SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૫ અતિમ આરાધના વિધિ (૧) સં લેખના વિધિ સલેખનાને અર્થ કુશ–પાતળું–હલકું ઓછું કરવું એ થાય છે. શરીરને કૃશ કરવું તે બાહ્ય સંલેખના, કષાયે પાતળા કરવા તે અત્યંતર સં લેખના, શરીરમાં વહુ ઘર્મસાધનં તે કહેતી ના બંને ભાગ અબાધિત રહે તે પ્રમાણે સુલેખાનાને વિધિ જણાવ્યું છે. દીવાની દીવેટ, તેલ અને પ્રકાશ એ ત્રણની જેમ અહીં આયુષ્ય, શરીરબળ અને આત્મશુદ્ધિ ને સમજવાની છે. તેલ અને દીવેટનો વેગ પ્રકાશ માટે છે. પ્રકાશ વિનાનાં તે બંને નકામા છે. તેમાં પણ તેલ છતાં દીવેટ ખૂટી જાય કે દીવેટ છતાં તેલ ખૂટી જાય તે પ્રકાશ અટકી પડે. માટે બંનેને સમાન ગ જરૂરી છે. એવી રીતે અહી સંલેખનામાં શરીરબળ ખૂટતાં પહેલાં આયુષ્યબળ ખૂટી જાય કે આયુષ્ય ખૂટતાં પહેલાં શરીરબળ ખૂટી જાય તે મનુષ્ય જન્મનુ સાધ્ય અર્થાત્ ગુણ પ્રગટ કરવાનું કાર્ય વચ્ચે જ અટકી પડે. માટે જ્યાં સુધી વિશિષ્ટ જ્ઞાનથી મરણને નિર્ણય ન થાય ત્યાં સુધી સંખના કરી શકાય નહીં. અતિશય જ્ઞાની દ્વારા આયુષ્ય હવે આટલું બાકી છે તેવો નિર્ણય થયા પછી શરીર છે ત્યાં સુધી આરાધના ટકી રહે તે રીતે તેનું પિષણ ચાલું રાખવું. ઉત્તરોત્તર પિષણ ઓછું કરતા જ્યારે આયુષ્યપૂર્ણ થાય તે સમયે શરીર પણ પૂર્ણ ઘસાઈ જાય તે સંલેખનાનું રહસ્ય છે. જે શરીરબળ પહેલાં ખુટી જાય અને આયુ વચ્ચે તુટી જાય તે સાધન અટકી પડે એટલું જ નહીં, પણ મનુષ્યાયુની ક્ષણેક્ષણની કિંમત દેવાયુ કરતાં કંઈ ગુણ ચડિયાતી છે, જે આયુષ્ય પહેલા તૂટી જાય તે 'પણ મોટું નુકસાન છે. એક નમે અરિહંતાણું પદને જાપ પણ ઉત્તમ કેટિની નિર્જાનું કારણ છે. હવે જે–આયુષ્ય વચ્ચે તૂટી જાય અને આત્મા વિશતિમાંથી અવિરતિવાળા બની જાય છે તે પણ કઈ રીતે ચગ્ય નથી. એમ છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy