________________
૯૪ ]
શ્રી સંપીિતિ યશોવદ્ધિનિ ! નયટેવિ ! વિનયસ્વ ।।ણ્ણા
અર્થઃ- સમ્યગ્દષ્ટિ ભકત જીવોને ધીરજ, આનંદ, મતિ અને બુદ્ધિ આપવા માટે હંમેશાં તત્પર રહેલી એવી હે શુભ કરનારી દેવી ! જગતમાં જૈનશાસનમાં આસકત અને શાન્તિનાથ ભગવાનને નમસ્કાર કરનારા લોકોની શ્રી, સંપત્તિ, કીર્તિ અને યશ વધારનારી હે જયાદેવી ! તમે વિજય પામો ! હે દેવી ! જય પામો, વિજય પામો. ૧૦ – ૧૧૫
(૭) ભુવનદેવતાની સ્તુતિ - ભાષા સંસ્કૃત, ગાથા-૧
સૂત્ર : જ્ઞાનાદ્રિ મુળયુતાનાં, નિત્યં સ્વાધ્યાય સંયમતાનામ્
विदधातु भुवनदेवी, शिवं सदा सर्व साधूनाम् ||१||
અર્થઃ- જ્ઞાનાદિ ગુણોવાળા અને હંમેશાં સ્વાઘ્યાય તથા સંયમમાં લીન રહેલા સર્વ સાધુ મહાત્માઓને ભુવનદેવી હંમેશાં શાંતિ આપો.
(૮) ક્ષેત્રદેવતાની સ્તુતિ - ભાષા સંસ્કૃત, ગાથા-૧
સૂત્ર : યસ્યા: ક્ષેત્ર સમાશ્રિત્ય, સાધુમિ સાઘ્યતે યિા;
સા ક્ષેત્ર દેવતા નિત્ય, મૂયાન: વાયિની શા
અર્થ:- જેના ક્ષેત્રનો આશ્રય લઈને સાધુ મહાત્માઓ ધાર્મિક આચાર-અનુષ્ઠાન સાધતા હોય છે તે ક્ષેત્રદેવતા હંમેશાં આપણને સુખ આપનારા થાઓ.
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
(૯) સૂત્ર : બૃહત્ક્રાંતિ - ગદ્યપદ્યાત્મક, ભાષા સંસ્કૃત.
૩ રોહિની-પ્રાપ્તિ-વ×લતા-વાળુશી-અપ્રતિષા-પુરુષવત્તા-નાની-મહાજાતી-ગૌરી-ન્યારીसर्वास्त्रा महाज्वाला - मानवी वैरोट्या - अच्छुप्ता- मानसी महामानसी षोडश विद्यादेव्यो रक्षन्तु वो नित्यं स्वाहा.
અર્થઃ- રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજ્રશૃંખલા, વાંકુશી, અપ્રતિચક્રા, પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાન્ધારી, સર્વોસ્ત્રા મહાજ્વાલા, માનવી, વૈરાટ્યા, અચ્છુટ્યા, માનસી, મહામાનસી -- એ સોળ વિદ્યાદેવીઓ હંમેશાં તમારું રક્ષણ કરો.
(૧૦) સંતિકરં સ્તોત્ર - ભાષા પ્રાકૃત, ગાથા ૪થી.
સૂત્ર : વાળી તિદ્રુઅળસામિળિ, સિીિદેવી નવરાય નળિપિડ';
गह दिसिपाल सुरिंदा, सयावि रक्खंतु जिणभत्ते ||४||
અર્થ:- શ્રુતદેવી, ત્રિભુવનસ્વામિની દેવી, લક્ષ્મીદેવી, યક્ષરાજ, ગણિપિટક, ગ્રહો, દિક્પાલો અને દેવેન્દ્રો, જિનેશ્વરોના ભકતોની હંમેશાં રક્ષા કરો.
આ જ સ્તોત્રની ગાથા પાંચમી અને છઠ્ઠીમાં ૧૬ વિદ્યાદેવીઓની સ્તુતિ છે. ગાથા ૭મી અને ૮મીમાં ૨૪ યક્ષોનાં તથા ગાથા નવમી અને દશમીમાં ૨૪ યક્ષિણીઓનાં નામો છે.
આ રીતે આવશ્યક સૂત્રોમાં રૂઢ, પ્રાચીન, પરંપરાગત ચાલી આવતાં દેવ-દેવીઓની સ્તુતિ-સ્તવનોનો અર્થ સહિત વિચાર કર્યો છે. હવે એ જ રીતે સંઘે પોતાની ઈચ્છાથી નહિ, પરંતુ મુનિ બાલચંદ્રે કરેલા ઉપદ્રવની શાંતિ માટે, તેને ખુશ કરવા માટે ક્રિયામાં દાખલ કરેલા અને પરંપરાથી રૂઢ થઈ ગયેલા સૂત્રમાંની સ્તુતિ રજૂ કરું છું.
(૧૧) સૂત્ર : સ્નાતસ્યા - ભાષા સંસ્કૃત, શ્લોક ૪થો નિષ્પ-વ્યોમ-ગીત-વૃત્તિ-મત-સશ માતષનામ ર, मत्तं घंटारवेण प्रसृत मद जलं, पूरयन्तं समन्तात्; आरूढो दिव्य नागं विचरति गगने, कामदः कामरूपी,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org