SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ મરણ જે જિનેશ્વર પ્રભુએ આ ભવરૂપી ભયકંર કૃપમાંથી મને બહાર કાઢો છે, તેમજ સમ્યકત્વ રૂપી અમૂલ્ય રત્નનું દાન કર્યું છે એવા હરિવંશના વિભૂષણ–ત્રણ લોકના નાથ નેમીશ્વર ભગવાનના ચરણ કમળમાં નમસ્કાર કરું છું.” સૂર્ય દૂર રહેલાં કમળને વિકસ્વર કરે છે. તેમ જિનેશ્વર પરમાત્મા ભલે અહીંથી ઘણી દૂર છે અને હું પણ તેમનાથી ઘણે દર છું છતાં અહીં રહેલા મને ત્યાં રહ્યા થકા તેમણે મારા આત્માને પ્રતિબોધિત કર્યો છે.” પૂર્વે કહેલા પંચ પલ્ટમેષ્ઠિ તેમજ નમીશ્વર પ્રભુ તેમજ તેના ગણધરાદિક પરિવારની મેં મૂઢે જે કંઈ પણ આશાતના કરી હોય તે તે તે મિચ્છામિ દુક્કડમ.” “રાજ્યમાં આરંભ પરિગ્રહમાં રક્ત થઈ જે પ્રાણાતિપાતાદિ ૧૮ પાપસ્થાનકે રાગ, દ્વેષ, મોહ કે પ્રમાદ વશ અજ્ઞાનતાથી સેવ્યા હોય તે સર્વેનું મિચ્છામિ દુક્કડમ.” મન વચન કાયાથી કઈપણ જીવને મેં દુભવ્યા હોય તેઓને ખમાવું છું. તેઓ પણ મને ખમજે. તેમના પ્રત્યે જે વૈર વિરોધ હોય તેને હું ત્યાગ કરું છું.” આ પ્રમાણે સંવેગિત મનથી અને વાણીથી બેલતાં કૃષ્ણ મહારાજા પગમાં બાણની વ્યાધિને અધિકતાથી સહન કરતા સંથારામાં રહીને તેમજ નમીશ્વર પ્રભુ જે દિશામાં હતા તે દિશામાં પિતાનું મુખ રાખીને અંજલિ જોડીને ચિંતવે છે. “ધન્ય છે તે નેમીશ્વર પ્રભુને જેમણે બાળપણમાં જ રાજ્ય અને સ્ત્રીને ત્યાગ કરી કુમારાવસ્થામાં ચારિત્ર લીધું. કેવળજ્ઞાન પામ્યા. અનેક રાજા–શેઠ આદિને પ્રતિબધી મેક્ષમાર્ગે પ્રયાણ કરાવ્યું. વરદત્તાદિ રાજાઓને ધન્ય છે, પ્રદ્યુમ્ન–શાંબાદિકુમારોને પણ ધન્ય છે. રૂકમણું આદિ સ્ત્રી–ચાદવી કન્યાઓને પણ ધન્ય છે. જેઓ એ સકલ દુઃખના એકાંત કારણરૂપ સંસારને છેડી પરમ સુખના અદ્વિતીય કારણરૂપ એવા ચારિત્ર ધર્મને અંગીકાર કર્યો.” નેમીશ્વર ભગવાન જેવા તારક મળવા છતાં મેં ચારિત્ર ન ગ્રહણ કર્યું. ત્યારે હું આટલી વિટંબણું ભેગવી રહ્યો છું. તેઓ તે વ્રત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy