માવતી યંત્ર પણ અલગ પ્રકારનું માનવામાં આવ્યું છે. આઆ ભેદ નામમાત્રનો છે. શ્રીચક્ર અને શ્રી લલિતા વિષે અલગ લેખ છે તે જોવા વિનંતી છે.
મંત્રાનુષ્ઠાન અને મંત્ર જાગરણની પ્રવિધિઓ : મંત્ર વિષે એમ કહેવામાં આવ્યું છે કે, 'मननं विश्वविज्ञानं त्राणं संसारबन्धनात् । यतः करोति संसिद्धि मन्त्र इत्युच्यते ततः ।।'
અર્થાત્ 'વિશ્વવિજ્ઞાનનું મનન અને સંસારના બંધનમાંથી મુકત કરનાર મંત્ર છે.” રુદ્રયામલમાં ભગવાન શિવ કહે છે :
'मननात् त्राणनात् चैव मद्रुपस्यावबोधनात् । मन्त्र इत्युच्यते सम्यक् मदधिष्ठानतः प्रिये।'
હે પાર્વતી, મનન દ્વારા અને સાધકના રક્ષણ દ્વારા જે મારા સ્વરૂપનું જ્ઞાન કરાવવા સમર્થ છે અને જે મારું અધિષ્ઠાન છે તેથી તે મંત્ર કહેવાય છે.”
કેટલાક મંત્રોમાં કોઈ પૂર્વ વિધિવિધાનો કરવાં પડતાં નથી. ગાયત્રી મંત્ર નિત્યકર્મરૂપે સંધ્યાવંદનના અંગરૂપ જપવામાં આવે તો તેમાં કોઈ વિધિ કરવો પડતો નથી, પરંતુ પુરશ્ચરણ કરવું હોય તો કેટલીક વિધિઓ કરવી પડે. આવા કેટલાક મંત્રોને બાદ કરતાં મંત્રોના પચાસ દોષ બતાવ્યા છેઃ (૧) છિન્ન, (૨) રુદ્ધ, (૩) શકિતહીન, (૪) પરામુખ, (૫) બધિર, (૬) નેત્રહીન, (૭) કીલિત, (૮) ખંભિત, (૯) દગ્ધ, (૧૦) ત્રસ્ત, (૧૧) ભીત, (૧૨) મલિન, (૧૩) તિરસ્કૃત, (૧૪) ભેદિત, (૧૫) સુષુપ્ત, (૧૬) મદોન્મત્ત, (૧૭) મૂચ્છિત, (૧૮) હતવીર્ય, (૧૯) હીન, (૨૦) પ્રધ્વસ્ત, (૨૧) બાલ, (૨૨) કુમાર, (૨૩) યુવા, (૨૪) પ્રૌઢ, (૨૫) વૃદ્ધ, (૨૬) નિત્રીશ, (૨૭) નિર્ભુજ, (૨૮) સિદ્ધિહીન, (૨૯) મંદ, (૩૦) કૂટ, (૩૧) નિશંક (૩૨) સત્ત્વહીન, (૩૩) કેકર, (૩૪) બીજહીન, (૩૫) ધૂમિત, (૩૬) આલિંગિત, (૩૭) મોહિત, (૩૮) સુધાર્ય, (૩૯) અતિદપ્ત, (૪૦) અંગહીન, (૪૧) અતિકૃદ્ધ, (૪૨) અતિકૂર, (૪૩) વીડ, (૪૪) અશાંત, (૪૫) સ્થાનભ્રષ્ટ, (૪૬) ભ્રમિત, (૪૭) વિકલ, (૪૮) નિઃસ્નેહ, (૪૯) પીડિત, (૫૦) દંડિત.
મંત્રજાગરણ – શાપવિમોચન - ઉત્કીલન વગેરે
મંત્રસાધના કરતાં પહેલાં, મંત્રોને કાર્યરત કરવા પૂર્વે કેટલાંક આવશ્યક કર્તવ્યો, જેને મંત્રના દશવિધ સંસ્કારો કહેવામાં આવે છે તે, કરવા જોઈએ. ઉપરોકત પચાસ દોષો તેનાથી દૂર થાય છે. શાસ્ત્રો કહે છે :
दोषानिमानविज्ञाय यो मन्त्रान् पठते जडः । सिद्धिर्नजायते तस्य कल्पकोटि शतैरपि ।
આ દોષોને અવગણીને જે જડ માનવી મંત્રપાઠ કરે છે તેને શતકોટિ કલ્પ સુધી સિદ્ધિ મળતી નથી. આ દસ સંસ્કાર કયા છે?
जननं दीपनं पश्चात् बोधनं ताडनं तथा । अथाभिषेको विमलीकरणाऽप्यायनं पुनः ।।
એટલે કે જનન, દીપન, બોધન, તાડન, અભિષેક, વિમલીકરણ, જીવન, તર્પણ, ગોપન અને આપ્યાયન – આ દસ સંસ્કારો છે.
(૧) ભોજપત્ર પર ગોરોચન, કુમકુમ, ચંદનાદિ વડે પોતાના તરફ ત્રિકોણ બનાવવો. પછી ત્રણે કોણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org